Tag Archives: Archbishop Thomas Macwan

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Guardian Angels Foundation

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Guardian Angels Foundation.

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Not only plant A Tree but Watch It Grow!!

Even before the world realized the problems with the environment, Lucy Larcom wrote a beautiful poem “Plant a tree” (before 1893). Please read it below:

Plant a tree – Lucy Larcom

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૫ જૂન નો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોની વાવણી અને તેનો ઉછેર કરવાની ઉત્કંઠા બધે જ જોવા મળે છે. આપણા ભારત દેશમાં ૨૦૦ કરોડ વૃક્ષોની જરૂર છે. લોકોએ વૃક્ષારોપણની સમસ્યા સરકારના માથે છોડી દીધી છે. વૃક્ષોનુ વાવેતર, ઘડતર, માવજત જરૂરી છે. વૃક્ષ વાવ્યા ના વરસ પછી એ વૃક્ષની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જોગવાઈ કે નિયમ જરૂરી છે એવું નથી લાગતું? હમણાં જ ગુજરાત સમાચાર માં આવેલો આ લેખ વાંચીને ચિંતા થાય એ સ્વાભાવિક છે.

Gujarat Samachar12 Jul 2024

એથી જ આજ પંખી, બહુ ખુશખુશાલ છે;
ઉપવનમાં એનું વૃક્ષ, હવે રાજ્યપાલ છે.
– સુનીલ શાહ

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ પંચવર્ષીય વૃક્ષારોપણ યોજનાનો આરંભ

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન (USA) દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ “પંચવર્ષીય વૃક્ષારોપણ યોજના” નો આરંભ કરવામાં આવ્યો. જૈતુન વાડી પ્રોજેક્ટ યોજના હેઠળ ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા આગામી ૫ વર્ષમાં  કુલ ૫૦૦ ઓલિવ ટ્રી રોપવાનું ધ્યેય રાખવામાં આવેલ છે. જેમાંથી ચાલુ વર્ષે ૧૪૫ ઓલિવ ટ્રી નું રોપણ કરવાનું આયોજન કરેલ છે. આ ઓલિવ/જૈતુન પ્લાન્ટ ઇઝરાયેલથી મંગાવવામાં આવ્યા છે. ગાર્ડિયન એન્જલ પ્રેસિડેન્ટ શિલ્પાબેન મકવાણા તથા પાસ્ટર વી.કે મકવાણા (USA) અને પરિવાર તેમજ સંસ્થાના સર્વ વ્હાલાઓનો આ કાર્ય માટે આભાર. શાંતિ અને એકતાના પ્રતિક સમા ઓલિવ ટ્રી રોપવાની યોજનાનો આરંભ ઈશ્વર કૃપાથી ગંગા ડેરી ફાર્મ CDS રાવળાપુરા આણંદ ખાતે ૨૭/૬/૨૪ ના રોજ કરવામાં આવ્યો. જો કોઈએ આ સેવામાં જોડાવું હોય કે સંસ્થા તથા  જૈતુન વાડી પ્રોજેક્ટ વૃક્ષારોપણ યોજના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે help@GuardianAngels.Foundation ઇ-મેલ ઉપરથી સંસ્થાનો સંપર્ક કરવા નમ્ર વિનંતી.

વૃક્ષારોપણનો આ પ્રોજેક્ટ અને એમાંય આ ઓલિવ વૃક્ષની પસંદગી ખરેખર દાદ અને ધન્યવાદને પાત્ર છે. ફરી આવતા વરસે આ યોજના હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમ પહેલાં આ વરસે રોપેલા ૧૪૫ ઓલિવ ટ્રી ના હયાતી, ઉછેર અને તંદુરસ્તીનો અહેવાલ રજૂ કરશો એવી અપેક્ષા.

Guardian Angels Foundation is a 501c3 nonprofit organization.

Our mission is to cultivate a sustainable future through three core pillars: Environmental stewardship, women’s empowerment, and educational enrichment.

Driven by our values of environmental sustainability, gender equality and education for all, we strive to create a world where communities thrive harmoniously with nature, women and girls are empowered agents of change, and education catalyzes progress and prosperity.

Join us in planting seeds of change, nurturing communities, and growing a brighter future together.

Guided by Faith, embracing Psalm 91:11 ‘For He will command his angels concerning you to guard you in all your ways.’

Nurturing the future: Inspiring olive tree planting initiative

Planting olive trees, symbolizes the growth of love, compassion, and spirituality. Spreading love and harmony is a beacon of hope.

With faith and determination, fostering a culture of peace and understanding.

