Category Archives: Obituary – અવસાન નોંધ

Father S. Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday.

This picture is from Fr. William of "Rishta".
This picture is from Fr. William of “Rishta”.
Father S.  Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday. He was sick suffering for breathing Problem. He was admitted at Our Lady of Pillar Hospital, Baroda, since 15 days. Last week he was on Ventilator. His Funeral was held at Gamdi-Anand Church, more than 100 Priest, Bishop of Baroda and Gujarat Jesuit Provincial was present along with about 400 Friends and people of around Anand. He will be remembered for his valuable Services to our Youth and Poor people of Villages. He was working as a Director of Ashadeep Manav Vikash Kendra, Vallabh Vidyanagar for a long time. Personally I have lost a very good friend.

 

Thanks.
Vicky Macwan. USA

 

ફા. સેબાસ્ટિયન અમલરાજની પ્રાર્થનાસભા તા. ૨૧ મી સપ્ટેમ્બર રવિવારે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી છે. સ્થળ : આશાદીપ, વિદ્યાનગર …. શ્રી. રતિલાલ જાદવ (Facebook)  

Mr. Indrajit (Irvin) Christian passed away on September 14, 2014.

Indrajit Christian
Mr. Indrajit (Irvin) Christian from Naperville, IL passed away on Sunday evening, September 14, 2014. His legacy lives on through his father- Mr. Johnbhai, his wife-Kirti, his son-Priyesh, daughter in law-Yashica. Also, though his siblings, Florence Mathew, Rev. Walter Christian, Rajesh Christian, and Shailesh Christian. Please pray for the family at this time of loss.  Though the family knew this was going to happen and prepared themselves, it is still hard when it finally happened.

 

The funeral arrangements of Mr. Indrajit (Irvin) Christian are as follow:
The funeral will be held on Tuesday, September 16th at 2:00 pm
at Grace Pointe Church, 1320 E. Chicago Ave., Naperville, IL. and thereafter burial at 3:30pm at Naperville Cemetery.

 

Please join us for fellowship after at Grace Pointed Church.

 

He will truly be missed. Kindly uplift the entire family in your prayers.

 

Rest in peace!
News provided by Mr. Babu Varma.

 

The home became human-less, The nest is empty – बिछड़े सभी बारी बारी.

આલ્બર્ટ આમોદરાનું કુટુંબ જાણે સ્વર્ગના આગોતરા પ્રવેશપત્ર મેળવીને આવ્યા હોય એમ ૨૦ મહિનામાં એક પછી એક ચાર સભ્યો સ્વર્ગે સિધાયા.

Amodra Family

જન્મ લેતી દરેક વ્યક્તિનું મરણ તો નિશ્ચિત જ હોય છે. કોણ, ક્યારે, કેવી રીતે, ક્યા કારણે કે ક્યા સંજોગોમાં મરણ પામશે એ આપણે આગોતરા જાણી શકતા નથી. મરણ નિશ્ચિત હોવા છતાં આપણે બધા જ એનાથી ડરીએ છીએ. કોઈ આપણું પોતાનું મરણ પામે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. ભલેને તે વ્યક્તિ સામાન્ય જીવન મર્યાદા ભોગવીને મરણ પામે. પણ મરણ જ્યારે અચાનક, અકારણ, અકાળે, કે આકસ્મિત આવે ત્યારે સામાન્ય કરતાં વધારે દુ:ખ થાય એ સ્વાભાવિક છે. આપણે જે ખ્રિસ્તમાં માનીએ છીએ, એ જાણીએ છીએ કે પુનરૂત્થાનની પ્રભાતે આપણે બધા ભેગા મળવાના છીએ. છતાં આવા પ્રસંગો દરમ્યાન આપણી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા કંઈક અંશે ડગમગી જાય છે. હાલમાં આવી જ એક ઘટના ઘટી છે.

 

ભરૂચમાં રહેતા શ્રી. અલ્બર્ટ અને સ્મિતા અમોદરાનો એક નો એક દિકરો જે લંડન ખાતે અભ્યાસ કરી રહ્યો હતો એ ઑક્ટોબર ૨૦૧૨ માં પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેના મા-બાપ અને નાની બહેન તેના મૃત્યુના આઘાતમાંથી હજુ બહાર પણ નીકળ્યા પણ ન હતા ત્યાં તેમના જીવનમાં એક અજીબ ઘટના ઘટી.

