મૂળ મંજીપુરાના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા ડો. બીનાબેન મહીડા જ્યારે આણંદ આર્ટસ કોલેજના આચાર્ય પદે નિમાયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવતા ખૂબ જ આનંદ થાય છે. ઇશ્વર આપની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવા સહાય કરે એવી પ્રાર્થના.
આવો અને ફાધર એલેક્ષ વતન પાછા પ્રયાણ કરે તે પહેલાની એમના હસ્તે થનાર છેલ્લા પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. ફાધરે નવ વરસો સુધી આપેલી નિસ્વાર્થ સેવાનો આભાર માનવા અને એમના વતન પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં.