Mr. Travis DeSouza has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

June 05, 2018: Inspiring story today on world environment day-Mr. Travis DeSouza of Valsad, Gujarat has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

વરસાદી પાણીનો સંગ્રહ કરી સદઉપયોગ કરતો વલસાડનો પરિવાર – દિવ્ય ભાસ્કર નો અહેવાલ: 

વલસાડ: પાણી વિના જીવન અધૂરુ છે. જળ, વાયુ અને અગ્નિ આ ત્રણેય વગર કંઈપણ શક્ય નથી. પાણીની અછત હમણાં કેટલાય વર્ષોથી ગુજરાત સહિ‌ત અનેક રાજ્યોમાં વર્તાઈ રહી છે. જમીનમાં પાણીના સ્ત્રોતો શોષાઈ રહ્યા છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આબોહવામાં પણ પ્રદૂષણને લઈ આમૂલ પરિવર્તનો થઈ રહ્યા છે. જળ એજ જીવન છે, ત્યારે પાણીના એક એક ટીપાંનો સદઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ પણ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી આખુ વર્ષ ચલાવે છે

ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પાણી અંગે સર્જા‍ઈ રહેલી વૈશ્વીક તંગી સામે ભાવિ પેઢીની ચિંતા સેવતા વલસાડના એક પરિવારે આખું વર્ષ ઉપયોગમાં લેવાતા પાણી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરી નવી પહેલ કરી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા ઉત્સાહી યુવક ટ્રેવીસ ડિસોઝાએ મહામૂલા કુદરતી દેન સમા ગંગાજળ જેવા પવિત્ર જળનો સંગ્રહ કરવાની શરૂઆત 2000માં કરી હતી, જે આજ પય્ર્‍ાંત પણ ચાલુ જ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી ૧૯ વર્ષથી પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરે છે

વરસાદી પાણીનો સંગ્રહ કરનાર ડિસોઝા પરિવારના તમામ સભ્યો વરસાદની શરૂઆત થાય તે પહેલાં ૧૦-૧૨ દિવસ અગાઉ પાણી ઝીલવા માટેની પનાર, પીવીસી પાઈપ-ટાંકી, ટેરેસ અને વિલાયતી નળિયાની સાફ સફાઈ કરી વરસાદની રાહ જોતા હોય છે. જો કે પ્રથમ વરસાદ તોફાની હોય અને થોડું ઘણું પાણી ગંદુ હોવાથી તે પાણીનો સંગ્રહ કરતા નથી. ડિસોઝા પરિવાર પાણીનું મૂલ્ય સમજ્યો છે, ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવવા તેમણે ટેરેસ-અગાસીની પાઈપલાઈનને નીચે લાવી ટાંકામાં ઠાલવી દેવાની નવી પધ્ધતિ અપનાવી વર્ષે દહાડે ૬થી૮ હજાર લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી છેલ્લા ૧૯ વર્ષથી આજ પાણીનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરી રહ્યો છે.

વરસાદી પાણીના બચાવની નોંધ લેવાઈ

ડિસોઝા પરિવાર દ્વારા 16 વર્ષથી ચાલી રહેલા વરસાદી પાણીના બચાવ અભિયાનથી પ્રેરાઈને વલસાડના અનેક પરિવારો પણ આ પધ્ધિતી અપનાવી રહ્યા છે. દૂરદર્શન અમદાવાદને આ ઘટનાની જાણ થતાં તેમણે આ સમગ્ર પ્રક્રિયાનું શુટિંગ કરી પ્રસારણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વાસ્મોના પ્રકાશિત થતાં લોકસંવાદના અંકમાં પણ ડિસોઝા પરિવાર દ્વારા કરતા વરસાદી પાણીના બચાવ પ્રક્રિયાની નોંધ લેવાઈ હતી. વધુમાં ટ્રેવિસ ડિસોઝાને મુંબઈ મ્યુનિસિપલ ર્કોપોરેશને વરસાદી પાણીના બચાવની પ્રક્રિયા અંગેની વિગત જાણવા ખાસ આમંત્રણ પણ આપ્યું હતું. વલસાડમાં ડિસોઝા પરિવારની સામે રહેતા લંડનના એનઆરઆઈ પરિવારે પણ આ પ્રક્રિયાથી પ્રેરાઈને તેમણે લંડનમાં પણ આ પધ્ધતિ અપનાવી વરસાદી પાણીનો બચાવ કરી રહ્યા છે.

આગળ વાંચો, વરસાદી પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ- મધુર છે

ટ્રેવિસ ડિસોઝા જણાવે છે કે, મારો પુત્ર ડેન જન્મ્યો ત્યારથી વરસાદી પાણી પીએ છે. આ પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે. તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ અને મધુર લાગે છે. જો કે, વરસાદી પાણીને ડાયરેક્ટ પીવામાં ન લઈ શકાય. કેમ કે તેમાં બેક્ટેરિયાને દૂર કરવા જ પડે. અમે વરસાદી પાણીને ગરમ કરી ઠંડું પાડયા બાદ પીવામાં વાપરીએ છીએ. અહીંની જમીનમાં ક્ષાર અને ખનીજ તત્વ વિપુલ પ્રમાણમાં હોઈ સાંધાનો દુ:ખાવો તેમજ અન્ય પાણીજન્ય બિમારીઓ અનેક લોકોમાં જોવા મળે છે. મારા ફાધર-મધર નિવૃત જીવન ગાળી રહ્યા છે, તેઓ પણ આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી પગમાં કે સાંધાના દુ:ખાવા તેમજ અન્ય બિમારીથી દૂર રહી શક્યા છે.

રાષ્ટ્રીય જળસંપત્તિના બચાવ સાથે ઊર્જા‍ બચત

ટ્રેવિસ ડિસોઝાના માતા ડોરોપી જણાવે છે કે, ચોમાસામાં એકઠું કરેલું વરસાદી પાણી અમે બારેમાસ રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ. જેનાથી રસોઈ માટે વપરાતા રાંધણગેસમાં પણ બચત થાય છે. તુવેરની દાળ અને અન્ય કઠોળ રાંધવામાં સામાન્ય પાણીમાં જે સમય લાગે તેના કરતાં અડધા સમયમાં વરસાદી પાણીથી રસોઈ તૈયાર થઈ જાય છે. દાળ-ચોખા ઝડપથી ચઢી જાય છે અને મીઠા પણ લાગે છે. ખોરાકની ગુણવત્તા વધતાની સાથે ઊર્જા‍ની પણ બચત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.