Tag Archives: Gurjarvani

The Tale of the Pain – My karaoke song for this Good Friday.

The Tale of the Pain – My karaoke song for this Good Friday.

I have created a karaoke track of one of the song from the Gurjarvani audio album “Kahani Vedanani” “કહાણી વેદનાની” and tried to record over my voice. The quality is not that great but I hope you will like it.

Video is from Chris West-Russell – 3D Video of the Crucifixion on Christ.

કીર્તંસાગર – ભજન-૨૭૪ શાને દશા થઈ આ તારી?

ઓ ઈસુ, મારા પ્રભુ
શાને દશા થઈ આ તારી?
કેમ દશા થઈ આ તારી?

દીધા હાથે ખીલાના ઘા ભારી
ચીસ મુખે તોયે નવ આણી
વેદનાની આ કેવી કહાણી

ખમ્યા ચાબુક ફટકા ભારી
ફૂટી રક્ત તણી ત્યાં ધારી
જૂલમી જલ્લાદે રહેમ ના આણી

લીધી માનવજાત ઉગારી
નિજ રક્ત દઈને વહાવી
રીત પ્રેમની બીજી ન જાણી

Ms. Grena Christian received a Gold Medal in the Masters of Development Communication from Gujarat University.

It’s a proud moment for Gujarati Christian community as Ms. Grena Christian received a Gold Medal in the Masters of Development Communication from Gujarat University. She already holds MA and BEd degrees too. Congratulations to Grena Christian and she will continue her knowledge in “Gurjarvani” production and training camps.  

The 68th Annual Convocation of Gujarat University was held at the Senate Hall on its campus in the esteemed presence of Hon’ble Governor Shri of Gujarat and Chancellor of Gujarat University Shri Acharya Devvrat. Along with in the presence of the Guest of Honour Shri Bhupendrasinh Chudasama Hon’ble Education Minister, Chief Guest and Keynote speaker Dr. G. Satheesh Reddy Secretary, Dept. Of Defense R&D and Chairman, DRDO.
The Governor of Gujarat Acharya Devvrat (chancellor) of the University and Bhupendrasinh Chudasama the Education Minister of Gujarat, awarded the toppers from the different disciplines of the University.
Grena Christian was awarded a Gold Medal  in a very prestigious course.
Glimpse of the live award ceremony held on January 29, 2020 by Gujarat University. 

Pathar Thar Thar Dhruje – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી.

ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.
પ્રસ્તુત – ગુર્જરવાણી
શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત
સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ
સ્વર – હ્રદય દેસાઈ
સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન
સમીક્ષા વાંચક – મમતા દેસાઈ

પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.
કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને

સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.

કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.

બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન

April 11 – National Safe Motherhood Day: 2019 Theme, History and Significance.

