Category Archives: Obituary – અવસાન નોંધ

ફાધર ગોરોસકિયેતા – મરિયમપુરાના ભવ્ય દેવાલયના પ્રણેતા પરમપિતાના પરમ સાનિધ્યમાં – જુલાઈ ૦૩ ૨૦૧૨

Fr. Goros DOB: June 18, 1934. DOD: July 03, 2012 

 
 
૧૯૬૯ માં અમે મરિયમપુરા રહેવા ગયા. નવમા ધોરણમાં પ્રવેશ મેળવી સેંટ મેરિસ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરેલો. આજ સમય દરમ્યાન મરિમપુરાના સભાયાજ્ઞિક તરીકે ફાધર ગોરોસની નિમણૂક થયેલી. અને સિત્તેરના દાયકા દરમ્યાન ફાધર ગોરોસે આ જ સ્કૂલની કાયાપલટ કરી નાખી. જુનું દેવળ હતું ત્યાં હાઈસ્કૂલ માટે બાંધકામ શરૂ થયું અને અમે ૧૦-૧૧ આ નવા મકાનમાં ભણીને પૂરું કર્યું. આ સમય દરમ્યાન નવા દેવાલયના બાંધકામનું કાર્ય પર જોરશોરમાં ચાલતું હતું અને ૧૯૭૨માં આરોગ્ય માતાનું ભવ્ય દેવાલય તૈયાર થઈ ગયું. અને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી આ દેવાલય ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
 
ફાધર ગોરોસે ખાલી ઈંટ અને ઇમારતમાં રસ દાખવી ભવ્ય દેવાલય અને સ્કૂલનું નિર્માણ નથી કર્યું પણ ભક્તજનોમાં શ્રધ્ધાને પણ વધુ મજબૂત બનાવી. એમના સમયકાળ દરમ્યાન મરિયમપુરા અને એની આજુબાજુના વિસ્તારના ઘણા યુવા-યુવતિઓ સન્યાસ્ત જીવનમાં જોડાયા. જાણીતા કથાકાર ફાધર ઈગ્નાસ આ માટે એક ઉમદા ઉદાહરણ છે. સિસ્ટર કમળા, સિસ્ટર પુષ્પા, ફાધર ઈગ્નાસ સી. મેકવાન, ફાધર રમેશ પરમાર (થોડાં નામ યાદ છે જેના નામ નથી તેઓ માફ કરશો)
 
આજે ફાધર ગોરોસ આપણી મધ્યે હયાત નથી પણ આપણ બધા ખાત્રીપૂર્વક કહી શકીએ કે તેઓ ચોક્કસ પરમપિતાના સાંનિધ્યમાં બિરાજમાન છે. અને ગુજરાતના લોકોના દિલમાં પણ હંમેશ માટે બિરાજમાન હતા, છે અને રહેશે.
 
વધુ માહિતી – ફાધર લૉરેન્સ ધર્મરાજ       તથા                     ગુર્જરવાણી. 
 

 

 

 

 

રેવ. આશીર્વાદ કુંજરાવિયા સાહેબ ૧૦૧ વરસે આજે પ્રભુમાં પોઢી ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

 

હમણાં ૨૦૧૧ ડિસેમ્બરમાં જ રેવ. આશીર્વાદ કુંજરાવિયાએ ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી હતી. પણ આજે હવે એ આ દુનિયા મધ્યે નથી રહ્યા અને ઈશ્વરના દરબારમાં પરમશાંતિમાં પહોંચી ગયા છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે અને એમના પરિવારજનો અને મિત્રોને આ આઘાત સહન કરવા શક્તિ બક્ષે.

 

ફ્યુનરલની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સોમવાર જુલાઈ ૨જીએ સાંજે એમના પાર્થિવ શરીરને આખરી વખત નિહાળી એમની સાથે પ્રાર્થનાનો સમય ગાળવાની યોજના છે. સમય અને જગ્યા માટે ફરીએ મુલાકાત લેતા રહેજો. લગભગ કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં માહિતી એકત્ર કરીને અહીં રજૂ કરવામાં આવશે.

 

UPDATES: 

 

Viewing: Monday July 02, 2012 – 7:00PM to 9:00PM

Place: Christ United Methodist Church

               7th Avenue and 45th Street

               Brooklyn, NY 11220

 

Funeral Service: at the above location on Tuesday July 03, 2012 at 9:00AM

 

Burial : In Staten Island. Woodrow United Methodist Church Cemetary (Behind Church)

1075 Woodrow Road, Staten Island, NY 10312

Phone: 718-984-0148 (church office)

Inormation provided by: Mr. Joyel Merchant.

Mr. Yogeshbhai (Yogi) Mekwan passed away. May God rest him in peace.

 

Mr. Yogeshbhai (Yogi) Mekwan passed away on May 29, 2012.

 

His Funeral arrangement are as follow:

 

Vewing:   Thursday May 31, 2012 between 6:00PM to 9:00PM.

