Tag Archives: Archbishop Stanislaus

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

ગુજરાતમાં કેથલિક ધર્મસભાની સૌપ્રથમ સ્થાપના આણંદ પાસેના મોગરી ગામ ખાતે થઈ હતી. જ્યારે ફાધર મેન્યુએલ ઝેવિયર્સ ગોમ્સના હસ્તે મોગરી, નાપાડ અને આસપાસના ૧૮ વ્યક્તિઓને સ્નાનસંસ્કાર આપી કેથલિક ધર્મસભાના પાયાના મંડાણ કર્યાં હતાં. એ દિવસ હતો ડિસેમ્બર ૧૧, ૧૮૯૩. આ વાતને ૧૨૫ વર્ષ પૂરાં થતાં મોગરી સહિત આસપાસના ગ્રામજનો તેમજ અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તેની વિશેષ રીતે ઊજવણી કરાઈ હતી.

ગુજરાતમાં ૧૨૫ વર્ષની કેથલિક  ધર્મસભાની ઊજવણી ચાર ભાગમાં કરવાનું અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા નક્કી કરાયું. જેમાં પ્રથમ અમદાવાદ એ પછી આણંદ, ઉમરેઠ અને છેલ્લે મોગરી ખાતે તેની ઊજવણી કરાઈ હતી. જેમાં સમુહ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. મોગરીમાં જે જગ્યાએ મોગરી, નાપાડ સહિત આસપાસના ૧૮ વ્યક્તિઓને  સ્નાનસંસ્કાર આપ્યા હતા તે જગ્યા પર વર્ષ ૧૯૯૩માં ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે જગ્યાએ સેંટ ઝેવિયર્સ ચર્ચ નામે ચર્ચ બનાવવામાં આવ્યું છે. સ્વ. ઈગ્નાશભાઈ મેકવાન તથા ફાધર વિલિયમ પાઉલ દ્વારા જમીનનું દાન કરવામાં આવ્યું હતું. જે ચર્ચ આજે સમગ્ર ઈતિહાસની સાક્ષી પૂરી રહ્યું છે.

૧૨૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે મોગરી ગામમાં મંગળવારે સાંજે સમુહ પ્રાર્થના અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના મહાધર્માધ્યક્ષ થોમાસ મેકવાન, અમદાવાદના ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, વડોદરા ધર્મપ્રાંતના મહાધર્માધ્યક્ષ બિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને ગુજરાત પ્રાંતના પ્રાંતપતિ ફાધર ફ્રાન્સીસ પરમાર, સહિત અન્ય ફાધર, સીસ્ટર્સ સહિત અન્ય ભક્તજનો હાજર રહ્યા હતા.

પણ ઈતિહાસ પર નજર નાખીએ તો ખરેખર તો ગુજરાતી કેથલિક ધર્મસભાની શરુઆત તો સપ્ટેમ્બર ૯, ૧૮૯૧માં (મરિયમ જયંતી) મુબઈ ખાતે થઈ હતી. જ્યારે ગુજરાતમાંથી રોજીરોટી મેળવવા આવેલા ૮ વ્યક્તિઓ જેમને કામે રાખનારા સિસ્ટરોની સહાયથી તેઓએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું અને વાંદરાના સંત પીતર દેવળમાં સ્નાનસંસ્કાર મેળવી કેથલિક ધર્મસભામાં પ્રવેશા મેળવ્યો. જેમાં નાપાડના ૨ જણ અને મોગરીના ૬ જણ હતાં.

થોડા સમય પછી નાપાડના બે જણમાંથી એક શ્રી. ફ્રાન્સિસ ઝાવિયેર (ભગા ટીસા) નાપાડ પરત આવ્યા ૧૮૯૩માં ગુજરાતના કેથલિક લોકોની સારસંભાળ માટે મુંબઈના ધર્માધ્યક્ષે ફાધર મેન્યુઅલ ગોમ્સને ગુજરાત મોકલી આપ્યા. જેઓ વડોદ સ્ટેશન પર ઉતરી પગપાળા નાપાડ પહોંચ્યા જ્યાં એમના સફેદ જભ્ભાને લીધે શ્રી. ફ્રાન્સિસભાઈએ એમને ઓળખી લીધા અને તેમનું સ્વાગત કર્યું. એ સમયે નાપાડમાં મુક્તિફોજનુ વર્ચસ્વ હોવાથી ફાધરે મોગરી જવાનું નક્કી કર્યું જે જોગનુવસાત શ્રી. ફ્રાન્સિસભાઈની સાસરી હતી. આ રીતે મોગરીને ફાધરે પોતાનું કેંદ્ર બનાવી દીધું અને પછી તો ગુજરાત કેથલિક ધર્મસભા સમગ્ર ગુજરાતમાં કેલાઈ ગઈ.

