જીવનનાં ૭૫ વરસ પૂરાં કરવા બદલ માનનીય ફાધર વિલિયમ ને ખૂબ ખૂબ અભિનંદન ૧૦-૧૧-૧૨ નવેમ્બર ૧૦, ૨૦૧૨.

ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે તારીખ છે ૧૦-૧૧-૧૨ અને જોગાનુજોગ આવો સંયોગ દર હજાર વરસે જ આવે. આજના જ દિવસે ગુજરાતના માનાનીય ફાધર વિલિયમ પોતાના જીવનાનાં ૭૫ વરસ પૂરાં કરે છે એ પણ અનન્ય જોગાનુજોગ છે. ઈશ્વરને પ્રાર્થના કે ફાધરને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય બક્ષે જેથી ગુજરાતના માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા કરતા રહે અને સામાજિક સંવાદિતતા પ્રસરાવતા રહે. આ પ્રસંગે વાંચો ફાધર વિલિયમનો પોતાનો સંદેશ.

 

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે. ઈશ્વર પિતાએ મને સુસ્વાસ્થ્યની અણમોલ ભેટ આપી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. એણે મને અનેક ભેટોથી જીવનમાં નવાજ્યો છે. તેમાં એક મોટી ભેટ આ છે.: બીજાઓની ધાર્મિક માન્યતાઓ પ્રતિ માન અને સન્માન. મારા હિંદુ-મુસ્લિમ બધા મિત્રોએ મારી આવી ભાવનાની વારંવાર કદર કરી છે ને મને બહુ આદર પણ આપે છે. ઈશ્વર પિતાની આ અમૂલ્ય ભેટને કારણે આજે હું ઈશ્વરનાં દર્શન ચોપાસ બધે કરી શકું છું ને એમ ઈશ્વરના દર્શનની મારી ક્ષિતિજ વિસ્તરી છે. આ કિંમતી ભેટને કારણે ગુજરાતમાં સામાજિક સંવાદિતા સર્વત્ર પ્રગટે એ માટે આરંભાયેલ અભિયાનનો હું એક હિસ્સો બની શક્યો છું ને આ. મોરારી બાપુ સાથે રહીને મારી ભૂમિકા ભજવી ઝુંબેશમાં મારું પ્રદાન કરી શકું છું. આદરણીય શ્રી મોરારી બાપુનો મને ગાઢ પરિચય થયો તેના લીધે આપણી પ્રવૃતિઓ વિષે તેમને સાચી માહિતી આપીને આપણા પ્રત્યે સદભાવના પણ પેદા કરી શક્યો છું ને તેમની સાથે મૈત્રી કેળવી છે. આ સાથે કેટલીક તસ્વીરો મૂકું છું તેમાં જેસુઈટ ફાધર રૂડી હેરેડીઆ, લેન્સ્ય લોબો, આર્ચ બીશપ સ્ટેની ફર્નાન્ડીસ, મદની શરીફ શેઠ (જમાતે ઇસ્લામ હિન્દ), સંજય-તુલા (વિશ્વગ્રામ) … ગુજરાતમાં કોમી સદભાવ પ્રગટે, પ્રસરે ને કાયમ માટે ટકી રહે એ માટે પ્રયત્નશીલ છે તે દેખાય છે. 
ફાધર વિલિયમ

જેસુઈટ સંઘના આદર્શો ને સિદ્ધાંતો વિષયે કાર્યશાળા – સેન્ટ વિન્સેન્ટ કોલેજ, પૂને

        

 

 

જેસુઈટ શૈક્ષણિક તેમજ  અન્ય સંસ્થાઓમાં સેવા બજાવતા કર્મચારીઓ જેસુઈટ આદર્શો અને જેસુઈટ સંઘના ઉદ્દેશથી પરિચિત થાય અને તેમના દ્વારા એ આદર્શો અને ઉદ્દેશો વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓમાં સિંચન થાય એવા શુભાશયે તાજેતરમાં પુને ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી જેસુઈટ ફાધરો અને કર્મચારીઓ મળીને લગભગ વીસેક જણે તેમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં  જેસુઈટ ફાધરો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

 

 

 

વર્કશોપનું સંચાલન અમેરીકન  મેનેજમેન્ટ  નિષ્ણાત  ક્રીસ લોઉંન્યે કર્યું હતું. તેઓ જેસુઈટ સંઘમાં જોડાયા હતા અને થોડા સમય બાદ સંઘને છોડી દઈ સંઘના સ્થાપક સંત ઇગ્નાસના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાની તેઓએ ઝુંબેશ ઉપાડી છે. તેઓ માને છે કે પ્રસ્તુત ઉદ્દેશો એટલા ઉમદા ને અસરકારક છે કે તે દ્વારા મહાન લીડરો અને સામાજિક પરિવર્તનના ઘટકો પેદા કરી શકાય છે.

 

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…