Tag Archives: શ્વેતક્રાન્તિ

આણંદ, ગુજરાત, ભારત અને દક્ષિણ એશિયાની શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. કુરિયનનો દેહાંત – સપ્ટેમ્બર ૦૯ ૨૦૧૨.

Birth: November 26, 1921.        Death: September 09, 2012

ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્વેતક્રાન્તિ ના પ્રણેતા ડો. કુરિયનનું આજે આણંદમાં દેહાંત થયું છે. મૂળ કેરાલાના ડો. વર્ગીસ કુરિયન જેઓ પૂરી દિનિયામાં તેમણે સર્જેલી શ્વેતક્રાન્તિ માટે જાણીતા હતા અને આ દુનિયા હશે ત્યાં સુધી ઈતિહાસ યાદ કર્યા જ કરશે. વધુ માહિતી માટે ફરી મુલાકાત લેવા વિનંતી. 

માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ – ઉપરના પિક્ચરમાં જે ઊભા છે તે.

 

ડો. કુરિયનની નાદુરસ્ત તબિયતના કારણે એમને નડિયાદની મુળજીભાઈ (કિડની) હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સપ્ટેમ્બરની ૯ તારીખે વહેલી સવારે ૧ઃ૧૫ કલાકે એમનું નિધન થયું. આજે સવારે ૫ વાગે એમના પાર્થિવ શરીરને આણંદ એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં એમને આખરી સન્માન આપવા લોકોની કતાર લાગી છે. આપણા કનુભાઈ એમની નીકટ હતા તો એ પણ પહોંચી ગયા એમના નિવાસસ્થાને અને લઈ આવ્યા નીચેની તસવીરો. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની મૌલી કુરિયન અને પોતાની દીકરી અને પોતાના પોત્રને છોડી ગયા છે.

 

[wppa type=”slide” album=”8″ align=”center”]Any comment[/wppa]