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન (USA) દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ ના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓલિવ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું એના પિક્ચર્સ………………..

Olive tree planting – year one 2024

Easter Greetings and Special blessing from Archbishop Thomas, Fr. Alex and Dr. Fr. Vinayak to GCSofUSA.

Easter Greetings and Special blessing from Archbishop Thomas Macwan, Fr. Alex Clement Joseph and Dr. Fr. Vinayak Jadav for the member of Gujarati Catholic Samaj of USA.  

We thank you for your love, support, concern and comfort of prayers and blessings. Thank you. 

?

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

ગુજરાતમાં કેથલિક ધર્મસભાની સૌપ્રથમ સ્થાપના આણંદ પાસેના મોગરી ગામ ખાતે થઈ હતી. જ્યારે ફાધર મેન્યુએલ ઝેવિયર્સ ગોમ્સના હસ્તે મોગરી, નાપાડ અને આસપાસના ૧૮ વ્યક્તિઓને સ્નાનસંસ્કાર આપી કેથલિક ધર્મસભાના પાયાના મંડાણ કર્યાં હતાં. એ દિવસ હતો ડિસેમ્બર ૧૧, ૧૮૯૩. આ વાતને ૧૨૫ વર્ષ પૂરાં થતાં મોગરી સહિત આસપાસના ગ્રામજનો તેમજ અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તેની વિશેષ રીતે ઊજવણી કરાઈ હતી.

ગુજરાતમાં ૧૨૫ વર્ષની કેથલિક  ધર્મસભાની ઊજવણી ચાર ભાગમાં કરવાનું અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા નક્કી કરાયું. જેમાં પ્રથમ અમદાવાદ એ પછી આણંદ, ઉમરેઠ અને છેલ્લે મોગરી ખાતે તેની ઊજવણી કરાઈ હતી. જેમાં સમુહ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. મોગરીમાં જે જગ્યાએ મોગરી, નાપાડ સહિત આસપાસના ૧૮ વ્યક્તિઓને  સ્નાનસંસ્કાર આપ્યા હતા તે જગ્યા પર વર્ષ ૧૯૯૩માં ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે જગ્યાએ સેંટ ઝેવિયર્સ ચર્ચ નામે ચર્ચ બનાવવામાં આવ્યું છે. સ્વ. ઈગ્નાશભાઈ મેકવાન તથા ફાધર વિલિયમ પાઉલ દ્વારા જમીનનું દાન કરવામાં આવ્યું હતું. જે ચર્ચ આજે સમગ્ર ઈતિહાસની સાક્ષી પૂરી રહ્યું છે.

૧૨૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે મોગરી ગામમાં મંગળવારે સાંજે સમુહ પ્રાર્થના અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના મહાધર્માધ્યક્ષ થોમાસ મેકવાન, અમદાવાદના ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, વડોદરા ધર્મપ્રાંતના મહાધર્માધ્યક્ષ બિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને ગુજરાત પ્રાંતના પ્રાંતપતિ ફાધર ફ્રાન્સીસ પરમાર, સહિત અન્ય ફાધર, સીસ્ટર્સ સહિત અન્ય ભક્તજનો હાજર રહ્યા હતા.

પણ ઈતિહાસ પર નજર નાખીએ તો ખરેખર તો ગુજરાતી કેથલિક ધર્મસભાની શરુઆત તો સપ્ટેમ્બર ૯, ૧૮૯૧માં (મરિયમ જયંતી) મુબઈ ખાતે થઈ હતી. જ્યારે ગુજરાતમાંથી રોજીરોટી મેળવવા આવેલા ૮ વ્યક્તિઓ જેમને કામે રાખનારા સિસ્ટરોની સહાયથી તેઓએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું અને વાંદરાના સંત પીતર દેવળમાં સ્નાનસંસ્કાર મેળવી કેથલિક ધર્મસભામાં પ્રવેશા મેળવ્યો. જેમાં નાપાડના ૨ જણ અને મોગરીના ૬ જણ હતાં.

