Tag Archives: Hasmukh Christian

શાંતિ નિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ ખાતે ૧૧ ના છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન.

 

શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 


સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારના ઊંડાણનાં ઝંખવાવ ગમે આવેલી આ શાળા આદિવાસી કિશોર કિશોરીઓનાં ભણતર માટે એક વરદાન રૂપ છે. શાળાનું જાહેર પરીક્ષઓનુ પરિણામ લગભગ સો ટકા હોય છે. આ શાળામાંથી આજ સુધીમાં સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં પ્રગતિ કરી છે. શાળામાં અનેકવિધ પૂરક પ્રવૃતિઓ દ્વારા જીવન ઘડતર થાય છે ને એ રીતે આવતીકાલના દેશપ્રેમી અને સામાજિક નિસબત ધરાવતા નાગરીકો ઘડાય છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાનું પ્રદાન અનોખું છે. આધુનિક પાદ્ધાત્તિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. શાળામાં દ્રશ્ય શ્રાવ્ય પ્રોગ્રામો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે ને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. શાળાનો સ્ટાફ બહુ જ નિષ્ઠા પૂર્વક સેવા બજાવે છે જે શાળાની સફળતા પાછળનું રહસ્ય છે.

 

 
તા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન રિશ્તા સંસ્થા દ્વારા ધો ૧૧ નાં છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને કલમ રૂપી શક્તિશાળી હથિયાર તેમના હાથમાં મૂકવામાં આવ્યું હતું જેથી તેમને નડતી સમસ્યાઓ સામે તેઓ પોતાનો અવાજ ઉઠાવે ને પોતાના વિસ્તારની સુખાકારીની જવાબદારી અદા કરે.

 

ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું.
શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી………….

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

 

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

કરૂણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર – પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન

કરૂણા નિકેતન હાઇસ્કુલ, બાલાસિનોર

 

 

ફાધર તાઈતાસ ડીકોસ્તાના આચાર્યપદે ચાલતી બલાસીનોરસ્થિતકરૂણા નિકેતન હાઈસ્કુલ એક નમૂનેદાર શાળા છે. અહી માત્ર અક્ષરજ્ઞાન નહિ પરંતુ તેની સાથે સાથે છાત્રોનું જીવન ઘડતર  થાય છે. આ શુભ ધ્યેયને સતત લક્ષ્યમાં રાખીને તેને અનુરૂપ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી દેશ માટે આવતી કાલના દેશપ્રેમી અંને જવાબદાર તથા સામાજિક નિસબત હૈયે ધરાવતા નાગરીકો ઘડાય.  

 

 

શાળાના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક બધા જ કર્મચારીઓ આ બાબતે સભાન છે અંને સહકાર પૂર્વક કામ કરે છે. શાળામાં ચાલતી એન એસ એસ પ્રવૃતિઓ પણ આ ધ્યેયને વરેલી હોઈ કેવળ ચીલાચાલુ નહિ પણ અર્થપૂર્ણ  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તાજેતરમાં આ સંદર્ભે પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંચાલન રિશ્તા સંસ્થાએ સંભાળયુ હતું ને ૬૦ જેટલા છાત્રોને પ્રિન્ટ મીડીઅમાં પ્રવેશી સમાજની સુખાકારીની જવાબદારી ઉઠાવવા માટે પડકાર ફેંક્યો હતો.બધા તાલીમાર્થીઓએ એ પડકાર ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો.  

      

 

 

 

 

 

 

 

કરૂણા નિકેતન હાઇસ્કુલના આચાર્ય તથા સહુ કર્મચારીઓને આપણાં આભિનંદન તથા તેમના મિશનને સફળતા સાંપડે એ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ !

 

-ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયન (રિશ્તા)

‘રિશ્તા’ સંચાલિત પત્રકારત્વ કાર્યશાળા – સેન્ટ મેરિસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદ – સપ્ટેમ્બર ૭-૮, ૨૦૧૨

 

 

તા. ૭-૮ સપ્ટેમ્બર દરમ્યાન સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા (પેટલાદ) માં ધો. ૧૧ નાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ તથા શ્રી. હસમુખ ક્રિશ્વિયને કાર્યશાળામાં સિત્તેરેક જેટલા તાલીમાર્થીઓને પત્રકારત્વની તાલીમ આપી મુદ્રિત માધ્યમમાં પ્રવેશવા માટે સજ્જ કર્યા હતા.

માહિતી – રિશ્તા  

હોલી ચાઈલ્ડ સ્કૂલ કલોલમાં રિશ્તા દ્વારા પત્રકારત્વ કાર્યશાળા – ઓગષ્ટ ૮, ૯

હોલી ચાઈલ્ડ સ્કૂલ કલોલમાં રિશ્તા દ્વારા પત્રકારત્વ કાર્યશાળા
 
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હરીશ બ્રહ્મભટ્ટના શબ્દોમાં: “વર્તમાન સમયમાં શિક્ષણ અને જીવનનો અનુબંધ કપાઈ ગયેલ તેવું જણાય છે. શિક્ષણ અને જીવનના અનુબંધને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ સહ સ્વામી વિવેકાનંદ વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા જૂન ૨૦૦૩ થી હોલી ચાઈલ્ડ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. શાળાનો મુખ્ય એદ્દેશ વિદ્યાર્થી જે બની શકે તેમ છે, તેની જે ક્ષમતા છે તે બહાર લાવી તેનું જવાબદાર સંવેદશીલ વિચારશીલ નાગરિક તરીકેનું ઘડતર થાય તેમ કરવાનો છે.”
 
શાળા સંચાલકો વિદ્યાર્થીઓનાં વાલીઓના શિક્ષણ ઉપર પણ ઘણો ભાર દે છે અને અવારનવાર તેમના પ્રશિક્ષણના કાર્યક્રમો યોજે છે. લગભગ પ્રતિવર્ષ તેમના માટે પુસ્તક મેળો યોજીને સારાં પુસ્તકો ખરીદી તેના વાચનને પ્રોત્સાહન આપે છે. ગઈ સાલ પુસ્તક મેળામાં દોઢેક લાખ રૂપિયાનાં પુસ્તકો વેચાયાં હતાં.
 
શ્રી. હરીશભાઈ તથા આચાર્યબેન હેતલ ફાધર વિલિયમનાં પરિચીત હોઈ તેમને ધો. ૧૦ ના વિદ્યાર્થિનીઓ માટે તા. ૮ અને ૯ ઓગષ્ટ દરમ્યાન પત્રકારત્વ કાર્યશાળા યોજવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ અને તેમના સહકાર્યકર શ્રી. હસમુખ ક્રિશ્રિયને આમંત્રણને વધાવી લઈ ઉત્સાહપૂર્વક કાર્યશાળ યોજી અને શિબિરાર્થીઓનાં દિલ જીતી લીધાં હતાં. ભવિષ્યમાં ધો. ૯ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ‘મૂલ્ય શિક્ષણ’ શિબિર યોજવાનું આયોજન પણ વિચારાયું છે.

સમાચાર અને છબી – રિશ્તા