Tag Archives: હસમુખ ક્રિશ્ચિયન

“Rishta” organized two days workshop in Dang District.

” રિશ્તા ” દ્વારા ડાંગ જીલ્લાના 600 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વર્કશોપ યોજાયો.

તારીખ 23 થી 26 જૂન દરમિયાન ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત શાળાઓમાં સ્થાન પામતી નવજ્યોત હાઈસ્કૂલ સુબીર તથા દીપ દર્શન હાઈસ્કૂલ આહવામાં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓ માટે રિશ્તા દ્વારા મોટિવેશન તથા લેખન શિબિર યોજાયો હતો. બે દિવસના આ શિબિરમાં છાત્રાલયમાં રહી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં લઈ યોજાયેલા આ તાલીમ શિબિરમાં

1 – ધ્યેય નક્કી કરવો.

2 – નક્કી કરેલા ધ્યેય માટેના આયોજનો

3 – અભ્યાસમાં પડતી મુશ્કેલીઓનું અવલોકન.

4 – સ્પર્ધ્યાત્મક પરીક્ષાઓ માટે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી.

5 – શિક્ષણની સાથોસાથ જીવનઘડતર તરફ ધ્યાન રાખવું.

6 – ઇતર લેખન-વાંચન નું મહત્વ.

7 – સંપૂર્ણ લેખન અને કથન ને સ્પર્શતી બાબતો

8 – ડિજીટલ યુગમાં મીડિયાનું મહત્વ

9 – મીડિયા થકી સામાજિક યોગદાન ની તકો જેવા વિવિધ મુદ્દાઓને પાવર પોઈન્ટ્સ તથા વિડિઓ ક્લિપ્સ દ્વારા વિદ્યાર્થીઓ આગળ રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રસ્તુત શિબિરે પોતાની શૈક્ષણિક સફરમાં નવી દિશાઓ દેખાડી છે તેવો સુર શિબિરની સમાપન વેળાએ વહેતો થયો હતો. વિદ્યાર્થીઓના ખુશ ખુશાલ ચેહરાઓએ શિબિર પર સફળતાની મહોર મારી દીધી હતી.

શિબિરના આયોજનની જવાબદારી સુબીર ખાતે સિસ્ટર મયુરીએ અને આહવા ખાતે સિસ્ટર લૈલમ્મા એ સાંભળી હતી જ્યારે સંચાલનની જવાબદારી રિશ્તાના  Ratilal R Jadav તથા Hasmukh Christian દ્વારા અદા કરવામાં આવી હતી.

Report/Pictures: Hasmukh Christian

The Warmth of Humanity – Blanket distribution to needy and homeless in and around Anand.

#નાતાલની_અનોખી_ઉજવણી

” આણંદના તમામ ભિક્ષુકોને ધાબળાની હૂંફાળી ભેટ ”

ઇસુ મસીહાના જન્મ ટાણે ઉજવાતા ” નાતાલ પર્વ ” ની ઉજવણીને સમાજલક્ષી બનાવવાની મંશા દાખવી આણંદ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાત તથા કઠલાલના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પડ્યા રહેતા નિરાધારોને ભીષણ ઠંડીમાંથી ઉગારી લેવાની સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા જે કટિબદ્ધતા દાખવવામાં આવી છે તેણે સમાજના વિવિધ વર્ગો તથા સંપ્રદાયો પર સારી એવી છાપ છોડી છે.

” અમને આપો ઉછીનું દુ:ખ ” જેવા સંવેદાત્મક મુદ્રાલેખ સાથે માનવ સેવાના મેદાનમાં ઉતરેલી આ સંસ્થાએ તા-30/12/2016 ની મધ્યરાત્રિના 11:00 થી સવારના 3:00 દરમિયાન આણંદના વિવિધ વિસ્તારો જેવા કે વિદ્યાનગર થી જનતા ચોકડી, ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી, 100 ફૂટનો રોડ, ગ્રિડ ચોકડી, નવા બસસ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, મહાવીર માર્ગ,ગુજરાતી ચોકડી, રેલવે સ્ટેશન, ગોધરા પ્લેટફોર્મ, સુપર માર્કેટ, ગામડી વડ, બેઠક મંદિર, જલારામ મંદિર, ટાઉન હોલ વગેરે સ્થળોએ ખુલ્લામાં સુતા ભિક્ષુકોને સંસ્થાના ટ્રસ્ટી બકુલ પરમાર તથા તેમની સાથે સ્વૈચ્છિક સેવા માટે જોડાયેલા ઉર્વીશ પટેલ, હર્ષ પટેલ અને રોનક પરમાર દ્વારા ધાબળાઓ ઓઢાડવામા આવ્યા હતા.

ભીખ માંગીને જીવન બસર કરનાર ભિક્ષુકો કાતિલ ઠંડીમાં ગરમ ઓઢણને અભાવે જિન્દગી થી હાથ ધોઈ બેસે છે તે જોતાં ધાબળની આ હૂંફ ઘણાના જીવન ઉગારી લેશે તેવી શ્રદ્ધા ઘણાએ વ્યક્ત કરી હતી.

