Tag Archives: Dr. Kurien
ઈરમા દ્વારા ડૉ. વર્ગીસ કુરિયનના દરેક જન્મ દિવસે વ્યાખાનમાળાનું આયોજન કરશે – નવેમ્બર ૨૬, ૨૦૧૨.
ડો. વર્ગીસ કુરિયનની સફળતાનું રહસ્ય શું હતું? – શ્રી. નવીન મેકવાનનો લેખ ગુજરાતી સાપ્તાહિક્માં
શ્વેતક્રાન્તિના પ્રણેતા સ્વ. ડો. કુરિયનની જીવન-ઝાંખી તેમનાં થોડા પિક્ચર સાથે.
નીચેનાં બધાં પિક્ચર સરદાર ગુર્જરી, નયા પડકારમાંથી આભારસહ લીધેલાં છે.
એકાદ-બે ગુગલ પરથી પણ મેળવ્યાં છે.
ભાઈ શ્રી સિરિલભાઈ પરમાર જેઓ અમૂલમાં કામ કરે છે એમનો સંદેશો – જે કોઈ સ્વ. ડો. કુરિયનને શ્રધ્ધાંજલી આપવા માગતા હોય તે નીચેના ઈમેલ પર પોતાનો શોકસંદેશો મોકલી શકે છે.
tribute@amul.coop
નવેમ્બર ૨૬ ૨૦૧૧ ના રોજ ઊજવતા ૯૦ મો જન્મદિવસ
ઉપરના પિક્ચરમાં સ્વ. શ્રી. જવાહરલાલ નહેરુની પાછળ સ્વ. શ્રી. ઈન્દિરા ગાંધી છે અને ડો. કુરિયનની બાજુમાં હાથમાં લાકડીવાળા સ્વ. શ્રી. મોરારજી દેસાઈ છે.
આણંદ, ગુજરાત, ભારત અને દક્ષિણ એશિયાની શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. કુરિયનનો દેહાંત – સપ્ટેમ્બર ૦૯ ૨૦૧૨.
Birth: November 26, 1921. Death: September 09, 2012
ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્વેતક્રાન્તિ ના પ્રણેતા ડો. કુરિયનનું આજે આણંદમાં દેહાંત થયું છે. મૂળ કેરાલાના ડો. વર્ગીસ કુરિયન જેઓ પૂરી દિનિયામાં તેમણે સર્જેલી શ્વેતક્રાન્તિ માટે જાણીતા હતા અને આ દુનિયા હશે ત્યાં સુધી ઈતિહાસ યાદ કર્યા જ કરશે. વધુ માહિતી માટે ફરી મુલાકાત લેવા વિનંતી.
માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ – ઉપરના પિક્ચરમાં જે ઊભા છે તે.
ડો. કુરિયનની નાદુરસ્ત તબિયતના કારણે એમને નડિયાદની મુળજીભાઈ (કિડની) હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સપ્ટેમ્બરની ૯ તારીખે વહેલી સવારે ૧ઃ૧૫ કલાકે એમનું નિધન થયું. આજે સવારે ૫ વાગે એમના પાર્થિવ શરીરને આણંદ એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં એમને આખરી સન્માન આપવા લોકોની કતાર લાગી છે. આપણા કનુભાઈ એમની નીકટ હતા તો એ પણ પહોંચી ગયા એમના નિવાસસ્થાને અને લઈ આવ્યા નીચેની તસવીરો. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની મૌલી કુરિયન અને પોતાની દીકરી અને પોતાના પોત્રને છોડી ગયા છે.