April 11 – National Safe Motherhood Day: 2019 Theme, History and Significance.
Women have a God gift to give birth to a child. In itself it is a miracle.
In 2003, according to the request of WRAI, the Government of India had declared 11 April as National Safe Motherhood Day which is the anniversary day of Kasturba Gandhi’s birth. She is wife of Mohandas KaramChand Gandhi, the father of nation.
National Safe Motherhood Day (NSMD) is observed annually on 11 April to raise awareness about the proper healthcare of women and maternity facilities to pregnant and lactating women. This day also focus on reducing anemia among women, institutional delivery, for better pre and post-natal health care etc. which are necessary for mothers.
This day also raise awareness for the prevention of child marriages because we can say that child marriage may be an indirect cause of maternal deaths. It is the right for every woman to take good quality nutrition proper healthcare services during and after pregnancy and childbirth. In fact in India the government is also taking effort to reduce the maternal mortality rate but we can’t ignore the fact that it is our duty also to take steps for women healthcare and if needed to educate them.
સુરક્ષિત માતૃત્વ સ્ત્રીનો મૂળભૂત અધિકાર છે.
માતૃત્વ એટલે સ્ત્રીઓ માટે અસ્તિત્વનો ઉત્સવ. અનેક સંસ્કૃતિઓમાં માતૃત્વને સ્ત્રીત્વની પૂર્ણતા સાથે સાંકળવામાં આવે છે. ધર્મશાસ્ત્રોએ માતૃત્વનો અપરંપાર મહિમા ગાયો છે. છતાં એક હકીકત સ્વીકારવી રહી કે મેડિકલ ક્ષેત્રે થયેલા અનેક સંશોધનો અને સામાજિક પરિવર્તનો પછી પણ શારીરિક અને ભાવનાત્મક બંને રીતે માતૃત્વ સામેના પડકારો નાબૂદ નથી થયા. અગિયાર એપ્રિલે નેશનલ સેફ મધરહૂડ ડે છે ત્યારે આ સંદર્ભે થોડી મહત્ત્વની બાબતો પર એક નજર…
સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીભૃણ હત્યા, બાળ લગ્ન, ગર્ભધારણ પછી જરૂરી કાળજી, પતિ અને કુટુંબીજનનો સહકાર, ખાવા-પીવા પર ચોક્કસ નિયંત્રણ, જરૂરી કસરત, સમયનાસુર ડોક્ટર દ્વારા ચકાસણી, આધુનિક સાધનો વાળા પ્રસુતિગૃહ, અને બાળકના જન્મ પર્યાંત એના સ્વાસ્થ્ય અને શીક્ષણ સાથેના ઉછેરની જવાબદારી.
દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે હજી પ્રભુએ મનુષ્ય પરની આશા ખોઈ નથી. – રવીન્દ્રનાથ ટાગોર
સ્ત્રીની પ્રસુતિની પીડા એ સ્ત્રીની સહનશીલતાનો સાક્ષાત્કાર છે. આ વિષય પર બહુ ઓછાં કાવ્ય લખાયાં છે. પ્રથમ ગર્ભાધારણ અને પ્રસવની વેદના અને ભાવોને શ્રી. ગાયત્રી ભટ્ટે ખૂબ જ લાગણીપૂર્વક  એમની ગઝલમાં ગુંથ્યાં છે. તેઓ અંગ્રેજીના અધ્યાપક છે પણ ગુજરાતીમાં એમણે ઘણી રચનાઓ આપી છે અને “મારો અજાણ્યો ખૂણો” નામનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત કર્યો છે. તેઓ સારા ગાયિકા પણ છે. અને આ ગઝલ એમના પોતાના સુરિલા અવાજમાં સાંભળવી એ લાહવો છે.

રૂડું લાગે છે આખ્ખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની
રુવે રુવાંમાં રેલે અજવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની.

જંપ સહેજે ના કળતર ચોપાસ, કોઇ લોહીમાં પાડે છે ચાસ;
ઊંડે ઉપસે છે આકારો ખાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

કોઇ ભીતરથી ભેદભર્યું બોલે, બધા વિસ્મયના દરવાજા ખોલે;
લખે ટીપું દરિયાનો ઇતિહાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

ફરી ફળિયું, પાદર ને તળાવ, મને બોલાવે: ‘આવ, અહીં આવ.’
મારે પાલવડે શૈશવના શ્વાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

એના ખંજનમાં ખીલખીલતી વાત, એના અંજનમાં ટમટમતી રાત;
મુને દળદળતી ફૂટે ભીનાશ; પીડા ઉપડી છે પહેલા પ્રસવની !

હું તો ચાલું ચાલું ને ત્યાંની ત્યાં; નહીં જાણું કે પહોંચવાનું ક્યાં?
તારી પગલીએ પૂરો પ્રવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

– ગાયત્રી ભટ્ટ

આ ગઝલનો આસ્વાદ – શ્રી. લતા હિરાણી (દિવ્યભાસ્કરના મધુરિમા મેગેઝિનમાં કાવ્યસેતુ કોલમ)

માતા બનવું, બનવાના વિચાર પણ ખૂબ રોમહર્ષક છે પરંતુ પ્રસવની પીડા જીરવવી દોહ્યલી છે. તેમ છતાં દુનિયાની લગભગ બધી સ્ત્રીઓ, અપવાદો બાદ કરતાં, પોતાના સંતાનને ઝંખતી હશે ! બળજન્મ કેટલો કષ્ટદાયક હોઇ શકે એ કોઇપણ સમજી શકે. અલબત્ત કલ્પના કરતાં એ ક્યાંય વધુ તીવ્ર હોય ! અનેકગણો હોય ! જન્મવાની પીડા પણ બાળકને ગજબ હશે પણ કદાચ હજી એની સંવેદના એટલી વિકસી ન હોય અને અનુભવની જાણ હોવી, સમજ હોવી, એ પીડાને વધારનારું તત્વ ખરું !

