The Diocese of Ahmedabad organized a Blind Walk Rally on World Sight Day – October 13, 2017. Similar rally was organized in Nadiad too.

૧૦૦ અમદાવાદીઓએ આંખે પટ્ટી બાંધી સમાજને નવો રાહ ચીંધ્યો.

આજે world blind WALK ના પ્રસંગે મહાધર્માંધ્યક્ષ માન્યવર થોમસ મેકવાની આગેવાની હેઠળ શરૂ થયેલ પ્રોજેક્ટ વિઝન-૨૦૧૭ અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમવાર blind walk નું આયોજન કરાયું હતું.

નેત્ર દાન પ્રતિ જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયે શરૂ કરાયેલ આ રેલીને સવારે ૧૦ કલાકે ગાંધીગ્રામ રેલવેસ્ટેશને થી જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર શીતલ શાહે ઝંડી બતાવીને રવાના કરી હતી.

૧.૩ કિમી અંતરની મજલ કાપીને માઉન્ટ કર્મેલ સ્કૂલ પહોંચેલી આ રેલીમાં ઓક્સિજન ફિલ્મની સમગ્ર ટીમ તથા અમદાવાદના રેડીઓ મીરચીના રેડિયો જોકી દૃવિત પણ હાજર રહયા હતા.

આ પ્રસંગે સ્વામી આધ્યાત્મનંદ, મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન,સિસ્ટર લુસી,ફિલ્મી હસ્તી શીતલ શાહ તથા ભક્તિ કુમાવતે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શીતલ શાહ તથા ભક્તિ કુમાવત સેન્ટ ઝેવિયર્સ તથા માઉન્ટ કાર્મેલમાં ભણ્યા હોવાથી પોતાના જીવનના પ્રસંગોને વાગોળ્યા હતા.

સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુરના આચાર્ય તથા આજની રેલીના સર્વેસર્વા ફાધર ટાઇટ્સ દ્વારા નેત્ર દાન બાબતે ઉપસ્થિત મેદનીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અંતે દુનિયામાં 100 વાર થી વધુ વખત રક્તદાન કરી ચૂકેલા ૧૦૨ જેટલા સેનચુરિયન રક્તદાતા ધારવવાનો વિશ્વ વિક્રમ જેને નામે છે તેવા અમદાવાદીઓએ પ્રસ્તુત રેલી પર સફળતાની મહોર મારી હતી.

– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “.

The below pictures are taken from Mr. Hasmukh Christian and Mr. Cyril Marin Macwan’s Facebook page.

[wppa type=”slide” album=”67″ align=”center”]Any comment[/wppa]

 

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

The below video is from Fr. Ashok Vaghela Facebook page.

A literary lecture “Vital of Suffering” (વ્યથાનાં વીતક) is organized by joint venture of Om Communication and Gujarat Sahitya Academy on 82nd birthday of Late Mr. Joseph Macwan.

આમંત્રણ :

ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત

નવલકથાકાર શ્રી. જોસેફ ઈગ્નાસ  મેકવાનના

૮૨-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન

‘વ્યથાનાં વીતક’

* ભૂમિકા:પદ્મશ્રી વિષ્ણુ પંડયા (અધ્યક્ષ,ગુજરાત સાહિત્ય અકાદમી)

* અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયાના વરદહસ્તે ‘સમાજમિત્ર’ઘ્વારા પ્રકાશિત વિશેષાંક ‘પીડિતોના પ્રહરી-વંચિતોની વાચા ‘: સર્જક જોસેફ મેક્વાન’નું લોકાર્પણ.

* જોસેફ મેકવાનનું જીવન-કવન:શ્રી ચંદ્રવદન મેક્વાન

* જોસેફ મેકવાનની સાહિત્યસૃષ્ટિ:મણિલાલ હ.પટેલ

તારીખ:૦૯ ઓક્ટોબર ૨૦૧૭,સોમવાર,સાંજે ૬-૦૦ કલાકે

સ્થળ:આત્મા હોલ(મીલ ઓનર્સ બિલ્ડીંગ ઓડિટોરિયમ),સીટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ.

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…