 

જુલાઈની ૨૭ તારીખે રવિવારે સાંજે શ્રી. આલ્બર્ટ આમોદરા તેમની પત્નિ સ્મિતા અને દીકરી એલિના ભરૂચ તરફથી વડોદરા તરફ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની લાઈનમાં પોતાનું વાહન ચલાવી રહ્યા હતા પણ સામેની દિશામાંથી આવતું એક વાહન ડિવાડર તોડી તેમના વાહનને સામે મોંએ બરાબર જોરમાં ભટકાયું. શ્રી. આલ્બર્ટ અને તેમના પત્નીએ ઘટના સ્થળ પર જ પોતનો દમ તોડી દીધો. તેમની દીકરીને ગંભિર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવ્યા. જ્યાં ઓગસ્ટની ૪થી તારીખે મોત સાથેની લડાઈ હારીને પોતાના મા-બાપ પાસે પહોંચી ગઈ.

Alina Amodra

આમ બે વર્ષના ગાળામાં જ ચાર જણનું હસતું-ખેલતું કુટુંબ આ દુનિયા છોડી પરમેશ્વર પાસે પહોંચી ગયા. તો પ્રશ્ન થાય કે આ લોકોનું જીવન કોના પાપે, કોના દોષે આમ ટુંકાઈ ગયું? ફરી એકવાર પ્રભુ પરમેશ્વર પરની શ્રધ્ધા મજબૂત બનાવી મૃત આત્માઓને પરમ શાંતી મળે એવી પ્રાર્થના સિવાય આપણે બીજું શું કરી શકીએ. પરમપિતા તેઓના સગાં-સંબંધી અને મિત્રોને આ કારમો ઘા સહન કરવાની શક્તિ આપે.

 

આવી ઘટના બને ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણું મોત ગમે ત્યારે આવી શકે છે. તો જીવન એવી રીતે જીવવું કે આપણા મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ રાખે. પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીએ.

Mr.NMrs. Amodra

Mr. Timothy B. Vaghela passed away on July 24, 2014.

1Timothi Mama

 

સદ્દ્ગત શ્રી તિમોથી બી. વાઘેલા

 

પેટલાદ તાલુકાના આમોદ ગામના વતની, આમોદમાં માતાપિતા સાથે વસવાટ કરતાં એસ એસ સી પાસ કરીને જામનગર જિલ્લામાં જામનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમનાં ધર્મપત્ની ઈલિઝાબેથ પણ જામનગરમાં શિક્ષિકા તરીકે સાથમાં હતાં. કિશોરવસ્થામાં જ તિમોથીભાઈ ઉદ્દામવાદી વિચારો ધરાવતા હતા અને સમાજમાં એક તરવરિયા યુવાન તરીકે વિશાળ મિત્રવૃંદ ધરાવતા હતા. લાંબાગાળાથી કાઠિયાવાડી બોલીની સહજ લઢણમાં તિમોથીભાઈને સાંભાળવાનું ગમતું.

 

પંદરેક વર્ષ જામનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ જિલ્લા ટ્રાન્સફર મેળવીને ખેડા જિલ્લામાં આવ્યા અને ખંભાત શહેરમાં નિમણુંક મેળવી. ખંભાત શહેરના ૧૫૦ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો પૈકી શ્રી તિમોથીભાઈ સૌપ્રથમ ‘બજાજ સ્કૂટર’ વસાવીને તેમનાં પત્ની શ્રીમતી ઈલિઝાબેથને સ્કુટરસવારીથી કન્યાશાળામાં ઉતારીને પોતાની શાળામાં ટુ વ્હીલર લઈને જનાર તેઓનો પ્રભાવ અલગ છાપ ઊભી કરી હતી. સ્કુટર ઉપર ‘ઈલા-રાજ’ પેઈન્ટ કરાવીને તેઓએ આગવી ઓળખ ઊભી કરી હતી. ખેડા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લાફેર કરીને પોતાના દીકરા અશોક સાથે ગાંધીનગરમાં સ્થિર થયા. ગાંધી નગરથી પાંચેક માઈલ દૂરની શાળામાંથી ભવ્ય સન્માન સાથે નિવૃત્ત થયા. સને ૧૯૮૯માં ટુરીસ્ટ વિઝા મેળવીને અમેરિકામાં પાંચ મહિના રહ્યા. ૫૮ વર્ષની વયથી ૮૫ વર્ષનું આયુષ્ય સુખરૂપ અને ગૌરવથી જીવીને તેઓએ ફક્ત એક દિવસની હોસ્પિટલની સેવા લઈને પ્રભુના પ્યારા થયા!

 

એક ઉમદા માનવ, પ્રેમાળ પતિ, વાત્સલ્યસભર પિતા, દાદા અને કાર્યનિષ્ઠ સ્વ. તિમોથીભાઈને સ્નેહસભર શ્રધ્ધાંજલિ!

 

જોસેફભાઈ પરમાર અને પરિવાર.