મૂળ વલાસણના ફા.અનિલ લુકાસ મેકવાન હમણાં કલાક પહેલા જ પ્રભુને પ્યારા થઇ ગયા છે. ગઈ કાલે સવારે તેમને હ્રદયરોગનો ભારે હુમલો થયો હતો. આજે નડીયાદ કાર્ડિઆક હોસ્પિટલ માં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ફાધરે ગુજરાતભરમાં વડોદરા, ખંભાત, ધંધુકા, સાગબારા જેવી અલગ અલગ સ્કૂલોમાં શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ બક્ષે.
ફાધર અનિલની દફનવિધિ આવતીકાલે સોમવાર, જુલાઈ ૨૩ તારીખે બપોરે ૪ વાગે કેથોલિક ચર્ચ આણંદ ખાતે રાખવામાં આવી છે.
સમાચાર – સુનિતા પરમાર, કરમસદ અને શ્વેતા વાઘેલા, ગાંધીનગર