Category Archives: News & Events

Bishop Checchio asked us to join him in prayer to Mary, Our Mother, Friday, May 1

Bishop Checchio has announced that the bishops of Canada and the United States have joined together asking us to to look to Mary, under her title “Mary, Mother of the Church” in our struggle against the COVID-19 pandemic. (Please click here to read the PDF of his letter)
To help us to turn to Mary, Bishop Checchio will be praying the Rosary and celebrating Mass at the Cathedral of St. Francis, Metuchen (stfranciscathedral.org). This will be live streamed from the Cathedral of St. Francis, Metuchen, at 4:00 pm this Friday, May 1. Prior to the celebration of the Mass there will be a live streamed public recitation of the Holy Rosary at 3:30 pm.
Please participate in this event, as indeed the most important help we have comes from faith in power of the Risen Christ and the gracious help of Mary, Our Mother.
Please note we have removed the live stream link as the event has been long over. Thanks 

LETTER OF HIS HOLINESS POPE FRANCIS TO THE FAITHFUL FOR THE MONTH OF MAY 2020

LETTER OF HIS HOLINESS POPE FRANCIS TO THE FAITHFUL FOR THE MONTH OF MAY 2020

Please Click here to read the letter of Pope Francis with two new prayers during the month of May 2020 after Rosary. 

વેટિકન સિટી (સીએનએસ) – પોપ ફ્રાન્સિસે મે મહિનામાં કેથોલિકોને ગુલાબમાળાની  પ્રાર્થના કરવા માટે વિશેષ પ્રયાસ કરવા જણાવ્યું હતું, કારણ કે તેઓ જાણે છે કે આમ કરીને તેઓ વિશ્વભરના શ્રદ્ધાળુઓ સાથે મળીને કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે મારિયાની મધ્યસ્થીની માગણી કરી શકશે.

પોપે તમામ કેથોલિકોને સંબોધિત કરતા અને ૨૫મી એપ્રિલે વેટિકન દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આપણી માતા, મારિઆના હૃદય દ્વારા ખ્રિસ્તના ચહેરા પર વિચાર કરવાથી આપણને આધ્યાત્મિક પરિવાર તરીકે વધુ એકજૂથ-એકજૂટ બનાવવામાં મદદ મળશે.

મે મહિનો પરંપરાગત રીતે મારિઆને સમર્પિત છે અને ઘણા કેથોલિક લોકો આ મહિના દરમિયાન ઘરે કુટુંબ સાથે ભેગા થઈ ગુલાબમાળાની ભક્તિ કરતા હોય છે, એમ તેમણે નોંધ્યું હતું. “મહામારીના નિયંત્રણોને ધ્યાનમાં લેતા, આજે આપણને સહુને ‘કુટુંબ’ ના આ પાસાને (ઘરે કુટુંબ સાથે ભેગા થઈ ગુલાબમાળાની ભક્તિ) ખાસ આધ્યાત્મિક દૃષ્ટિએ વધારે વિચારવા, સમજવા પ્રેરે છે.”

“તમે તમારી પોતાની અંગત પરિસ્થિતિ અનુસાર નક્કી કરી શકો છો કે વ્યક્તિગત રીતે (ગુલાબમાળાની ભક્તિ) પ્રાર્થના કરવી કે સમૂહમાં, તેમણે કહ્યું હતું કે “ઇન્ટરનેટ પર પ્રાર્થનાના સારા મોડેલ શોધવા પણ સરળ છે.”

પોપ ફ્રાન્સિસે માતા મારિઆને બે પ્રાર્થનાઓ લખી હતી, જે ગુલાબમાળાના અંતે પઠન કરી શકાય છે, તેમણે કહ્યું હતું કે તેઓ “તમારા બધા સાથે “આધ્યાત્મિક એકતા”માં આ પ્રાર્થનાઓનું પઠન કરશે.

બંને પ્રાર્થનાઓ એ વાતને અનુમોદન આપે છે કે મારિઆ પોતાના પુત્રના અનુયાયીઓ સાથે સાવ નિકટ છે અને જે રીતે કાના ગામમાં લગ્ન પ્રસંગે નવપરિણીતો વતી મધ્યસ્થી કરવા ઈસુને પ્રાર્થના કરી હતી તે રીતે આપણાં રક્ષણ માટે વિનવે છે.

