Tag Archives: Smita Amodra

The home became human-less, The nest is empty – बिछड़े सभी बारी बारी.

આલ્બર્ટ આમોદરાનું કુટુંબ જાણે સ્વર્ગના આગોતરા પ્રવેશપત્ર મેળવીને આવ્યા હોય એમ ૨૦ મહિનામાં એક પછી એક ચાર સભ્યો સ્વર્ગે સિધાયા.

Amodra Family

જન્મ લેતી દરેક વ્યક્તિનું મરણ તો નિશ્ચિત જ હોય છે. કોણ, ક્યારે, કેવી રીતે, ક્યા કારણે કે ક્યા સંજોગોમાં મરણ પામશે એ આપણે આગોતરા જાણી શકતા નથી. મરણ નિશ્ચિત હોવા છતાં આપણે બધા જ એનાથી ડરીએ છીએ. કોઈ આપણું પોતાનું મરણ પામે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. ભલેને તે વ્યક્તિ સામાન્ય જીવન મર્યાદા ભોગવીને મરણ પામે. પણ મરણ જ્યારે અચાનક, અકારણ, અકાળે, કે આકસ્મિત આવે ત્યારે સામાન્ય કરતાં વધારે દુ:ખ થાય એ સ્વાભાવિક છે. આપણે જે ખ્રિસ્તમાં માનીએ છીએ, એ જાણીએ છીએ કે પુનરૂત્થાનની પ્રભાતે આપણે બધા ભેગા મળવાના છીએ. છતાં આવા પ્રસંગો દરમ્યાન આપણી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા કંઈક અંશે ડગમગી જાય છે. હાલમાં આવી જ એક ઘટના ઘટી છે.

 

ભરૂચમાં રહેતા શ્રી. અલ્બર્ટ અને સ્મિતા અમોદરાનો એક નો એક દિકરો જે લંડન ખાતે અભ્યાસ કરી રહ્યો હતો એ ઑક્ટોબર ૨૦૧૨ માં પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેના મા-બાપ અને નાની બહેન તેના મૃત્યુના આઘાતમાંથી હજુ બહાર પણ નીકળ્યા પણ ન હતા ત્યાં તેમના જીવનમાં એક અજીબ ઘટના ઘટી.

 

જુલાઈની ૨૭ તારીખે રવિવારે સાંજે શ્રી. આલ્બર્ટ આમોદરા તેમની પત્નિ સ્મિતા અને દીકરી એલિના ભરૂચ તરફથી વડોદરા તરફ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની લાઈનમાં પોતાનું વાહન ચલાવી રહ્યા હતા પણ સામેની દિશામાંથી આવતું એક વાહન ડિવાડર તોડી તેમના વાહનને સામે મોંએ બરાબર જોરમાં ભટકાયું. શ્રી. આલ્બર્ટ અને તેમના પત્નીએ ઘટના સ્થળ પર જ પોતનો દમ તોડી દીધો. તેમની દીકરીને ગંભિર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવ્યા. જ્યાં ઓગસ્ટની ૪થી તારીખે મોત સાથેની લડાઈ હારીને પોતાના મા-બાપ પાસે પહોંચી ગઈ.

Alina Amodra

આમ બે વર્ષના ગાળામાં જ ચાર જણનું હસતું-ખેલતું કુટુંબ આ દુનિયા છોડી પરમેશ્વર પાસે પહોંચી ગયા. તો પ્રશ્ન થાય કે આ લોકોનું જીવન કોના પાપે, કોના દોષે આમ ટુંકાઈ ગયું? ફરી એકવાર પ્રભુ પરમેશ્વર પરની શ્રધ્ધા મજબૂત બનાવી મૃત આત્માઓને પરમ શાંતી મળે એવી પ્રાર્થના સિવાય આપણે બીજું શું કરી શકીએ. પરમપિતા તેઓના સગાં-સંબંધી અને મિત્રોને આ કારમો ઘા સહન કરવાની શક્તિ આપે.

 

આવી ઘટના બને ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણું મોત ગમે ત્યારે આવી શકે છે. તો જીવન એવી રીતે જીવવું કે આપણા મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ રાખે. પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીએ.

Mr.NMrs. Amodra

Mrs. Smita Amodra & her husband lost their lives in car accident.

Click on the picture to read the story online.
Click on the picture to read the story online.

