Tag Archives: Fr. William

શાંતિ નિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ ખાતે ૧૧ ના છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન.

 

શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 


સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારના ઊંડાણનાં ઝંખવાવ ગમે આવેલી આ શાળા આદિવાસી કિશોર કિશોરીઓનાં ભણતર માટે એક વરદાન રૂપ છે. શાળાનું જાહેર પરીક્ષઓનુ પરિણામ લગભગ સો ટકા હોય છે. આ શાળામાંથી આજ સુધીમાં સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં પ્રગતિ કરી છે. શાળામાં અનેકવિધ પૂરક પ્રવૃતિઓ દ્વારા જીવન ઘડતર થાય છે ને એ રીતે આવતીકાલના દેશપ્રેમી અને સામાજિક નિસબત ધરાવતા નાગરીકો ઘડાય છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાનું પ્રદાન અનોખું છે. આધુનિક પાદ્ધાત્તિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. શાળામાં દ્રશ્ય શ્રાવ્ય પ્રોગ્રામો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે ને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. શાળાનો સ્ટાફ બહુ જ નિષ્ઠા પૂર્વક સેવા બજાવે છે જે શાળાની સફળતા પાછળનું રહસ્ય છે.

 

 
તા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન રિશ્તા સંસ્થા દ્વારા ધો ૧૧ નાં છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને કલમ રૂપી શક્તિશાળી હથિયાર તેમના હાથમાં મૂકવામાં આવ્યું હતું જેથી તેમને નડતી સમસ્યાઓ સામે તેઓ પોતાનો અવાજ ઉઠાવે ને પોતાના વિસ્તારની સુખાકારીની જવાબદારી અદા કરે.

 

ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું.
શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 

ખોટા સરનામાંથી સાવધ રહીએ ! – ફાધર વિલિયમ

ખોટા સરનામાંથી સાવધ રહીએ !

 

                     ૧૪ મી ઓક્ટોબરેશ્રદ્ધાનું વર્ષ”  નો આરંભ કરાયો. વિવિધ પેરીશોમાં તેનું ઉદઘાટન કરાયું એક વધુ પ્રકારના વર્ષની અન્ય ઉજવણીઓમાં ઉમેરાઈસરસ !

 

                 અગાઉ નડીઆદમાં મીરીયમ વર્ષની પૂર્ણઆહૂતીનો વિધિ રાખવામાં આવ્યો હતો જેમાં માં બીશપ તથા ફાધરોસિસ્ત્તરો તથા વિશાલ કેથોલિક મતવલમ્બિઓન સમૂહોએ ભાગ લીધો. સરસ !
                
હવે થોડા દિવસો બાદ આણંદખાતે અને .ગુજરાતમાં બાઈબલ અધિવેશનો ની ઉજવણીઓ થશે. સરસ !
               
ફાધર ઇગ્નાસની કથાના કાર્યક્રમો પણ ચાલુ છે. સરસ !
              
ભક્તિ કાર્યક્રમોમાં જનાર એટલા માટે જાયછે કારણ તેમને કહેવામાં આવે છે ને તેઓ બધા   દ્રદ્ધપણે   માને છે  કે અહી ભગવાન હાજર હોય છે ને તેમને આશીર્વાદ આપશે ને તેમની બધી માગણીઓ ને અરજો સ્વીકારશે વગેરે વગેરે
         
પ્રસંગે મને એક ઘટના યાદ આવી જાય છે ને તે કહ્યા વગર ચેન પડશે નહિ. હકીકતે ભગવાન ઈસુના ઉપદેશ તથા તેમના શિક્ષણની સાચી સમજ વિસારે નાં પડે માટે ઘટના (અને જોક માનો તો જોક) જાણવી જરૂરી લાગે છે. તો સાંભળો ત્યારે

 


                     
એક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. તો ત્યાં ગયો કથાકીર્તન, ભજનમંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ. તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી  ઉઠ્યોભગવાન tએક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. તો ત્યાં ગયો કથાકીર્તન, ભજનમંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ. તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી  ઉઠ્યોભગવાન તું તો ખરો  છેતું  રહે  છે ક્યાં ને એડ્રસ  આપે  છે ક્યાંનું !  

 

તો ચાલો ફરીથી યાદ કરી લઈએ

 

 જ્યાં પ્રેમને રહેમ ત્યાં () આપણા પ્રભુજીનો વાસ રે! બીજે ક્યાંય નહિ.

 

 ફાધર વિલિયમ (રિશ્તા

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી………….