પ્રસવની પીડાનું ઉદાત તત્વ એ છે કે આટલી દર્દનાક વેદના હોવા છતાં એને ભોગવનારની આંખ સામે ઉજળું આકાશ હોય ! એના રૂવેરુવે અજવાસ રેલાતો હોય ! અલબત્ત આ પીડાને શબ્દદેહ આપવામાં, એને  કલાસ્વરૂપે ઉઘાડવામાં કવિની કલ્પનાનો હાથ હોય. સુંદર શબ્દોનો સાથ હોય એ ખરું પણ તોય આ કલ્પના સાવ સાચુકલી લાગે છે. પ્રસવ પછીની પળો, બાળકના મુખદર્શનની ક્ષણો કેટલી સુખદ હશે કે એને પામવા આ ભયંકર દુખ સહન કરવા સ્ત્રી તૈયાર થઈ જાય છે ! અને આ તો પહેલા પ્રસવની વાત છે !

પ્રસવપીડા કવિએ આબેહૂબ વર્ણવી છે. શરીર એવું કળે છે કે ભીતર-બાહર ક્યાંય જંપ નથી. જાણે લોહીમાં કોઈ ચાસ પાડી રહ્યું છે. ચિતમાં આકારો અટવાય છે. બાળક કેવું હશે ? એનો ચહેરો, રંગ, આંખો કેવાં હશે ? એનો અવાજ કેવો હશે ? આટલી પીડામાંય આ વિસ્મય શમતું નથી. એક માસૂમ અવાજ માતાને બોલાવી રહ્યો છે, ખેંચે છે. આટલું નાનું બાળક જાણે માતાના ભાવજગતનો ચિતાર આપવા બેઠું છે, ઇતિહાસ લખવા બેઠું છે.

માતાનું પોતાનું બાળપણ ફરી એના મનમાં કોળી રહ્યું છે. એ વાતાવરણ એને સાદ દે છે. દરેક સ્ત્રીના જીવનમાં આ જ સ્વર્ણિમ પળો હોય છે, જ્યારે એનું બાળક એના ખોળામાં હોય છે. પોતાના બાળકમાં એ પોતાનું બાળપણ પાછું મેળવે છે. એના હસતાં ચહેરાના ખંજનમાં, આંખોના અંજનમાં જીવનભરની ખુશી સમેટાઇ જાય છે, ઠલવાઈ જાય છે. મન ભર્યું ભર્યું, લાગણીથી ભીનું ભીનું બની જાય છે. પીડાના કલાકો એ સમયે ભલે લાંબો યુગ બન્યા હોય, બાળકનો ચહેરો જોતાં જ માતાને માટે એ બધી વેદના વિસરાઈ જાય છે.

કવિના ખૂબ સંવેદનાસભર શબ્દો જ્યાં કાવ્ય એની ઊંચાઈને સ્પર્શે છે,

‘હું તો ચાલું ચાલું ને ત્યાંની ત્યાં, નહીં જાણું કે પહોંચવાનું ક્યાં ? તારી પગલીએ પૂરો પ્રવાસ……’

હવે ક્યાંય પહોંચવાનું નથી.. કોઈ પ્રવાસ નથી, કશું પામવાનું બાકી નથી. બાળકની નાની પગલીઓ મંડાઇ કે સઘળા પ્રવાસ શમી ગયા છે કેમ કે જીવનના તમામ લક્ષ્યો, ઝંખનાઓ હવે એના ખોળામાં આવીને બેઠા છે…

વિવેચક – લતા હિરાણી

“Chaudhari Bhasha ” book was released in accordance with UNESCO declaration this year as the “World Indigenous Languages Year”.

અહેવાલ અને છબી :ગુર્જરવાણી ટીમ: ફાધર અશોક વાઘેલા, ફ્ર. દેવસિયા, વિકી ક્રિસ્ટી, ગ્રેના ક્રિશ્ચિયન, ફ્ર. સુદાર વસાવા, હર્શિલ ગામિત અને સેતુલ ગામિત.