વિશેષ માહિતી માટે નીચેની પિક્ચર પર ક્લિક કરી શ્રી. ગાબ્રિયેલ ક્રિશ્ચિયન દ્વારા પ્રકાશિત પુસ્તિકા વાંચો.

Please click on the above image to read.

વિશેષ માહિતી માટે ક્લિક કરો….

ગુર્જરવાણી ગૌરવસહ આપણી શરૂઆતની ડોક્યુમેંટ્રી રજૂ કરે છે……………….  “શ્રદ્ધાનું વડવૃક્ષ”

Gurjarvani brings you the documentary film. – “The Faith that Bloomed” – about the start of the Catholic Church in Gujarat at Mogri.

Article from daily Newspaper “Naya Padkar”

Fr. Chhagan passed away on Friday, November 18, 2017.

વડોદરા ધર્મપ્રાંતના વડીલ અને Monsignor ફાધર છગન નું શુક્રવાર, ૧૮ નવેમ્બરની સવારે અવસાન. ૯૮ વર્ષની ઉંમરના દક્ષિણ ગુજરાતના ઝરોલી ધર્મવિભાગના પ્રથમ પુરોહિત, લોકલાડીલા અને અંતિમ શ્વાસ સુધી અનેકના પ્રેરણાસ્ત્રોત ફાધર છગનની અંતિમ વિધી સાંજે ૫ વાગે ઝારોલીમાં રાખવામાં આવેલ હતી.

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના મંત્રી શ્રી.એલેક્ષ (અશોક) રાઠોડ હાલમાં વતનની મુલાકાત પર ગયેલા છે. તેઓ વલસાડ ખાતે રહેતા હોવાથી ફાધર છગનની ફ્યુનરલ સર્વિસમાં હાજર રહી શક્યા હતા. તેમણે લખેલો ટૂંકો અહેવાલ:

સ્વ.પૂજ્ય ફાધર છગન ના ફ્યુનરલ માં વલસાડ તાબાના લોકો ફાધર પોલ સાથે ગયા હતા. આર્ચબિશપ શ્રી સ્ટેનિસ્લાઉસ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે લગભગ ૬૦ ફાધરો હતા. આશરે ૪૦૦૦ જેટલા ધર્મજનો એ તેમની ફ્યુનરલ માસ અને દફનક્રિયામાં ભાગ લીધો હતો. આર્ચબિશપશ્રી એ તેમને પયગંબર તરીકે ઓળખાવ્યા હતા. ખરેખર એક ઉમદા વ્યક્તિત્વનો અંત પણ પ્રભુએ એમના આત્માને પરમ શાંતિ આપીજ દીધી છે એવી ખાતરી છે. આવા સેવાભાવી ઉમદા વ્યતિત્વને નમન.

Please watch his interview in below video from “Gurjarvani” 

The Holy Father Pope Francis has appointed Hon. Bishop Thomas Macwan as Archbishop of Gandhinagar Archdiocese.

BTMVatican City, 12 June 2015 – Today the Holy Father has appointed Bishop Thomas Ignatius Macwan as archbishop of Gandhinagar (area 29,942, population 11,123,000, Catholics 15,683, priests 28, religious 112), India. Archbishop Macwan, previously Bishop of Ahmedabad, India, succeeds Archbishop Stanislaus Fernandes, S.J., whose resignation from the pastoral care of the Archdiocese the Holy Father accepted, upon having reached the age limit.

 

BTMnews

Please click here for the link of the above news.

 

Gujarati Catholic Samaj of USA proudly congratulate Hon. Bishop Thomas Macwan on his appointment as Archbishop of Gandhinagar, by Holy father Pope Francis. We have so many fond memories of his presence with us here in the States as a priest, as a Bishop in the last 15+ years.

BTMatGCS 

History was written when Fr. Thomas Macwan (native Gujarati) was appointed as Bishop of Ahmedabad Diocese. This is even bigger history making news that Hon. Bishop Thomas Macwan is now appointed as Archbishop of Gandhinagar. We wish him all the best and we know he will do his best to serve not only people of Gujarat but Gujarati people from all around the world.

