Navkranti Issue 49 – 2016 – નવક્રાન્તિ અંક ૪૯ – ૨૦૧૬
Navkranti Issue 50 – 2016 – નવક્રાન્તિ અંક ૫૦ – ૨૦૧૬
किसी के वास्ते हो तेरे दिल में प्यार…. जीना ईसीका नाम है। #75_ભિક્ષુકોને_ધાબડાની_હૂફ
તારીખ 24/12/2016 ની મધ્યરાત્રિએ જગત આખું મુક્તિદાતા ઇસુના જન્મના વધામણાંમા મશગુલ હતુ બરાબર એ જ ઘડીએ સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદના ટ્રસ્ટી શ્રી બકુલ પરમાર તથા K. M. Patel Institute of physiotherapy Karamsad ના વિદ્યાર્થીઓએ આણંદ રેલવે સ્ટેશનેથી કડકડતી ઠંડીમાં #સેવાનો_પરમયજ્ઞ શરૂ કર્યો હતો.
છત કે ઓઢણની અછતને કારણે ફુટપાથ કે અન્ય સ્થળોએ ખુલ્લામાં પડ્યા રહેતા લગભગ 75 જેટલા નિરાધારોને ધાબડા ઓઢાડવામા આવ્યા હતા. ભીષણ ઠંડીમા નબળી સ્થિતિ ને કારણે ઘણાને ખુલ્લામાં રાત ગુજારવી પડતી હોય છે જેને કારણે કેટલાક ને જીવ પણ ગુમાવવો પડે છે. પ્રસ્તુત બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા ગત વર્ષે શક્ય તેટલા નિરાધારોને માનવતાની હુંફ પુરી પાડવાનુ નક્કી કરવામાં આવેલુ જેને લઇને લોકોએ મોકળે હાથે આર્થિક સહયોગ આપેલો પરિણામે 350 જેટલા ભિક્ષુકો ને નાતાલ પર્વ દરમિયાન ધાબડા ઓઢાડવામા સફળતા મળેલી.
ચાલુ વર્ષે પણ માનવતાને મહેકાવતા દાતાશ્રીઓ આ પુણ્યશાળી કાર્ય માટે આગળ આવ્યા છે જેમના આર્થિક સહયોગ ને કારણે પ્રથમ તબક્કામાં75 જેટલા ભિક્ષુકો ને ધાબડા ઓઢાડવામા સફળતા મળી છે જો કે હજુ લાબી મજલ કાપવાની છે.
પ્રસ્તુત અભિયાનમાં જોતરાયેલા તમામ નેકદીલો ને અભિનંદન એવં આભાર
– હસમુખ ક્રિશ્ચિયન સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ
હોલીક્રોસ ચર્ચ કઠલાલ ખાતે ‘ નાતાલ ” નો તહેવાર ઉલ્લાસ ભેર ઉજવાયો.
દુનિયાભરમાં માનવતાના મસીહા તરીકે પોખાતા ઈસુ નાઝારીની જન્મજયંતી આજે ખેડા જિલ્લાના કઠલાલમા આવેલા ” હોલીક્રોસ ચર્ચ ” ખાતે દબદબા ભેર ઉજવવામાં આવી હતી આ પ્રસંગે કઠલાલ તેમજ આજુબાજુના ગામડાઓમાથી ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓને નડીઆદ પાસ્ટોરલ સેન્ટર ના ડિરેક્ટર ફાધર લોરેન્સે પ્રાર્થના સભામા દોર્યા હતા. પોતાના આહલાદક બોધમા તેમણે ધર્મજનોને ખ્રિસ્તી મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરી સમાજની સુખાકારીમા પોતાનુ યોગદાન આપવા હાકલ કરી હતી. ક્રિસમસ ની પરમપૂજા બાદ ફાધર રમેશ મેકવાન દ્વારા સહુ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
– હસમુખ ક્રિશ્ચિયન
j