Fr. Chhagan passed away on Friday, November 18, 2017.

વડોદરા ધર્મપ્રાંતના વડીલ અને Monsignor ફાધર છગન નું શુક્રવાર, ૧૮ નવેમ્બરની સવારે અવસાન. ૯૮ વર્ષની ઉંમરના દક્ષિણ ગુજરાતના ઝરોલી ધર્મવિભાગના પ્રથમ પુરોહિત, લોકલાડીલા અને અંતિમ શ્વાસ સુધી અનેકના પ્રેરણાસ્ત્રોત ફાધર છગનની અંતિમ વિધી સાંજે ૫ વાગે ઝારોલીમાં રાખવામાં આવેલ હતી.

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના મંત્રી શ્રી.એલેક્ષ (અશોક) રાઠોડ હાલમાં વતનની મુલાકાત પર ગયેલા છે. તેઓ વલસાડ ખાતે રહેતા હોવાથી ફાધર છગનની ફ્યુનરલ સર્વિસમાં હાજર રહી શક્યા હતા. તેમણે લખેલો ટૂંકો અહેવાલ:

સ્વ.પૂજ્ય ફાધર છગન ના ફ્યુનરલ માં વલસાડ તાબાના લોકો ફાધર પોલ સાથે ગયા હતા. આર્ચબિશપ શ્રી સ્ટેનિસ્લાઉસ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે લગભગ ૬૦ ફાધરો હતા. આશરે ૪૦૦૦ જેટલા ધર્મજનો એ તેમની ફ્યુનરલ માસ અને દફનક્રિયામાં ભાગ લીધો હતો. આર્ચબિશપશ્રી એ તેમને પયગંબર તરીકે ઓળખાવ્યા હતા. ખરેખર એક ઉમદા વ્યક્તિત્વનો અંત પણ પ્રભુએ એમના આત્માને પરમ શાંતિ આપીજ દીધી છે એવી ખાતરી છે. આવા સેવાભાવી ઉમદા વ્યતિત્વને નમન.

Please watch his interview in below video from “Gurjarvani” 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.