ખોટા સરનામાંથી સાવધ રહીએ !
૧૪ મી ઓક્ટોબરે “શ્રદ્ધાનું વર્ષ” નો આરંભ કરાયો. વિવિધ પેરીશોમાં તેનું ઉદઘાટન કરાયું એક વધુ પ્રકારના વર્ષની અન્ય ઉજવણીઓમાં ઉમેરાઈ. સરસ !
આ અગાઉ નડીઆદમાં મીરીયમ વર્ષની પૂર્ણઆહૂતીનો વિધિ રાખવામાં આવ્યો હતો જેમાં માં બીશપ તથા ફાધરો–સિસ્ત્તરો તથા વિશાલ કેથોલિક મતવલમ્બિઓન સમૂહોએ ભાગ લીધો. સરસ !
હવે થોડા દિવસો બાદ આણંદખાતે અને દ.ગુજરાતમાં બાઈબલ અધિવેશનો ની ઉજવણીઓ થશે. સરસ !
ફાધર ઇગ્નાસની કથાના કાર્યક્રમો પણ ચાલુ જ છે. સરસ !
આ ભક્તિ કાર્યક્રમોમાં જનાર એટલા માટે જાયછે કારણ તેમને કહેવામાં આવે છે ને તેઓ બધા દ્રદ્ધપણે માને છે કે અહી ભગવાન હાજર હોય છે ને તેમને આશીર્વાદ આપશે ને તેમની બધી માગણીઓ ને અરજો સ્વીકારશે વગેરે વગેરે
આ પ્રસંગે મને એક ઘટના યાદ આવી જાય છે ને તે કહ્યા વગર ચેન પડશે નહિ. હકીકતે ભગવાન ઈસુના ઉપદેશ તથા તેમના શિક્ષણની સાચી સમજ વિસારે નાં પડે એ માટે આ ઘટના (અને જોક માનો તો જોક) જાણવી જરૂરી લાગે છે. તો સાંભળો ત્યારે …
એક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. એ તો ત્યાં ગયો કથા–કીર્તન, ભજન–મંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ.એ તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર આ ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી ઉઠ્યો “ભગવાન tએક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. એ તો ત્યાં ગયો કથા–કીર્તન, ભજન–મંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ.એ તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર આ ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી ઉઠ્યો “ભગવાન તું તો ખરો છે! તું રહે છે ક્યાં ને એડ્રસ આપે છે ક્યાંનું !
તો ચાલો ફરીથી યાદ કરી લઈએ
” જ્યાં પ્રેમને રહેમ ત્યાં (જ) આપણા પ્રભુજીનો વાસ રે! બીજે ક્યાંય નહિ.