એક પ્રાર્થનામાં એમ છે કે, “આપણે જાણીએ છીએ કે તમે મારી માનતા પૂરી પાડશો, જેથી ગાલિલીના કાના ગામમાં આનંદ અને ઉજવણી આ મુશ્કેલ સમય પછી પાછા આવી શકે.”

પોપ ફ્રાન્સિસની પ્રાર્થના જેઓ બીમાર છે, તેઓના હેતુ માટે, મૃત્યુ પામેલા લોકો માટે, તેમના માટે શોક વ્યક્ત કરનારા, ઉપચાર અને રસી શોધતા વૈજ્ઞાનિકો અને સરકારી નેતાઓ માટે પણ છે.

નામદાર પોપ ફ્રાન્સિસનો શ્રધ્ધાળુઓ જોગ લિખિત (એપ્રીલ ૨૫, ૨૦૨૦, સંત માર્કનો તહેવાર) મે મહિનાના પત્રમાંથી બે પ્રાર્થનાઓનો અનુવાદ:

કેતન ક્રિશ્ચિયન
સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સી, યુ. એસ. એ.

 પ્રથમ પ્રાર્થના

ઓ મારીઆ,

તમે અમારી જીવન યાત્રામાં એક તારણ અને આશાની નિશાની તરીકે સતત ચમકતા રહ્યાં છો.

અમે અમારી જાતને અને માંદગીમાં સપડાએલાઓને,

જેઓ ઈસુના વધસ્તંભ નીચે,

ઈસુની પીડામાં એક થયા હતા

અને સતત તમારા વિશ્વાસમાં જ રહ્યા છીએ

તેઓ તમને સોંપાઈએ છીએ.

“રોમન પ્રજાનું રક્ષણ કરનાર”,

તમે અમારી જરૂરિયાતો જાણો છો,

અને અમે જાણીએ છીએ કે તમે તે પૂરી પાડશો,

જેથી, જે રીતે ગાલીલના કાના ગામમાં આનંદ અને ઉજવણીનો સમય આવ્યો હતો,

તે જ રીતે એવો જ સમય અમારે માટે પણ આ મહામુશ્કેલીઓના સમય પછી આવી શકે.

અમને મદદ કરો, ઓ દિવ્ય પ્રેમના માતા,

જેથી અમે પિતાની ઈચ્છામાં સોંપાઈએ

અને તે કરીએ જે ઈસુ અમને કહે.

કારણ કે તેણે અમારી પીડાઓને વહોરી લીધી,

વધસ્તંભ પર અમારાં દુ:ખોનો ભાર સહન કર્યો,

જેથી

અમને સહુને નવજીવનનો  આનંદ પ્રાપ્ત થાય.

આમેન.

ઓ પ્રભૂ ઈસુના પવિત્ર માતા,

અમે તમારા રક્ષણ હેઠળ દોડી આવીએ છીએ,

અમારી વિનંતીઓને, અમારી જરૂરીઆતોના આ કાળ દરમ્યાન ધિક્કારશો નહિ,

પરંતુ અમને દરેક જોખમમાંથી છુટકારો આપજો,

હે ગૌરવશાળી અને આશીર્વાદીત કુમારી માતા.

બીજી પ્રાર્થના

ઓ પ્રભૂ ઈસુના પવિત્ર માતા,

અમે તમારા રક્ષણ હેઠળ દોડી આવીએ છીએ

વર્તમાન દુઃખદ પરિસ્થિતિમાં, જ્યારે સમગ્ર વિશ્વ પીડા અને ચિંતાનો શિકાર બનેલ છે, ત્યારે અમે તમારી પાસે, પ્રભુની માતા અને અમારી માતા પાસે આવીએ છીએ અને તમારી સુરક્ષા હેઠળ આશ્રય લઈએ છીએ.

કુમારી મારીઆ, આ કોરોના વાયરસની મહામારી વચ્ચે તમારી દયા ભરેલ આંખો અમારા તરફ ફેરવો. જેઓ ત્રસ્ત છે તેમને, અને ખાસ કરીને તેઓને જેમના સ્વજનોના મૂતદેહને મુત્યુ બાદ જે રીતે દફનાવવામાં આવે છે તેનાથી અતિ વ્યથીત લોકોને સાંત્વના આપો. જેઓના સગાં બીમાર છે, પરંતુ રોગનો ફેલાવો અટકાવવા માટે જેઓ તેમની પાસે જઈ શકતા નથી તેવાઓની નજીક રહેજો. આવનાર ભાવિની અનિશ્ચિતતા, અર્થતંત્ર અને રોજગારનાં વિપરીત પરિણામોથી પરેશાન લોકોને આશાથી ભરી દો.

 

પ્રભુના અને અમારા માતા, અમારા માટે દયાળુ પિતા, પ્રભુને પ્રાર્થના કરો કે આ દૂ:ખોનો હવે અંત આવે અને આશા અને શાંતિનું નવું પરોઢ ઊગી આવે. તમારા દિવ્ય પુત્રને વિનંતી કરો, જેમ તમે કાનામાં કર્યું હતું, જેથી બીમાર અને પીડિતોના પરિવારોને સાંત્વના મળે અને તેમના હૃદયો વિશ્વાસ અને શ્રધ્ધા માટે ખુલ્લા થાય.

આ કટોકટીના સમયમાં જે ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવકો,  બીજાઓને બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે તેઓનું રક્ષણ કરો. તેમના બહાદુરીભર્યા પ્રયત્નોને ટેકો આપો અને તેમને શક્તિ, ઉદારતા અને સતત સ્વાસ્થ્યનું વરદાન આપો.

જેઓ રાત-દિવસ બીમાર લોકોને મદદ કરે છે તેઓની અને જેઓ શુભ-સંદેશ પ્રત્યેની તેમની લગની અને વફાદારીથી દરેકને સાથ-સહકાર અને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા ધર્મગુરુઓની સાથે અને પાસે રહેજો.

આશીર્વાદિત કુમારી, વૈજ્ઞાનિક સંશોધનોમાં સંકળાયેલા સ્ત્રી-પુરુષોના મનને અજવાળો જેથી આ વાયરસને દૂર કરવા માટે તેઓ અસરકારક ઉપાયો શોધી શકે.

રાષ્ટ્રીય નેતાઓને ટેકો આપો કે તેઓ બુદ્ધિ, માગણી અને ઉદારતાથી જીવનની મૂળભૂત જરૂરિયાતોની અછત ધરાવતા લોકોની મદદ માટે આવી શકે અને દૂરંદેશી અને એકતાથી પ્રેરાઈને સામાજિક અને આર્થિક ઉકેલો શોધી શકે.

અતિ પવિત્ર મારીઆ, અમારા અંતરાત્માને ઝંઝોળો , જેથી જે વિશાળ નાણાકીય ભંડોળ શસ્ત્રોના વિકાસ અને સંગ્રહ માટે રોકવામાં આવેલ છે તેનો ઉપયોગ ભવિષ્યમાં આવી મહામારીઓ, દુર્ઘટનાઓ ન બને તે અંગે અસરકારક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ખર્ચ કરવામાં આવે.

વહાલા માતા, અમને એ સમજવામાં મદદ કરો કે અમે બધા એક મહાન પરિવારના સભ્ય છીએ અને સમજીએ કે અમે એક બંધુત્વ અને એકતાના બંધનથી એક જૂટ થઈએ છીએ, જેથી આપણે અતિશય ગરીબી અને અછતની પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરી શકીએ. અમને શ્રદ્ધામાં દૃઢ કરો, અમે સેવા કરવા માટે સતત તૈયાર રહીએ, અવિરત પ્રાર્થનામાં રહીએ.

મારિઆ, પીડિતોના આશ્રય, તકલીફોમાં સપડાયેલા તમારા બાળકોને તમારા આલિંગનમાં સમાવો અને પ્રાર્થો કે પરમેશ્વર તેમના અતિ શક્તિશાળી હાથોને લંબાવી અમને આ અતિ દૂ:ખદાયક રોગચાળામાંથી બચાવે, જેથી આ જીવન ફરીથી શાંતિપૂર્વક સરળ રીતે ચાલુ થઈ શકે.

