વડાધર્મગુરૂ ફ્રાન્સિસ ધોષિત “લગ્ન અને પરિવાર વિષયક પરિપત્ર” – પ્રેમનો આનંદ (Amoris Latetitia) ના આધાર પર, સપ્ટેમ્બરની ૧૮ તારીખે પાવન હ્રદય “દૂત” આણંદ દ્વારા “પારિવારિક પ્રેમનું મહિમાગાન “ વિષય પર દૂત-પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રસિધ્ધ પત્રકાર, લેખક અને બ્લોગર શ્રી. ઉર્વીશ કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું.
“પારિવારિક પડકારો”
“લગ્નભંગ સમસ્યા”
”પારિવારિક જીવનનો અનુભવ”
ઉપર જણાવેલા મુખ્ય ત્રણ વિષય પર સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બધા જ વિચારો અને પરિવારપ્રેમ, પારિવારિક પ્રશ્નો-પડકારો-પ્રવાહ પરની પ્રામાણિક ચર્ચા-ચિંતનથી હાજર બધા સંતૃપ્ત થયાનો અભિપ્રાય જાણવા મળ્યો હતો. આવા સુંદર પરિસંવાદના આયોજન બદલ આયોજકો ઘન્યવાદને પાત્ર છે.
આ પ્રસંગે “દૂત”ના માનદ તંત્રી ફાધર ડો. વિનાયક જાદવે બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આ વક્તવ્યને પત્રિકા રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ પત્રિકા ઈમેલ દ્વારા મળી છે જે વાંચવા ઉપર ના પિક્ચર પર ક્લિક કરો.
Please click on the below image to read the entire Pope Francis’ new apostolic exhortation, Amoris Laetitia (The Joy of Love), released April 8, 2016 to Bishops, Priests, Deacons, Consecrated persons persons, Christian Married couples and all the lay faithful on LOVE IN THE FAMILY.