Tag Archives: Bakul Parmar

The Warmth of Humanity – Blanket distribution to needy and homeless in and around Anand.

#નાતાલની_અનોખી_ઉજવણી

” આણંદના તમામ ભિક્ષુકોને ધાબળાની હૂંફાળી ભેટ ”

ઇસુ મસીહાના જન્મ ટાણે ઉજવાતા ” નાતાલ પર્વ ” ની ઉજવણીને સમાજલક્ષી બનાવવાની મંશા દાખવી આણંદ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાત તથા કઠલાલના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પડ્યા રહેતા નિરાધારોને ભીષણ ઠંડીમાંથી ઉગારી લેવાની સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા જે કટિબદ્ધતા દાખવવામાં આવી છે તેણે સમાજના વિવિધ વર્ગો તથા સંપ્રદાયો પર સારી એવી છાપ છોડી છે.

” અમને આપો ઉછીનું દુ:ખ ” જેવા સંવેદાત્મક મુદ્રાલેખ સાથે માનવ સેવાના મેદાનમાં ઉતરેલી આ સંસ્થાએ તા-30/12/2016 ની મધ્યરાત્રિના 11:00 થી સવારના 3:00 દરમિયાન આણંદના વિવિધ વિસ્તારો જેવા કે વિદ્યાનગર થી જનતા ચોકડી, ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી, 100 ફૂટનો રોડ, ગ્રિડ ચોકડી, નવા બસસ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, મહાવીર માર્ગ,ગુજરાતી ચોકડી, રેલવે સ્ટેશન, ગોધરા પ્લેટફોર્મ, સુપર માર્કેટ, ગામડી વડ, બેઠક મંદિર, જલારામ મંદિર, ટાઉન હોલ વગેરે સ્થળોએ ખુલ્લામાં સુતા ભિક્ષુકોને સંસ્થાના ટ્રસ્ટી બકુલ પરમાર તથા તેમની સાથે સ્વૈચ્છિક સેવા માટે જોડાયેલા ઉર્વીશ પટેલ, હર્ષ પટેલ અને રોનક પરમાર દ્વારા ધાબળાઓ ઓઢાડવામા આવ્યા હતા.

ભીખ માંગીને જીવન બસર કરનાર ભિક્ષુકો કાતિલ ઠંડીમાં ગરમ ઓઢણને અભાવે જિન્દગી થી હાથ ધોઈ બેસે છે તે જોતાં ધાબળની આ હૂંફ ઘણાના જીવન ઉગારી લેશે તેવી શ્રદ્ધા ઘણાએ વ્યક્ત કરી હતી.

છેલ્લા બે વર્ષથી ચાલતી આ માનવતા લક્ષી પ્રવૃત્તિને સમાજના વિવિધ વર્ગોનો આર્થિક સહકાર મળી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે માનવતાને વધાવતા માનવો હજુ પણ હયાત છે. નાત જાત કે ધર્મના ભેદભાવોથી પર રહેલો આ સેવાયજ્ઞ અનેકો માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે જેનો સઘળો શ્રેય માનવતા લક્ષી કાર્યોમાં કોઇપણ ભોગે કોઇપણ પ્રકારે પોતાનું યોગદાન આપનારાં ને ફાળે જાય છે.

હસમુખ ક્રિશ્ચિયન

સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ.

31/12/2016.

Blankets for the homeless – Help us to help others – St. Paul Manav Vikas Kendra did it again.

किसी के वास्ते हो तेरे दिल में प्यार…. जीना ईसीका नाम है। #75_ભિક્ષુકોને_ધાબડાની_હૂફ

તારીખ 24/12/2016 ની મધ્યરાત્રિએ જગત આખું મુક્તિદાતા ઇસુના જન્મના વધામણાંમા મશગુલ હતુ બરાબર એ જ ઘડીએ સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદના ટ્રસ્ટી શ્રી બકુલ પરમાર તથા K. M. Patel Institute of physiotherapy Karamsad ના વિદ્યાર્થીઓએ આણંદ રેલવે સ્ટેશનેથી કડકડતી ઠંડીમાં #સેવાનો_પરમયજ્ઞ શરૂ કર્યો હતો.