 

Hon. Bishop Thomas Macwan will be formally installed as Archbishop of Gandhinagar on September 25, 2015.

 

The members of Gujarati Catholic Samaj of USA are eager to welcome him as Hon. Archbishop of Gandhinagar in near future.

 

Thanks to Fr. Avinash Parmar (Secretary of Hon. Bishop Thomas Macwan) for the information.

 

ABSFatGCSAt this time we would like to express our gratitude and thanks to retiring Hon. Archbishop Stanislaus Fernandes. He was the very first appointed Archbishop for Gujarat. We are fortunate to meet and greet him not only back in India but in USA too. He presided on the “DOOT” 100th anniversary celebration held by Gujarati Catholic Samaj of USA in 2010. We are also blessed and thank him for being a celebrant of holy Eucharist for us, with his for couple of times.

 

We wish him happy retirement. May God grant him healthy and happy life.

ABSFdootcentenary2010

 

 

 

 

જીવનનાં ૭૫ વરસ પૂરાં કરવા બદલ માનનીય ફાધર વિલિયમ ને ખૂબ ખૂબ અભિનંદન ૧૦-૧૧-૧૨ નવેમ્બર ૧૦, ૨૦૧૨.

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે તારીખ છે ૧૦-૧૧-૧૨ અને જોગાનુજોગ આવો સંયોગ દર હજાર વરસે જ આવે. આજના જ દિવસે ગુજરાતના માનાનીય ફાધર વિલિયમ પોતાના જીવનાનાં ૭૫ વરસ પૂરાં કરે છે એ પણ અનન્ય જોગાનુજોગ છે. ઈશ્વરને પ્રાર્થના કે ફાધરને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય બક્ષે જેથી ગુજરાતના માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા કરતા રહે અને સામાજિક સંવાદિતતા પ્રસરાવતા રહે. આ પ્રસંગે વાંચો ફાધર વિલિયમનો પોતાનો સંદેશ.

 

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે. ઈશ્વર પિતાએ મને સુસ્વાસ્થ્યની અણમોલ ભેટ આપી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. એણે મને અનેક ભેટોથી જીવનમાં નવાજ્યો છે. તેમાં એક મોટી ભેટ આ છે.: બીજાઓની ધાર્મિક માન્યતાઓ પ્રતિ માન અને સન્માન. મારા હિંદુ-મુસ્લિમ બધા મિત્રોએ મારી આવી ભાવનાની વારંવાર કદર કરી છે ને મને બહુ આદર પણ આપે છે. ઈશ્વર પિતાની આ અમૂલ્ય ભેટને કારણે આજે હું ઈશ્વરનાં દર્શન ચોપાસ બધે કરી શકું છું ને એમ ઈશ્વરના દર્શનની મારી ક્ષિતિજ વિસ્તરી છે. આ કિંમતી ભેટને કારણે ગુજરાતમાં સામાજિક સંવાદિતા સર્વત્ર પ્રગટે એ માટે આરંભાયેલ અભિયાનનો હું એક હિસ્સો બની શક્યો છું ને આ. મોરારી બાપુ સાથે રહીને મારી ભૂમિકા ભજવી ઝુંબેશમાં મારું પ્રદાન કરી શકું છું. આદરણીય શ્રી મોરારી બાપુનો મને ગાઢ પરિચય થયો તેના લીધે આપણી પ્રવૃતિઓ વિષે તેમને સાચી માહિતી આપીને આપણા પ્રત્યે સદભાવના પણ પેદા કરી શક્યો છું ને તેમની સાથે મૈત્રી કેળવી છે. આ સાથે કેટલીક તસ્વીરો મૂકું છું તેમાં જેસુઈટ ફાધર રૂડી હેરેડીઆ, લેન્સ્ય લોબો, આર્ચ બીશપ સ્ટેની ફર્નાન્ડીસ, મદની શરીફ શેઠ (જમાતે ઇસ્લામ હિન્દ), સંજય-તુલા (વિશ્વગ્રામ) … ગુજરાતમાં કોમી સદભાવ પ્રગટે, પ્રસરે ને કાયમ માટે ટકી રહે એ માટે પ્રયત્નશીલ છે તે દેખાય છે. 
ફાધર વિલિયમ