                  Ortiz Funeral Home, 5204 4th Avenue, Brooklyn, NY 11220

 

Funeral service will be held at 9:00AM on Friday, June 1st 2012

 

Burial at Rosedale cemetary, 355 Linden Avenue, Linden, NJ 07036

 

He is survived by his wife Hemlata Mekwan. May God rest him in peace and give strength to his friends and family.

શ્રી. દાઉદભાઈ આંદ્રેયાસ મેકવાનનું આજે મે ૨૯, ૨૦૧૨ ની બપોરે ૮૬ વરસની વયે નિધન

 
ન્યુ રવિકુંજ સોસાયટી, આણંદમાં વસતા શ્રી. દાઉદભાઈ આંદ્રેયાસ મેકવાનનું આજે મે ૨૯, ૨૦૧૨ ની બપોરે ૮૬ વરસની વયે નિધન થયું છે. આજે પોતાના નિવાસસ્થાને પડી જવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત સુધારા પર આવી હતી પણ અચાનક હ્રદયરોગનો તીવ્ર હુમલો આવતાં તેઓનું નિધન થયું. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની કાર્યકીર્દી જવાબદારીપૂર્વક પૂરી કરી તેઓ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મૂળ વલાસણના પણ પોતાની સાસરી કરમસદમાં રહીને પોતાના પરિવારનો ઉછેર કર્યો. તેઓએ પોતાના પત્ની સ્વ. માર્થાબેનના સહકારથી સાત બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને સમાજને સારા નાગરિક પૂરા પાડ્યા છે. ૧૯૭૯ માં મારા પપ્પા શ્રી.જોસેફ બેડા પરમાર અને સ્વ.શ્રી. સિમોન મેકવાન ની સાથે મળી બનાવેલી સોસાયટી, ન્ય રવિકુંજ સોસાયટી આણંદમાં રહેવા આવ્યા. તેઓ પોતાની પાછળ ચારા દીકરાઓ ડો. જયંત મેકવાન, હાલમાં જ નિવૃત થયેલા ચીફ એન્જીનિયર શ્રી. અરવિંદ મેકવાન, શ્રી, શશીકાંત મેકવાન, પ્રવિણ મેકવાન, તથા ત્રણ દીકરીઓ ઈન્દુબેન, ઊર્મિલા અને મીના તથા પૌત્ર-પૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. પ્રભુ ફુઆના આત્માને પરમ શાંતી બક્ષે અને સૌ પરિવારજનો અને મિત્રમંડળને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રાર્થના.
 
તેમની ફ્યુનરલ વિધિ ગુરુવાર મે ૩૧, ૨૦૧૨ ની સવારે ૮:૩૦ કલાકે રાખવામાં આવી છે.
સમાચાર – શ્રી. કનુભાઈ પરમાર, આણંદ
 
મારા પપ્પાનો શોક-સંદેશ
 
“અમારા મુરબ્બી, કરમસદ સંબંધે જિજાજી અને વ્યવસાય અને સમાજ સંબંધે આદર્શ મિત્ર અને વિશ્વાસુ સાથીદારના સ્વર્ગવાસ થયાના સમાચારથી દુ:ખ થયું. એક ઉત્તમ પિતા અને સાચા કેથલિક શ્રધ્ધાળુ તરીકે ગુજરાતી કેથલિક કોમ્યુનીટીના એક અગ્રેસર વડીલ અને પ્રેરણાસ્રોત તરીકે સમાજને ઘણું આપ્યું છે. ચાર દીકરા અને ત્રણ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીને સાત સાત સુખી પરિવારો સમાજને આપનાર પાયાના માનવી, એટલે દાઉદભાઈ! સ્વ. માર્થાબેન અને તેઓનું સમગ્ર જીવન પરિશ્રમ અને ઉચ્ચ આદર્શોને ચરિતાર્થ કરીને જીવનાર દંપતિ મારાં તો સદાય આદર્શ રહ્યાં છે! પ્રભુ તેમના આત્માને શાંતિ અને પરિવારને દિલાસો બક્ષે, તેવી પ્રાર્થના!”
શ્રી. જોસેફ બેડા પરમાર.  
Mr. Daud A. Macwan with his family

Mr. Shantilal Daniel Parmar of Anand, passed away on April 01, 2012.


Mr. Shantilal Daniel Parmar from 4-Jeevan Deep Society, St. Xavier’s School Road, Anand, passed away on April 01, 2012. He was MA, LLB and worked as an officer in Union Bank of India till he retired form it on October 31, 2011. His daughter Ria, M.Sc. got married on December 28, 2011. But soon after that cancer was detected and he was admitted to the hospital. He took his last breath at the Gujarat Cancer Institute in Ahmedabad. He was very active in church activities. He was busy in creating corpus for Catholic children along with the Parish priest of Anand Fr. Abert Delgardo.  
 
He is survived by his wife Madhuben (sister of well-known Gujarati Catholic community leader and businessman Mr. Vijay Kalyanbhai Parmar), daughter Ria and son Shramik (Netherland). May God rest him in peace and give comfort to his family.