Tag Archives: ફાધર વિલિયમ

‘જનપથ’નું વાર્ષિક અધિવેશન – સપ્ટેમ્બર ૨૯ ૨૦૧૨

 ‘જનપથ’નું વાર્ષિક અધિવેશન    

 

‘જનપથ’ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટ વર્ક છે. તેની સાથે લગભગ ૨૦૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે. ૨૫ સાલ પહેલાં તેની સ્થાપના થઇ હતી. ફાધર વિલિયમ તેના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. ‘જનપથ’ ગ્રાસરૂટ પર કામ કરતી નાની નાની સંસ્થાઓ તથા કર્મશીલોને પ્રોત્સાહન તથા ટેકો આપી તેમને સબળ અને અસરકારક બનાવે છે તથા વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તા 29 સપ્ટેમબરે ગુજરાત વિદ્યાપીઠમાં  તેની વાર્ષિક સામાન્ય સભા યોજાયી હતી જેમાં અન્ય રાજ્યોમાંથી નિમંત્રિત કરેલા કર્માંશીલોએ માહિતી અધિકાર, અન્ન સુરક્ષા ધારો, જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર વિશેની તેમની કામગીરી, મુશ્કેલીઓ તથા વિવિધ અનુભવો વિષે રસપ્રદ માહિતી પીરસી સહુને પ્રોત્સાહિત કર્યા  હતા.

 

ભગવાન ઈસુએ માનવ્બંધુની જે સમજ   આપી છે તેને અપનાવી લઇને  ફાધર વિલિયમ જરૂરીયાત મંદો માટે કામ કરતા સહુની સાથે સહકાર આપે છે ને તેમની સંગાથે રહીને સેવા કરે છે. એટલે તો   તેઓ આ પ્રકારના નેટવર્કમાં જોડાયેલા છે ને બધે સ્વીકાર્ય બન્યા છે. તેમને પોતાના સાંપ્રદાયિક માળખામાં ભરાઈ રહીને કામ કરવું ગમતું નથી.પરંતુ ગરીબ-પીડિત-વંચિત માટે કામ કરતા શુભ ભાવનાવાળા સહુ કોઈની સાથે મળીને લોકસેવા કરવી  ગમે છે ને એવો અભિગમ તેમણે અપનાવ્યો છે. આપના સહુ કેથોલિક માતાવ લામ્બીઓ પણ એવો અભિગમ અપનાવે તો આપણને બીજાઓ તરફથી ઘણું માન મળશે એવું તેમનું માનવું છે કારણ એવો તેઓએ અનુભવ કર્યો છે.

કરૂણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર – પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન

કરૂણા નિકેતન હાઇસ્કુલ, બાલાસિનોર

 

 

ફાધર તાઈતાસ ડીકોસ્તાના આચાર્યપદે ચાલતી બલાસીનોરસ્થિતકરૂણા નિકેતન હાઈસ્કુલ એક નમૂનેદાર શાળા છે. અહી માત્ર અક્ષરજ્ઞાન નહિ પરંતુ તેની સાથે સાથે છાત્રોનું જીવન ઘડતર  થાય છે. આ શુભ ધ્યેયને સતત લક્ષ્યમાં રાખીને તેને અનુરૂપ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી દેશ માટે આવતી કાલના દેશપ્રેમી અંને જવાબદાર તથા સામાજિક નિસબત હૈયે ધરાવતા નાગરીકો ઘડાય.  

 

 

શાળાના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક બધા જ કર્મચારીઓ આ બાબતે સભાન છે અંને સહકાર પૂર્વક કામ કરે છે. શાળામાં ચાલતી એન એસ એસ પ્રવૃતિઓ પણ આ ધ્યેયને વરેલી હોઈ કેવળ ચીલાચાલુ નહિ પણ અર્થપૂર્ણ  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તાજેતરમાં આ સંદર્ભે પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંચાલન રિશ્તા સંસ્થાએ સંભાળયુ હતું ને ૬૦ જેટલા છાત્રોને પ્રિન્ટ મીડીઅમાં પ્રવેશી સમાજની સુખાકારીની જવાબદારી ઉઠાવવા માટે પડકાર ફેંક્યો હતો.બધા તાલીમાર્થીઓએ એ પડકાર ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો.  

      

 

 

 

 

 

 

 

કરૂણા નિકેતન હાઇસ્કુલના આચાર્ય તથા સહુ કર્મચારીઓને આપણાં આભિનંદન તથા તેમના મિશનને સફળતા સાંપડે એ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ !

 

-ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયન (રિશ્તા)

શ્રી. મનોજ મેકવાનની સી ડી એસ સંસ્થાના બ્યુટી પાર્લર “લા બેલા”નું ઉદઘાટન ફાધર વિલિયમના હસ્તે.

