“નારૂકોટના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પત્રકારત્વ શિબિર યોજાયો”.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામા આવેલ નારૂકોટની ‘ પિલુ મોદી ‘ હાઈસ્કૂલ ખાતે તારીખ 25 તથા 26 નવે, 2016 દરમિયાન બે દિવસનો પત્રકારત્વ શિબિર યોજાયો હતો જેમાં ધોરણ 9 તથા 10 ઉપરાંત ITI ના વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.
યાત્રાધામ પાવાગઢથી બોડેલી સુધી પથરાયેલા આ આદિવાસી પટ્ટામાં આવેલા અંતરિયાળ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકી નથી તેમ છતાં મુદ્રિત કે વિજાણું માધ્યમોમાં આ વિસ્તારની સમસ્યાઓ એવં ઘટનાઓ યોગ્ય પ્રમાણમાં સ્થાન પામતી નથી તેથી યુવાવર્ગને આ માટે પ્રશિક્ષિત કરી સમાજની સમસ્યાઓને વાચા આપવાની નૈતિક જવાબદારી સોંપવામાં આવે કે જેથી માધ્યમોના ઉપયોગ થકી સમાજની સુખાકારી વધારી શકાય તેવો ઉમદો આશય પ્રસ્તુત લેખન શિબિરના આયોજન પાછળનો હતો.
વિદ્યાર્થીઓ માટે ક્ષમતા વર્ધક ગણાતા આ શિબિરનુ સંચાલન મીડિયા એજ્યુકેશન ક્ષેત્રે કામ કરતી ‘ રિશ્તા ‘ સંસ્થાના Hasmukh Christian તથા Ratilal R Jadav દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આયોજનની જવાબદારી ડોન બોસ્કો દ્વારા સંચાલિત ‘ પિલુ મોદી ‘ હાઇસ્કૂલ નારૂકોટના આચાર્ય ફાધર પ્રવિણે સંભાળી હતી.