તા. ૭-૮ સપ્ટેમ્બર દરમ્યાન સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા (પેટલાદ) માં ધો. ૧૧ નાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ તથા શ્રી. હસમુખ ક્રિશ્વિયને કાર્યશાળામાં સિત્તેરેક જેટલા તાલીમાર્થીઓને પત્રકારત્વની તાલીમ આપી મુદ્રિત માધ્યમમાં પ્રવેશવા માટે સજ્જ કર્યા હતા.