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

 

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

ગાંધી વિચારમંચ, વિદ્યાનગર ખાતે પીઢ ગાંધીવાદી શ્રી. નારાયણ દેસાઈનું પ્રવચન.

ગાંધી વિચારમંચ – વિદ્યાનગર


વિદ્યાનગર તો એક બીજું ઓક્ષફર્ડ છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહિ સારા ભારતમાંથી અને વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એમાંના મોટા ભાગના ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો અહીં રહેતા ને ભણતા હોય છે. એ વરસો દરમ્યાન તેમને ગાંધીજી વિષે કંઈક જાણવાનું મળે અને તેમના જીવનમાં ગાંધી વિચારસરણી અને ગાંધી મૂલ્યોનો સંચાર થાય એ શુભ ધ્યેયને વરીને અમે કેટલાક મિત્રોએ વિદ્યાનાગરમાં ગાંધી વિચારમંચ સ્થાપવાનો વિચાર કર્યો. અમારા વિચાર અંને નિર્ણયને બધેથી ઘણો આવકાર મળ્યો. એના ઉદઘાટન માટે ગાંધીજીના ખોળામાં રમેલા એવા પીઢ ગાંધીવાદી શ્રી નારાયણ દેસાઈને વિનંતી કરી કે તેઓ આવે ને મંચનું ઉદઘાટન કરી ઉપસ્થિત યુવાનો અને યુવતીઓને પ્રેરણાત્મક ઉધ્બોધન કરે. તેઓને અમારો વિચાર બહુ જ ગમ્યો અને અમારું આમંત્રણ સ્વીકારી વિદ્યાનગર પધારી યુવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે અને ગાંધીજી વિષે તેમના અભ્યાસકાળ દરમ્યાન વધુ જાણે અને તેમની વિચારસરણી જીવનમાં અપનાવે એવું બહુ જ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. ગાંધી વિચારમંચ સાથે જોડાયેલા મિત્રો આ મંચ દ્વારા યુવાવર્ગને વિદ્યાનગર છોડે તે પહેલા ગાંધી મૂલ્યોનું ભાથું બાંધી આપવા ઈચ્છે છે.

 

 

 

‘જનપથ’નું વાર્ષિક અધિવેશન – સપ્ટેમ્બર ૨૯ ૨૦૧૨

 ‘જનપથ’નું વાર્ષિક અધિવેશન    

 

‘જનપથ’ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટ વર્ક છે. તેની સાથે લગભગ ૨૦૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે. ૨૫ સાલ પહેલાં તેની સ્થાપના થઇ હતી. ફાધર વિલિયમ તેના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. ‘જનપથ’ ગ્રાસરૂટ પર કામ કરતી નાની નાની સંસ્થાઓ તથા કર્મશીલોને પ્રોત્સાહન તથા ટેકો આપી તેમને સબળ અને અસરકારક બનાવે છે તથા વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તા 29 સપ્ટેમબરે ગુજરાત વિદ્યાપીઠમાં  તેની વાર્ષિક સામાન્ય સભા યોજાયી હતી જેમાં અન્ય રાજ્યોમાંથી નિમંત્રિત કરેલા કર્માંશીલોએ માહિતી અધિકાર, અન્ન સુરક્ષા ધારો, જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર વિશેની તેમની કામગીરી, મુશ્કેલીઓ તથા વિવિધ અનુભવો વિષે રસપ્રદ માહિતી પીરસી સહુને પ્રોત્સાહિત કર્યા  હતા.

 

ભગવાન ઈસુએ માનવ્બંધુની જે સમજ   આપી છે તેને અપનાવી લઇને  ફાધર વિલિયમ જરૂરીયાત મંદો માટે કામ કરતા સહુની સાથે સહકાર આપે છે ને તેમની સંગાથે રહીને સેવા કરે છે. એટલે તો   તેઓ આ પ્રકારના નેટવર્કમાં જોડાયેલા છે ને બધે સ્વીકાર્ય બન્યા છે. તેમને પોતાના સાંપ્રદાયિક માળખામાં ભરાઈ રહીને કામ કરવું ગમતું નથી.પરંતુ ગરીબ-પીડિત-વંચિત માટે કામ કરતા શુભ ભાવનાવાળા સહુ કોઈની સાથે મળીને લોકસેવા કરવી  ગમે છે ને એવો અભિગમ તેમણે અપનાવ્યો છે. આપના સહુ કેથોલિક માતાવ લામ્બીઓ પણ એવો અભિગમ અપનાવે તો આપણને બીજાઓ તરફથી ઘણું માન મળશે એવું તેમનું માનવું છે કારણ એવો તેઓએ અનુભવ કર્યો છે.