‘જનપથ’નું વાર્ષિક અધિવેશન – સપ્ટેમ્બર ૨૯ ૨૦૧૨

 ‘જનપથ’નું વાર્ષિક અધિવેશન    

 

‘જનપથ’ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટ વર્ક છે. તેની સાથે લગભગ ૨૦૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે. ૨૫ સાલ પહેલાં તેની સ્થાપના થઇ હતી. ફાધર વિલિયમ તેના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. ‘જનપથ’ ગ્રાસરૂટ પર કામ કરતી નાની નાની સંસ્થાઓ તથા કર્મશીલોને પ્રોત્સાહન તથા ટેકો આપી તેમને સબળ અને અસરકારક બનાવે છે તથા વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તા 29 સપ્ટેમબરે ગુજરાત વિદ્યાપીઠમાં  તેની વાર્ષિક સામાન્ય સભા યોજાયી હતી જેમાં અન્ય રાજ્યોમાંથી નિમંત્રિત કરેલા કર્માંશીલોએ માહિતી અધિકાર, અન્ન સુરક્ષા ધારો, જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર વિશેની તેમની કામગીરી, મુશ્કેલીઓ તથા વિવિધ અનુભવો વિષે રસપ્રદ માહિતી પીરસી સહુને પ્રોત્સાહિત કર્યા  હતા.

 

ભગવાન ઈસુએ માનવ્બંધુની જે સમજ   આપી છે તેને અપનાવી લઇને  ફાધર વિલિયમ જરૂરીયાત મંદો માટે કામ કરતા સહુની સાથે સહકાર આપે છે ને તેમની સંગાથે રહીને સેવા કરે છે. એટલે તો   તેઓ આ પ્રકારના નેટવર્કમાં જોડાયેલા છે ને બધે સ્વીકાર્ય બન્યા છે. તેમને પોતાના સાંપ્રદાયિક માળખામાં ભરાઈ રહીને કામ કરવું ગમતું નથી.પરંતુ ગરીબ-પીડિત-વંચિત માટે કામ કરતા શુભ ભાવનાવાળા સહુ કોઈની સાથે મળીને લોકસેવા કરવી  ગમે છે ને એવો અભિગમ તેમણે અપનાવ્યો છે. આપના સહુ કેથોલિક માતાવ લામ્બીઓ પણ એવો અભિગમ અપનાવે તો આપણને બીજાઓ તરફથી ઘણું માન મળશે એવું તેમનું માનવું છે કારણ એવો તેઓએ અનુભવ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.