The Catholics from Sri Lanka, Goa, Mangalore, Gujarat, Tamil Nadu, Kerala and other parts of Indiawould celebrate this event with their priests.
This is a first ever effort made to bring all Indian and Sri Lankan Catholics under one umbrella. Fr. Antony and his team has organized a cultural mass and get together in which you will find all different ethnic attire, different language speaking Indians, different food tests with one thing in common – children of God. We will all be together praising God, knowing each other, sharing thoughts and making new friends. So please come and join us with your family and friends
SO please mark the date in your calendar and be there.
“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” માટે તા. ૨૬ જુલાઈ, ૨૦૧૪ને શનિવારનો દિવસ યાદગાર બની રહ્યો. બ્રુકલિનસ્થિત ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનીટીનાં સક્રિય આગેવાન શ્રીમતિ સપના ગાંધીના પરિવાર તરફથી તેઓના નિવાસસ્થાને “ભજનસંધ્યા” યોજવા ભાવભર્યું નિમંત્રણ મળ્યું હતું. છેલ્લા છએક મહિના અગાઉથી તેઓનો ઉમળકાભર્યો આગ્રહ હતો કે, તેઓના નિવાસસ્થાને “ભક્તિ સંધ્યા” યોજાય! સંસ્થાના પ્રમુખશ્રી શાન્તિલાલ પરમારે આમંત્રણનો સ્વીકાર કરીને સંસ્થાના ૪૦ સભ્યો અને સ્થાનિક ૩૦ ઉપરાંત ભાવિકોએ સાંજના ૬:૩૦ કલાકે પ્રાર્થનાથી ભક્તિસંધ્યાનો આરંભ કર્યો હતો.
‘પવિત્ર ગુલાબમાળાની ભક્તિ”ના પાંચમાથી બે અંગ્રેજીમાં અને ત્રણ ગુજારાતીમાં જપમાળા ભક્તિમય રહી. દર દશકે ઈસુના પૂજ્ય હૃદયને શરણે ખાસ વિનંતી રજૂ કરવામાં આવતી હતી. ‘બાઈબલ વાંચન’ અને તેના ઉપર શ્રી શાંતિલાલ પરમારનો મનનીય-માહિતીપ્રદ વાર્તાલાપ સૌને ગમ્યો હતો. આજની “ભજન સંધ્યા” માટે પ્રાર્થનાઓ અને ભજનોની આકર્ષક ખાસ પુસ્તિકા સંસ્થાના આજીવન સભ્ય અને યુવાન કાર્યકરશ્રી અમિત મેકવાને તૈયાર કરીને સમૂહને ઉપયોગી યોગદાન આપ્યું હતું. એક પછી બીજું, તેમ અનેક ભજનો સમૂહમાં તથા ભજનિક ગાય, અને સમૂહ ઝીલે, તેવા ભક્તિરંગમાં રંગાઈને ઝૂમતાં અને ગરબાના તાલે ઘૂમવામાં શ્રીમતી કોકિલા ફ્રેન્કે સૌમાં ઉત્સાહ પૂર્યો હતો. રિધમમાં ‘હાર્મોનિયમ’ પર શ્રી. જગદીશ ક્રિશ્ચિયને રંગ જમાવ્યો હતો. તબાલાં અને ઢોલક પર સર્વશ્રી કેતન ક્રિશ્ચિયન, રજની અને અમિત મેકવાન તથા રોનાલ્ડ મેકવાન અને જેમ્સ જખાર્યાએ તાલબધ્ધ સંગત આપીને ભક્તિસંધ્યાને યાદગાર બનાવી હતી.શ્રી જોસેફ પરમારે આભારવિધિ કરી હતી. સ્વાદિષ્ટ વાનગીઓના ભોજનને માણીને ભક્તિનો બીજો દોર પણ ભાવપૂર્ણ અને ઉત્સાહી બની રહ્યો. સર્વશ્ર્રી. લિનસ ટેલર, બકુલ ફ્રેન્ક, પ્રવિણ ટેલર અને બ્રુલકિનસ્થિત ઘણા શુભેચ્છકોને શ્રીમતી સપના ગાંધી, તેમની દીકરી રાની ગાંધી અને તેમની બહેનો સેલિના અને લીનાએ નિમંત્રીને પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો.
The International Symposium on BECOMING THE BODY OF CHRIST: TOWARDS EUCHARISTIC COMMUNION was held on
11 & 12 July 2014
at
Marymatha Major Seminary, Trichur, Kerala.
Rev. Dr Errol D’Lima, Professor Emeritus, Pontifical Athanaeum, Pune delivered the Inaugural Paper and
Prof. Dr Joris Geldhof from the Faculty of Theology, Catholic University, Leuven, Belgium delivered the Keynote Paper.
Six other eminent scholars approached the theme from various perspectives through their main
papers.
The below eight people from Gujarat participated in this even.
1. Shri Kanubhai D. Parmar, Vice-President
2. Shri Rameshbhai Peter Dabhi, Retd. Govt. of Gujarat Employee
3. Shri Ramesh P. Christie, Samaj Kalyan Adhirkari
4. Ramanbhai Maganbhai Parmar, Retd. Gujarat Govt. employee
5. James John Macwan, Baroda Corporation officer
6. Paul Luis, Retd. University Officer
7. Pravin K. Makwan, Central Govt. Sale Tax Officer
8. Smt. Pushpaben Balvantbhai Parmar, Gujarat Govt. Officer
Mr. Kanubhai Parmar was invited to lit up a candle during this event.
કૃતિ મૂલ્યાંકન : મોહન પટેલ, જોસેફ મેકવાન, પુરુરાજ જોષી, સુરેન્દ્ર આસ્થાવાદી, નરેન્દ્રકુમાર પરમાર જેવા સાક્ષરોની કલમે પરખાયું ને પોંખાયું છે.