છત કે ઓઢણની અછતને કારણે ફુટપાથ કે અન્ય સ્થળોએ ખુલ્લામાં પડ્યા રહેતા લગભગ 75 જેટલા નિરાધારોને ધાબડા ઓઢાડવામા આવ્યા હતા. ભીષણ ઠંડીમા નબળી સ્થિતિ ને કારણે ઘણાને ખુલ્લામાં રાત ગુજારવી પડતી હોય છે જેને કારણે કેટલાક ને જીવ પણ ગુમાવવો પડે છે. પ્રસ્તુત બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા ગત વર્ષે શક્ય તેટલા નિરાધારોને માનવતાની હુંફ પુરી પાડવાનુ નક્કી કરવામાં આવેલુ જેને લઇને લોકોએ મોકળે હાથે આર્થિક સહયોગ આપેલો પરિણામે 350 જેટલા ભિક્ષુકો ને નાતાલ પર્વ દરમિયાન ધાબડા ઓઢાડવામા સફળતા મળેલી.

ચાલુ વર્ષે પણ માનવતાને મહેકાવતા દાતાશ્રીઓ આ પુણ્યશાળી કાર્ય માટે આગળ આવ્યા છે જેમના આર્થિક સહયોગ ને કારણે પ્રથમ તબક્કામાં75 જેટલા ભિક્ષુકો ને ધાબડા ઓઢાડવામા સફળતા મળી છે જો કે હજુ લાબી મજલ કાપવાની છે.

પ્રસ્તુત અભિયાનમાં જોતરાયેલા તમામ નેકદીલો ને અભિનંદન એવં આભાર

– હસમુખ ક્રિશ્ચિયન સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ

akul

 

St. Paul Manav Vikas Kendra organized an employment fair for disable under “DDUGJY”

સેંટ પૉલ માનવ વિકાસ કેન્દ્ર દ્વારા અપંગો માટે રોજગાર ભરતી મેળો યોજાયો.

 

તારીખ 25/9/2016 ને રવિવારના રોજ પેટલાદ મરિયમપુરા ફાધર ગોરસ હોલ ખાતે અપંગ યુવક યુવતીઓ માટે રોજગારલક્ષી ભરતી મેળો હતો. સવારે 11:00 કલાકે સેંટ પૉલ માનવ વિકાસ કેન્દ્ર આણંદના પ્રમુખશ્રી હસમુખ ક્રિશ્ચિયન, શ્રી બહુજન વિકલાંગ ટ્રષ્ટ પેટલાદના પ્રમુખશ્રી, કૃષ્ણ હોસ્પિટલ કરમસદના ફીઝીયો વિભાગના શ્રી બકુલ પરમાર, સેંટ મેરીઝ મરિયમપુરાના શ્રી શૈલેષ મેકવાન તથા સૌથી ઓછી ઊંમર ધરાવતા વિકલાંગ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત આયોજીત આ ભર્તીમેળામાં લગભગ 50 વિકલાંગોએ ભાગ લીધો. છેલ્લા ઘણા વર્ષોથી શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફીઝીયો થેરાપી વિભાગમાં સેવા આપતા શ્રી બકુલ પરમાર દ્વારા સરકારશ્રીની વિકલાંગો માટેની વિવિધ યોજનાઓની માહીતી સૌને આપવામાં આવી હતી ત્યારબાદ youth 4 jobs ના અલ્પેશભાઇ દ્વારા વ્યવસાયલક્ષી તાલીમ તથા જરૂરી લાયકાત ઉપરાંત ભવિષ્યના લાભો વિષેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બપોરના 2:00 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં કૅથોલિક ચર્ચ મરિયમપુરા દ્વારા જગ્યા ઉપરાંત તમામ વિકલાંગો માટે નાસ્તો પુરો પાડી પોતાનું યોગદાન આપ્યું હતું.

14484694_1788241921460483_5278182468584645328_n

14445457_1115303358548983_1979205870_n 14080865_1115303345215651_61472106_n 14470817_1115303498548969_1418034150_n 14458870_1115303325215653_1632533851_n 14454723_1115303318548987_2030178031_n 14445560_1115303511882301_1712188250_n

Report and pictures by Mr. Hasmukh Christian