Tag Archives: Diocese of Ahmedabad

Dharmsetu September 2018 – ધર્મસેતુ સપ્ટેમ્બર ૨૦૧૮

અમને જણાવતાં આનંદ થાય છે કે હવેથી અમદાવાદ ધર્મપ્રાંતનું ત્રિમાસિક સમાચારપત્ર “ધર્મસેતુ” સૌ મિત્રો અહીં વાંચી શકશે. આ સાથે સપ્ટેમ્બરનો અંક સામેલ છે. 

Dharmsetu September 2018 – ધર્મસેતુ સપ્ટેમ્બર ૨૦૧૮

Please click on the image to read.

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad.

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad. Gurjarvani provided a live streaming of this ceremony on Saturday, April 14, 2018 from Nadiad, India. So here you go for those who could not be present at the ceremony and who could not see it live. Also several pictures of the event from Fr. Ashok Vaghela’s Facebook page.

બિશપ રત્ના સ્વામી આજે અભિષીક્ત થઈને અમદાવાદ ધર્મપ્રાંતનું ” રત્ન ” બનશે.
સાક્ષરભૂમિ નડિયાદ એક ઐતિહાસિક ઘડીની સાક્ષી બની રહી છે છેલ્લા લાંબા સમયથી અમદાવાદ ધર્મપ્રાંત જે ભલા ભરવાડની રાહ જોઈ રહ્યો હતો તે ધાર્મિક હસ્તી બિશપ રત્ના સ્વામી અત્યારે હઝારો શ્રદ્ધાળુઓ તથા સન્યાસ્ત જનોની હાજરીમાં પદગ્રહણ કરી રહ્યા છે તો ચાલો તેમના જીવનની એક લટાર મારી લઈએ.
તેમનો જન્મ 13/02/1961 ના રોજ તમિલનાડુના કન્યાકુમારી ખાતે થયો હતો. એપ્રિલ 1980માં તેઓ પ્રથમવાર ગુજરાતના ખંભાત ખાતે ધર્મના નેજાહેઠલ માનવસેવાર્થ આવ્યા.
તેમની પુરોહિત દીક્ષા સ્વ. બિશપ ચાર્લ્સ ગોમ્સ દ્વારા 29 માર્ચ,1989 ના રોજ તેમના વતન કન્યા કુમારી ખાતે સંપન્ન થઈ હતી. 1989 – 90 દરમિયાન તેમને સાણંદ ખાતે મુકવામાં આવ્યા. અહીં તેમણે વંચિતો માટે સરકારશ્રી દ્વારા અનુદાનિત સેંટ ઝેવિયર્સ સ્કૂલની સ્થાપના કરી જે હાલ ફૂલીફાલી છે. સ્કૂલ કામ પરવારીને તેઓ ગામડાઓ ખૂંદતા ને મોડી રાત્રે પરત ફરતા. આ સ્કૂલમાં તેમણે આચાર્ય તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો.
1991 – 93 ના અરસામાં તેમને અમદાવાદ ખાનપુર ખાતે આવેલી સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. આ અરસામાં એટલે કે 1992 ની આસપાસ આણંદ નજીક ચાવડાપૂરમાં નવી શાળા શરૂ થઈ તેને યોગ્ય ગતિ બક્ષવા માટે 1993 થી 1994 દરમિયાન તેમને ચાવડાપૂર મુકવામાં આવ્યા.
1994 – 1998 ના સમયગાળામાં કાઉન્સીલીગના અભ્યાસ અર્થે તેમને રોમ મોકલવામાં આવ્યા. પરદેશમાં સફળતા પૂર્વક અભ્યાસ સંપન્ન કરીને સ્વદેશ આવી 1994 – 98 દરમિયાન અમદાવાદ ” શ્રદ્ધા ” ખાતે ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ ધર્મપ્રાંતમાંથી પુરોહિત બનવા જોડાયેલા બ્રધરોના રેક્ટર તરીકે આરૂઢ થયા. આ એ સમયગાળો હતો કે જેમાં અમદાવાદના નરોડા ખાતે અસામાજિક તત્વો દ્વારા દેવળ તોડી પાડવામાં આવ્યું હતું પરિણામે લોકો નિરાશ થઈ ગયા હતા. ફાધરે ત્યાં જઈને લોકોની આશા જીવંત રાખવાનું ચાલુ કર્યું. પ્રથમ લોકોના ઘરની પરસાળમાં પરમપૂજા કરવાનું શરૂ કર્યું. ચોમાસામાં વરસાદને કારણે પરસાળમાં મિસ કરવાનું અગવડભર્યું બનતા પોલીસ પાસે પરવાનગી લઈને તૂટેલા દેવળમાં પ્રાર્થના કરવાનું આરંભ્યું. આજે નરોડાની ધાર્મિક અને સામાજિક પ્રગતિના મૂળમાં આ કહાની સમાયેલી છે.
2002 – 2012 એટલે કે એક આખો દાયકો તેમણે નડિયાદ પસ્ટોરલ સેન્ટરના કમ્પાઉન્ડમાં આવેલ સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકે ગળ્યો ને ત્યારબાદ 2012 થી 2017 દરમિયાન સેવાસી વડોદરા ખાતે આવેલ ” ગુજરાત વિદ્યાદીપ ” (GVD) ખાતે તેમને ધર્મપ્રાંતિય બ્રધરોના રેક્ટર તથા સ્પિરિચ્યુલ ડાયરેકટર ની બેવડી જવાબદારી નિભાવી.
આધ્યાત્મિકતા અને ગરીબોના ઉદ્ધારનો ધ્યેય રાખનાર ફાધર રત્નાસ્વામી ને 29/1/2018 ના રોજ સાંજે 4:30 કલાકે વેટિકનથી અમદાવાદ ધર્મપ્રાંતના બિશપ તરીકે જાહેર કરાયા હતા જેની વિધિવત ઘોષણા માન્યવર મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન દ્વારા પસ્ટોરલ સેન્ટર નડિયાદ ખાતે કરવામાં આવી હતી.
– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “


Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Palm Sunday 2018 – Message by Fr. Ashok Vadhela S.J.

Holy Thursday 2018 – Message by Fr. Vinayak Jadav S.J.

Good Friday 2018 – Message by Archbishop Thomas Macwan

Holy Saturday 2018 – Message by Fr. Ashok Vadhela S.J

Easter 2018 – Message by Fr. James B. Dabhi S.J.