શાંતિ નિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ ખાતે ૧૧ ના છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન.

 

શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 


સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારના ઊંડાણનાં ઝંખવાવ ગમે આવેલી આ શાળા આદિવાસી કિશોર કિશોરીઓનાં ભણતર માટે એક વરદાન રૂપ છે. શાળાનું જાહેર પરીક્ષઓનુ પરિણામ લગભગ સો ટકા હોય છે. આ શાળામાંથી આજ સુધીમાં સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં પ્રગતિ કરી છે. શાળામાં અનેકવિધ પૂરક પ્રવૃતિઓ દ્વારા જીવન ઘડતર થાય છે ને એ રીતે આવતીકાલના દેશપ્રેમી અને સામાજિક નિસબત ધરાવતા નાગરીકો ઘડાય છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાનું પ્રદાન અનોખું છે. આધુનિક પાદ્ધાત્તિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. શાળામાં દ્રશ્ય શ્રાવ્ય પ્રોગ્રામો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે ને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. શાળાનો સ્ટાફ બહુ જ નિષ્ઠા પૂર્વક સેવા બજાવે છે જે શાળાની સફળતા પાછળનું રહસ્ય છે.

 

 
તા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન રિશ્તા સંસ્થા દ્વારા ધો ૧૧ નાં છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને કલમ રૂપી શક્તિશાળી હથિયાર તેમના હાથમાં મૂકવામાં આવ્યું હતું જેથી તેમને નડતી સમસ્યાઓ સામે તેઓ પોતાનો અવાજ ઉઠાવે ને પોતાના વિસ્તારની સુખાકારીની જવાબદારી અદા કરે.

 

ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું.
શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.