થોડા સમય પછી નાપાડના બે જણમાંથી એક શ્રી. ફ્રાન્સિસ ઝાવિયેર (ભગા ટીસા) નાપાડ પરત આવ્યા ૧૮૯૩માં ગુજરાતના કેથલિક લોકોની સારસંભાળ માટે મુંબઈના ધર્માધ્યક્ષે ફાધર મેન્યુઅલ ગોમ્સને ગુજરાત મોકલી આપ્યા. જેઓ વડોદ સ્ટેશન પર ઉતરી પગપાળા નાપાડ પહોંચ્યા જ્યાં એમના સફેદ જભ્ભાને લીધે શ્રી. ફ્રાન્સિસભાઈએ એમને ઓળખી લીધા અને તેમનું સ્વાગત કર્યું. એ સમયે નાપાડમાં મુક્તિફોજનુ વર્ચસ્વ હોવાથી ફાધરે મોગરી જવાનું નક્કી કર્યું જે જોગનુવસાત શ્રી. ફ્રાન્સિસભાઈની સાસરી હતી. આ રીતે મોગરીને ફાધરે પોતાનું કેંદ્ર બનાવી દીધું અને પછી તો ગુજરાત કેથલિક ધર્મસભા સમગ્ર ગુજરાતમાં કેલાઈ ગઈ.

વિશેષ માહિતી માટે નીચેની પિક્ચર પર ક્લિક કરી શ્રી. ગાબ્રિયેલ ક્રિશ્ચિયન દ્વારા પ્રકાશિત પુસ્તિકા વાંચો.

Please click on the above image to read.

વિશેષ માહિતી માટે ક્લિક કરો….

ગુર્જરવાણી ગૌરવસહ આપણી શરૂઆતની ડોક્યુમેંટ્રી રજૂ કરે છે……………….  “શ્રદ્ધાનું વડવૃક્ષ”

Gurjarvani brings you the documentary film. – “The Faith that Bloomed” – about the start of the Catholic Church in Gujarat at Mogri.

Article from daily Newspaper “Naya Padkar”

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Palm Sunday 2018 – Message by Fr. Ashok Vadhela S.J.

Holy Thursday 2018 – Message by Fr. Vinayak Jadav S.J.

Good Friday 2018 – Message by Archbishop Thomas Macwan

Holy Saturday 2018 – Message by Fr. Ashok Vadhela S.J

Easter 2018 – Message by Fr. James B. Dabhi S.J.

The Diocese of Ahmedabad organized a Blind Walk Rally on World Sight Day – October 13, 2017. Similar rally was organized in Nadiad too.

૧૦૦ અમદાવાદીઓએ આંખે પટ્ટી બાંધી સમાજને નવો રાહ ચીંધ્યો.

આજે world blind WALK ના પ્રસંગે મહાધર્માંધ્યક્ષ માન્યવર થોમસ મેકવાની આગેવાની હેઠળ શરૂ થયેલ પ્રોજેક્ટ વિઝન-૨૦૧૭ અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમવાર blind walk નું આયોજન કરાયું હતું.

નેત્ર દાન પ્રતિ જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયે શરૂ કરાયેલ આ રેલીને સવારે ૧૦ કલાકે ગાંધીગ્રામ રેલવેસ્ટેશને થી જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર શીતલ શાહે ઝંડી બતાવીને રવાના કરી હતી.

૧.૩ કિમી અંતરની મજલ કાપીને માઉન્ટ કર્મેલ સ્કૂલ પહોંચેલી આ રેલીમાં ઓક્સિજન ફિલ્મની સમગ્ર ટીમ તથા અમદાવાદના રેડીઓ મીરચીના રેડિયો જોકી દૃવિત પણ હાજર રહયા હતા.

આ પ્રસંગે સ્વામી આધ્યાત્મનંદ, મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન,સિસ્ટર લુસી,ફિલ્મી હસ્તી શીતલ શાહ તથા ભક્તિ કુમાવતે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શીતલ શાહ તથા ભક્તિ કુમાવત સેન્ટ ઝેવિયર્સ તથા માઉન્ટ કાર્મેલમાં ભણ્યા હોવાથી પોતાના જીવનના પ્રસંગોને વાગોળ્યા હતા.

સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુરના આચાર્ય તથા આજની રેલીના સર્વેસર્વા ફાધર ટાઇટ્સ દ્વારા નેત્ર દાન બાબતે ઉપસ્થિત મેદનીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અંતે દુનિયામાં 100 વાર થી વધુ વખત રક્તદાન કરી ચૂકેલા ૧૦૨ જેટલા સેનચુરિયન રક્તદાતા ધારવવાનો વિશ્વ વિક્રમ જેને નામે છે તેવા અમદાવાદીઓએ પ્રસ્તુત રેલી પર સફળતાની મહોર મારી હતી.

– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “.

The below pictures are taken from Mr. Hasmukh Christian and Mr. Cyril Marin Macwan’s Facebook page.

[wppa type=”slide” album=”67″ align=”center”]Any comment[/wppa]

 

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

The below video is from Fr. Ashok Vaghela Facebook page.