પારિતોષિક-પુરસ્કાર : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન આયોજિત સ્વ. સરસ્વતીબેન વિઠ્ઠ્લરાય શ્રીમાળી દલિત-વાર્તાસ્પર્ધામાં સર્વ પ્રથમ પસંદગી પામનાર ‘ધારો’ વાર્તાને રૂ।. ૩૦૦૦/- (ત્રણ હજાર) નું ઈનામ મળ્યું છે.
નિર્ણાયક હતા : સુપ્રતિષ્ઠિત વાર્તાસર્જક શ્રી. માય ડિયર જયુ, શ્રી. મનોજ પરમાર જે ‘દલિત ચેતના’ના સામ્પાદક છે – એ સામયિકના માધ્યમથી આ લખનારે શ્રી. રમણ નડિયાદીને ફોર્મ સાથે અભિનંદન પાઠવ્યા.
આ જ રાહે વાર્તાકારને ‘દૂત’ માસિકની વાર્તાસ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું છે.
જોસેફ મેકવાનને આ ઉછરતા લેખક મળવા ગયા ત્યારે અનેકવિધ કામોમાં વ્યસ્ત છતાં બધું કોરાણે ઠેલી વા-ર-તા વાંચવા બેસી ગયા અને પછી બોલ્યા : ‘રમણ! તેંય મારી જેમ ઘણું નૈયણે કર્યું છે. દોસ્ત! તને મારી એ સલાહ છે, તું કદી ફિસું સખતો-લખતો નહીં. શબ્દ વડે સત્યની ધાર કાઢતો રહેજે. તું જરૂર ફત્તેહ થઈશ. – તારા વર્તાસંગ્રહની પ્રસ્તાવના હું જ લખીશ.’
પણ આ વરદાન-વચન પૂરું થાય એ પૂર્વે જોસેફ જિસસના પ્રશસ્ત પંથે હાલી નીકળ્યા! દર્શાનાતુર રમણ મેકવાન પાર્થિવ દેહના દર્શને પહોંચ્યા ત્યારે જોસેફભાઈએ, ફરમાયેશથી ગાયેલા ગીતની પંક્તિ મનમાં રણઝણી ધમધણી ઊઠી : ‘મોંઘેરા થઈને મારા મનમાં વસો…’
‘સોનેરી માછલીનો સળવળાટ’ ગુ.આ. અકાદમીના એવોર્ડ સમારંભમાં વર્તાસર્જક શ્રી. પુરુરાજ જોષીને પહેલી વાર દીઠા. પછી સર્જક વિવેચક શ્રી. મણિલાલ હ. પટેલના કાવ્યપઠન પ્રસંગે રૂ-બ-રૂ થવાનું બન્યું. થોડા વખત ‘પારણું’વા-ર-તા જ સરળ સ્વભાવના જોષીજીને બતાવી, તેવે પુરુજી બોલિય, ‘મને તો લાગે છે કે અમારી જ લાગણીનો પડઘો આ વાર્તામાં તેં પાડ્યો છે. રમણભાઈ આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે.
સલાહ પણ મજાની આપેલી આ ઉપમા સાથે, ‘સુથાર લાકડા પર રંધો મારતો રહે છે તેથી લાકડું વધુ લીસુ બને છે તેવું લેખકનું કર્મ છે.
પરંતુ સાચું લેખનકર્મ તો સિત્યોતેરની મોટી વયે ટટ્ટાર બેસી કરતા મુરબ્બી ડૉ. સુરેન્દ્રભાઈ આસ્થાવાદીને નીરખી ગાંધીજી ચિત્તમાં ઝબૂકી ગયા!
‘અસ્મિતા અભિવર્ધક સાહિત્ય અભિયાન’ના કર્મશીલ આ સ્થાપકને મળવા ગયા તો વાર્તાલાપના અંતે સેવા સોંપી બોલ્યા, ‘નવોદિતો માટેની વાર્તાસ્પર્ધાના નિર્ણાયક બની અમને સહયોગ આપવાનો છે.
ચહેરાની રોનક કરતાં આકર્ષક વાકપટુતા ધરાવતા, પોસ્ટની પાણી પાતળી નોકરીમાં ગુજારો કરતા શ્રી. ઈસુભાઈ દભાણિયાનું જીવનચાયન રૂ-બ-રૂ થઈ જુઓ તો લાગે કે રંક જીવન વેઠતા આ અમીર દિલી જીવ નવોદિત ચાહક લેખકોના ધાડાંને પણ પડ્યા પાથર્યા રહેવાની સુવિધા આપે છે. પરિણામે, સાંપ્રદાયિક હોવાની ઈસુભાઈને ઈમેજ ભુંસાઈ ગઈ અને પારદર્શકતાના પરિવેશમાં રમણભાઈની વાર્તાઓને નાણીનાણી પ્રોત્સાહનથી નવપલ્લવિત કરી.
નડિયાદી રમણ શોખથી વાંસળી પણ વગાડી જાણે છે. તેમને, તેમની પોતાની વાર્તાઓ કઈ ગમે છે? એમ પૂછાય તો ઉત્તર મળશે : ‘ધારો’ અને ‘ઢાળ’. આ સાક્ષર ‘ઢાળ’ ચઢીને આવે અને ‘નિજાનંદ’ ખાતર પણ ‘સમાજોત્થાન’ સાથે વાર્તા-કાવ્યક્ષેત્રે પ્ર-ગતિ સાધે એવી અપેક્ષા તેમણે જરૂર ઊભિ કરી છે. તે મંથન-શીલ છે કેમ કે રમણભાઈએ ‘મંથન’ પત્રિકાનું સમ્પાદન પણ કર્યું છે.