છેલ્લા બે વર્ષથી ચાલતી આ માનવતા લક્ષી પ્રવૃત્તિને સમાજના વિવિધ વર્ગોનો આર્થિક સહકાર મળી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે માનવતાને વધાવતા માનવો હજુ પણ હયાત છે. નાત જાત કે ધર્મના ભેદભાવોથી પર રહેલો આ સેવાયજ્ઞ અનેકો માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે જેનો સઘળો શ્રેય માનવતા લક્ષી કાર્યોમાં કોઇપણ ભોગે કોઇપણ પ્રકારે પોતાનું યોગદાન આપનારાં ને ફાળે જાય છે.

હસમુખ ક્રિશ્ચિયન

સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ.

31/12/2016.

Blankets for the homeless – Help us to help others – St. Paul Manav Vikas Kendra did it again.

किसी के वास्ते हो तेरे दिल में प्यार…. जीना ईसीका नाम है। #75_ભિક્ષુકોને_ધાબડાની_હૂફ

તારીખ 24/12/2016 ની મધ્યરાત્રિએ જગત આખું મુક્તિદાતા ઇસુના જન્મના વધામણાંમા મશગુલ હતુ બરાબર એ જ ઘડીએ સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદના ટ્રસ્ટી શ્રી બકુલ પરમાર તથા K. M. Patel Institute of physiotherapy Karamsad ના વિદ્યાર્થીઓએ આણંદ રેલવે સ્ટેશનેથી કડકડતી ઠંડીમાં #સેવાનો_પરમયજ્ઞ શરૂ કર્યો હતો.

છત કે ઓઢણની અછતને કારણે ફુટપાથ કે અન્ય સ્થળોએ ખુલ્લામાં પડ્યા રહેતા લગભગ 75 જેટલા નિરાધારોને ધાબડા ઓઢાડવામા આવ્યા હતા. ભીષણ ઠંડીમા નબળી સ્થિતિ ને કારણે ઘણાને ખુલ્લામાં રાત ગુજારવી પડતી હોય છે જેને કારણે કેટલાક ને જીવ પણ ગુમાવવો પડે છે. પ્રસ્તુત બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા ગત વર્ષે શક્ય તેટલા નિરાધારોને માનવતાની હુંફ પુરી પાડવાનુ નક્કી કરવામાં આવેલુ જેને લઇને લોકોએ મોકળે હાથે આર્થિક સહયોગ આપેલો પરિણામે 350 જેટલા ભિક્ષુકો ને નાતાલ પર્વ દરમિયાન ધાબડા ઓઢાડવામા સફળતા મળેલી.

ચાલુ વર્ષે પણ માનવતાને મહેકાવતા દાતાશ્રીઓ આ પુણ્યશાળી કાર્ય માટે આગળ આવ્યા છે જેમના આર્થિક સહયોગ ને કારણે પ્રથમ તબક્કામાં75 જેટલા ભિક્ષુકો ને ધાબડા ઓઢાડવામા સફળતા મળી છે જો કે હજુ લાબી મજલ કાપવાની છે.

પ્રસ્તુત અભિયાનમાં જોતરાયેલા તમામ નેકદીલો ને અભિનંદન એવં આભાર

– હસમુખ ક્રિશ્ચિયન સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ

akul

 

Journalism camp was organized by Mr. Hasmukh Christian of “Rishta”

15208050_1176246332454685_919287358_n

“નારૂકોટના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પત્રકારત્વ શિબિર યોજાયો”.

 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામા આવેલ નારૂકોટની ‘ પિલુ મોદી ‘ હાઈસ્કૂલ ખાતે તારીખ 25 તથા 26 નવે, 2016 દરમિયાન બે દિવસનો પત્રકારત્વ શિબિર યોજાયો હતો જેમાં ધોરણ 9 તથા 10 ઉપરાંત ITI ના વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.

 

યાત્રાધામ પાવાગઢથી બોડેલી સુધી પથરાયેલા આ આદિવાસી પટ્ટામાં આવેલા અંતરિયાળ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકી નથી તેમ છતાં મુદ્રિત કે વિજાણું માધ્યમોમાં આ વિસ્તારની સમસ્યાઓ એવં ઘટનાઓ યોગ્ય પ્રમાણમાં સ્થાન પામતી નથી તેથી યુવાવર્ગને આ માટે પ્રશિક્ષિત કરી સમાજની સમસ્યાઓને વાચા આપવાની નૈતિક જવાબદારી સોંપવામાં આવે કે જેથી માધ્યમોના ઉપયોગ થકી સમાજની સુખાકારી વધારી શકાય તેવો ઉમદો આશય પ્રસ્તુત લેખન શિબિરના આયોજન પાછળનો હતો.

 

વિદ્યાર્થીઓ માટે ક્ષમતા વર્ધક ગણાતા આ શિબિરનુ સંચાલન મીડિયા એજ્યુકેશન ક્ષેત્રે કામ કરતી ‘ રિશ્તા ‘ સંસ્થાના Hasmukh Christian તથા Ratilal R Jadav દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આયોજનની જવાબદારી ડોન બોસ્કો દ્વારા સંચાલિત ‘ પિલુ મોદી ‘ હાઇસ્કૂલ નારૂકોટના આચાર્ય ફાધર પ્રવિણે સંભાળી હતી.

 

– હસમુખ ક્રિશ્ચિયન.”રિશ્તા “

15281003_1176246155788036_1568955643_n15218393_1176245942454724_360762601_n