 

આજે ગણેશ ચતુર્થી પર્વે સી ડી એસ (કમ્યુનીટી ડેવેલોમેનટ સોસાયટી )સંચાલિત “લા બેલા” નામે એક બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યો હતો. સી ડી એસ સંસ્થા અલ્પેશ સોસાયટી (પધારિયા) વિસ્તારમાં આવેલી છે. તેના પ્રણેતા મનોજ મેકવાન છે. મનોજભાઈ યુવાવયે આશાદીપ, વિદ્યાનગર સાથે ઘનિષ્ઠ  ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા હતા આને ઘણી બધી યુવાપ્રવૃતિઓમાં ભાગ લેતા હતા જેને કારણે તેમનું વ્યક્તિ ઘડતર આબાદ રીતે થયેલું છે. બાળપણમાં તેમને ગરીબીનો ખાસ્સો એવો આનુભવ થયેલો જેને કારણે મોટા થયે ગરીબો વંચિતો ને જરૂરિયાતમંદો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈછા અને મહત્વાકાંક્ષા જાગી હતી આજે તેઓ ઉપરોક્ત સંસ્થા ચલાવે છે. સંસ્થામાં નાત જાત ધર્મ કે લીન્ગભેદ રાખ્યા વિના તે ગરીબ-વંચિત વર્ગોની યુવતીઓ માટે વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરી તેમના હાથોમાં રોજીરોટી કમાવાનું આવડતરૂપી સાધન આપે છે. કમ્પ્યુટર શિક્ષણ, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, આંગણવાડી વગેરે પ્રકારની આવડત કેળવવા તેઓ વર્ગો ચલાવે છે જેમાં હિંદુ- મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ તાલીમ લેવા આવે છે ને તાલીમ બાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરીને સારી એવી કામણી કરી સ્વમાની બને છે. તેમની સાથેના વર્તાલાપામાં જાણવા મળ્યું કે તાલીમ લીધેલી યુવતીઓ ૧૦ આંગણવાડીઓ ચલાવે છે ને કેટલીક યુવતીઓએ પોતાના બ્યુટી પાર્લર શરૂ કર્યા છે. સી ડી એસની આગવી ખાસિયત એ છે કે વિવિધ કોમોની યુવતીઓ તાલીમ લેવા આવતી હોઈ તેમની વચ્ચે આત્મીયતા ને મૈત્રી જાગે છે ને કોમી સંવાદિતા પ્રગટે છે. એ રીતે મૂલવતા સી ડી એસ સંસ્થા સામાજિક સંવાદિતા પ્રગટાવવામાં એક ઘણું મહત્વનું પ્રદાન કરી રહી છે આ હેતુને લક્ષ્યમાં રાખીને સંસ્થા પ્રતિ વર્ષ નાતાલ-ધૂળેટી-ઈદ પર્વોની સામૂહિક ઉજવણીઓ કરે છે.

 

 

         ફાધર વીલીયમ સી ડી એસ સાથે નજદીકથી જોડાયેલા છે પ્રતિ વર્ષ રિશ્તા સંસ્થા તાલીમાર્થીનીઓ માટે પત્રકારત્વની શિબિર કરે છે ગઈ સાલ ૩૦ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ માટે રિશ્તા સંસ્થા દ્વારા મૌંટ આબુ ખાતે ત્રણ દિવસીય સર્વ ધર્મ સમભાવ તથા પત્રકારત્વ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાધર વિલિયમે ઉપસ્થિત રહીને રિબન કાપીને બ્યુટી પાર્લરનું ઉદઘાટન કર્યું હતું. ને ઈશ્વ્રરની આશિષો યાચી હતી. મનોજભાઈએ સામાજિક હિતને હૈયે ધરાવતા એવા સહુને માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનોજભાઈને આપણા સહુના હાર્દિક અભિનંદન તથા તેમના આ નવા સાહસને લાખ લાખ શુભેચ્છાઓ!

– ફાધર વિલિયમ

 

૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ‘રિશ્તા’ નો પત્રકારત્વ કાર્યશાળાનો કાર્યક્રમ કવાંટ ખાતે ડોન બોસ્કો હાઇસ્કૂલમાં યોજાઈ ગયો.

૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ‘રિશ્તા’ નો પત્રકારત્વ કાર્યશાળાનો કાર્યક્રમ કવાંટ ખાતે ડોન બોસ્કો હાઇસ્કૂલમાં યોજાઈ ગયો. આ વિસ્તાર લગભગ આદિવાસી વિસ્તાર છે. મહારાષ્ટ્ર અને મ.પ્ર.ની સરહદે આવેલ હોઈ વિકાસના બધા લાભોથી સાવ વંચિત રહી ગયો છે, હકીકતે તો વંચિત રાખી દેવામાં આવ્યો છે. અહી ઠેકાણે ઠેકાણે જુદા જુદા પ્રકારનાં પોસ્ટરો, પાટિયા, બોર્ડ જોવા મળે છે જેની ઉપર આદિવાસીને માટે સરકારે કેવી કેવી યોજનાઓ શરૂ કરી છે તેની જાહેરાતો કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાઓની તો ઠેર ઠેર જાહેરાતો કરી છે અંને આ યોજનાઓ હેઠળ બધાંજ ગામડાઓને સારા રોડ રસ્તાઓ, એસ ટી બસોની સગવડ, ૨૪ કલાક વીજળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ, પૂરતી સુવિધાવાળી પ્રાથમિક શાળાઓ, પૂરતા શિક્ષકો, બેસવાના ઓરડાઓ વગેરે પ્રકારની સુવિધાઓ સરકારે આદિવાસી પ્રજાને આપી છે એવી જાહેરાતોનો ઢગલો જોવા મળ્યો. પરંતુ જુદે જુદે સ્થળોએ ફરતાં જોયું તો વાસ્તવિકતા સાવ જુદી હતી. કવાંટ તો તાલુકા સ્થળ છે તેમ છતાં અહીં એસ ટી બસ સ્ટેન્ડ જ નથી ને ખાનગી વાહનોનો ઢગલો જોવા મળે છે. રોડ રસ્તાઓ ખાડા ટેકરાવાળા તૂટી ગયેલા છે. કેટલાયે ગામોમાં તો વાહન જવા આવવા માટે રોડની સગવડ છે જ નહીં. અમે ગયા ત્યારે વીજળી બંધ હતી. કવાંટ તો જ્યોતીગ્રામ જાહેર થયેલું છે અંને તાલુકા મથક છે! ટૂકમાં, સરકારની જાહેરાતોમાં કરેલ દાવો અંને વાસ્તવિકતાઓ વચ્ચે આભ જમીનનો ફેર જોવા મળ્યો.

આ પ્રકારનાં જુઠાણાઓને ઉઘાડા પાડવાની ઘણી જરૂર છે નહિ તો ક્યારેય આદિવાસીઓને વિક્જાસના લાભો મળાશ નહિ. ‘રિશ્તા’ સંસ્થા તેના પત્રકારત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આવી સભાનતા પ્રગટાવી તેમના હાથોમાં મુદ્રિત માધ્યમનું શક્તિશાળી હથિયાર આપે છે જેનો તેઓ સમાજની સુખાકારી માટે ઉપયોગ કરતા શીખે ને ઉપયોગ કરે. પ્રસ્તુત બે દિવસો દરમ્યાન પચાસેક જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પત્રકારત્વની તાલીમ આપવામાં આવી  અંને પોતાના ભણતરનો ઉપયોગ સમાજના હિતમાં અત્યારથી જ કરતા થાય એવી પ્રેરણા પૂરી પાડી.

તાલીમ કાર્યક્રમ અહીની જાણીતી ડોન બોસ્કો હાઇસ્કુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાળામાંથી છેલ્લાં દસ કે બાર વારસો દરમ્યાન સેકડોની સંખ્યામાં આદિવાસી કિશોર કિશોરીઓએ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ને આજે પગભર બન્યાં છે. ડોન બોસ્કોની દિશા  સંસ્થા દ્વારા ચોપાસના ગામોમાં પ્રાથમિક શાળાઓમાં ૧ થી ૪ ધોરણોમાં ભણતા બાળકો માટે રોજ પૂરક વર્ગો ચલાવવામાં આવે છે જેથી તેમનો પ્રાથમિક શિક્ષણનો પાયો માંજાબૂત બને અંને આગળ અભ્યાસ કરી શકે. હાઈ સ્કુલમાં પૂરી નિષ્ઠાથી શિક્ષણ કાર્ય કરતા સેવાભાવી શિક્ષક શિક્ષિકાઓને જોઈ ઘણો સંતોષ થયો. હાઇસ્કુલમાં લગાવેલ બોર્ડ પર વાંચ્યું તો જણાયું કે શાળાનું એસ એસ સી પરિણામ ૯૮ ટકાની આસપાસ રહ્યું છે ને ક્યારેક તો ૧૦૦ ટકા આવ્યું છે. નોધનીય હકીકત તો એ છે કે એ બધા આદિવાસી વિદ્યાર્થીઓ છે- રાઠવા ને ચૌધરી અટકો ધરાવતા! ડોન બોસ્કો હાઇસ્કુલના સંચાલકો,  આચાર્ય તથા શિક્ષકગણને સાચેજ અભિનંદન ઘટે છે.

‘રિશ્તા’ સંચાલિત પત્રકારત્વ કાર્યશાળા – સેન્ટ મેરિસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદ – સપ્ટેમ્બર ૭-૮, ૨૦૧૨

 

 

તા. ૭-૮ સપ્ટેમ્બર દરમ્યાન સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા (પેટલાદ) માં ધો. ૧૧ નાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ તથા શ્રી. હસમુખ ક્રિશ્વિયને કાર્યશાળામાં સિત્તેરેક જેટલા તાલીમાર્થીઓને પત્રકારત્વની તાલીમ આપી મુદ્રિત માધ્યમમાં પ્રવેશવા માટે સજ્જ કર્યા હતા.

માહિતી – રિશ્તા