ભરૂચ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત, ત્રણ ઘાયલ
Kalpesh Gurjar, Bharuch|Jul 28, 2014, 09:43AM IST

– ગોઝારો બનાવ – નેશનલ હાઇવે નંબર ૮ પર અતિથિ હોટલ નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલી કરૂણાંતિકા
– મૃતકો અને ઇજાગ્રસ્તો ભરૂચની મંગલદીપ અને સુરભિ સોસા.ના રહેવાસી હોવાનું બહાર આવ્યું
– આમદડા દંપતી તથા ચૌહાણ પરિવારના સભ્યો માટે મોટરકારની સફર અંતિમ સફર બની ગઇ

ભરૂચ: ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતો નેશનલ હાઇવે રવિવારે ઢળતી સાંજે પાંચ લોકોના મોતનો સાક્ષી બન્યો હતો. નબીપુર પાસે આવેલી અતિથિ હોટલ નજીક બે મોટરકાર સામસામે ભટકાતાં પાંચ લોકોના જીવનદીપ બુઝાઇ ગયાં હતાં. જયારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચના ખાનગી દવાખાનામાં ખસેડાયા હતાં. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર સુરભિ બંગલોઝમાં રહેતાં અને યુપીએલ કંપનીમાં ફરજ બજાવતાં રણજીત ચૌહાણ તેમના પત્ની શીતલબેન, બે સંતાનો મનન અને હર્ષ, માતા હંસાબેન તથા માસી પદમાબેન સાથે તેમની આઇ ટેન મેગ્ના કાર લઇને વડોદરા ગયાં હતાં. રવિવારે સાંજે તેઓ કારમાં ભરૂચ આવી રહ્યાં હતાં તે વેળા અતિથિ હોટલ પાસે તેમની કારનું ટાયર ફાટી જતાં તેમણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

બેકાબુ બનેલી કાર ડીવાઇડર કુદાવીને રોંગ સાઇડ પર જતી રહેતાં વડોદરા તરફ જતી ફોર્ડ ફીગો કાર સાથે અથડાઇ હતી. બંને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળકો સહિત ૧૦થી વધારે લોકોને ઇજા પહોંચી હતી.ગંભીર ઇજાને પગલે ત્રણ મહિલા અને બે પુરૂષોએ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. ફોર્ડ ફીગો મોટર કારમાં ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતાં આમદડા પરિવારના માઇકલ આલ્બર્ટ આમદડા, સ્મિતા આલબર્ટ આમદડા, એલીન આલ્બર્ટ આમદડા અને જય નિશિત પંડયા બેઠેલા હોવાનું જાણવા મળ્યું હતું.એસ.પી. બિપિન આહિરે, ટ્રાફિક પીએસઆઇ એન.કે.કામલીયા ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.

આગળ વાંચો, અકસ્માતમાં જીવ ગુમાવનારા હતભાગીઓ, અકસ્માતમાં ઇજાગ્રસ્તો, બંને મોટરકાર પ્રથમ ટ્રેકમાં ચાલતી હતી

ભરૂચ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત, ત્રણ ઘાયલ
(અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા)

બેકાબુ બનેલી કાર ડીવાઇડર કુદાવીને રોંગ સાઇડ પર જતી રહેતાં વડોદરા તરફ જતી ફોર્ડ ફીગો કાર સાથે અથડાઇ હતી. બંને કાર વચ્ચે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત ૧૦થી વધારે લોકોને ઇજા પહોંચી હતી.અકસ્માતને પગલે સ્થાનિક રહિશો દોડી આવ્યાં હતાં અને કુડદો બોલી ગયેલી મોટરકારોમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ગંભીર ઇજાને પગલે ત્રણ મહિલા અને બે પુરૂષોએ ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો. ફોર્ડ ફીગો મોટરકારમાં ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતાં આમદડા પરિવારના આલ્બર્ટ માઇકલ , સ્મિતા આલબર્ટ આમદડા, એલીન આલ્બર્ટ અને જય નિશિત પંડયા સવાર હોવાનું જાણવા મળ્યું હતું.

આલ્બર્ટ માઇકલ નર્મદા પ્રોજેકટમાં તથા તેમના પત્ની જીએનએફસી શાળામાં શિક્ષિકા હોવાની વિગતો સપાટી પર આવી હતી.અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસવડા બિપિન આહિરે, ટ્રાફિક પીએસઆઇ એન.કે.કામલીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. વરસતાં વરસાદમાં પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી બંને તરફનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. નબીપુર પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં જયાં પરિવારના સભ્યો તથા મિત્રો મોટી સંખ્યામાં એકત્ર થઇ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અશ્રુ, વિજય, સ્મિતા, પુનિતા અને નિલેશ સાથે અમે મરિયમપુરામાં સાથે રહેતા હતા. અમે જ્યારે આણંદ રવિકુંજમાં રહેવા આવ્યા ત્યાર બાદ તેઓ પણ ત્યાં રહેવા આવ્યા હતા. અમારે ઘણો ઘનિષ્ટ સંબંધ હતો. બે વર્ષ પહેલાં સ્મિતાનો દિકરા સ્ટેલિનનું લંડનમાં અકાળે અવસાન થયું હતું. આ અકસ્માતમાં સ્મિતાની દિકરી એલિન ગંભિર રીતે ઘવાયેલ છે. પરમપિતા મુએલાઓના આત્માને પરમ શાંતિ બક્ષે અને એલિનને સાજાપણું બક્ષે એવે પ્રાર્થના.