તારણ અને આશાના સંકેત રૂપે અમારી જીવન યાત્રામાં ચમકનાર, અમે અમારી જાતને તમારી સંભાળમાં સમર્પિત કરી છીએ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી મારિઆ. આમીન.

Easter Greetings and Special blessing from Archbishop Thomas, Fr. Alex and Dr. Fr. Vinayak to GCSofUSA.

Easter Greetings and Special blessing from Archbishop Thomas Macwan, Fr. Alex Clement Joseph and Dr. Fr. Vinayak Jadav for the member of Gujarati Catholic Samaj of USA.  

We thank you for your love, support, concern and comfort of prayers and blessings. Thank you. 

?

Sight and Sound Theater will Stream Free “Jesus” Easter Weekend:

Sight and Sound Theater will Stream Free “Jesus” Easter Weekend:

Streaming Free—Easter Weekend Only!
We are thrilled to announce that JESUS will be made available for FREE in celebration of Easter! For three days only, experience the greatest rescue story of all time as it comes to life right in your living room. Exclusively available on TBN, watch it on your favorite device by downloading the TBN app, or stream it online: April 10-12 only!
While we may not be able to gather together for Easter this year, may you still experience the joy of celebrating the one who came to save us all.



Please click on the image to find your local channel
Please click on the image to watch it online

United prayer service held by UCGOA on Saturday, April 04, 2020 through YouTube

United prayer service held by UCGOA on Saturday, April 04, 2020 through YouTube.

ખ્રિસ્તમાં વ્હાલા ભાઈ-બહેન,

આજની આ વિકટ પરિસ્થિતિમાં વિશ્વભરની માનવજાત ચિંતિત છે. અત્યારે સ્વાસ્થ્ય અને આરોગ્યરક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા ભાઈ-બહેનો અથાગ પરિશ્રમ વેઠીને પંડની ચિંતાને કોરાણે મૂકીને પીડીત લોકોની સારવાર કરી રહ્યા છે. દુનિયાભરના સત્તાધારિઓ પણ પોતાના પંથકના લોકોની મદદ અર્થે રાત-દિવસ જજૂમિ રહ્યા છે. વૈજ્ઞાનિક અને સંશોધકો આ વિકરાળ વિષાણુને નિયંત્રણ હેઠળ લાવી એને નેસ્તનાબૂદ કરવા સતત અવનવા અખતરા કરી રહ્યા છે. બાળકોથી માંડી વૃદ્ધ ઘર બહારની પ્રવૃત્તિઓ થી અલિપ્ત થઈ પોતપોતાના મકાનમાં આશરો લઈ રહ્યા છે. જે કાલ સુધી ઘર હતું, જ્યાં એક ધબકતું, કિલ્લોલ કરતું, ચિંતારહિત કુટુંબ, ઈશ્વરે સર્જેલ સૃષ્ટિ અને સમૃદ્ધિનો ઉપભોગ માણી રહ્યું હતું. આપણા જ પોતાના ઘરના આત્મજનોએ એકબીજાથી અંતર રાખવું પડે છે. પોતાનાં જ બાળકોને વહાલ કરવા પર નિયંત્રણ આવી ગયું છે. પતિ-પત્ની એક છત નીચે હોવા છતાં દૂરતા વેઠી રહ્યા છે. આપણું પોતાનું ઘર આમ જાણે આશ્રયસ્થાન બની ગયું છે.

દુન્યવી માનવીએ પોતાની બુદ્ધિમત્તા વડે કંઈ કેટલાય અચંબિત કરી દેનાર આવિષ્કાર કર્યા, સુખ અને સગવડ માટે કેટકેટલાં ઉપકરણ સર્જ્યા. પણ આજની આ સ્થિતિમાં આપણે ફક્ત લાચારી, પરાધીનતા અને નિરાશ્રય ની અનુભૂતિ નો સામનો કરી રહ્યા છીએ.  આવા કપરા સમયે આપણા પ્રયત્નો સાથે પ્રભુને પ્રાર્થાના, યાચના કરવાની, પ્રભુ તરફ પાછા વાળવાની ઘડી આવી ગઈ છે.

જુના કરારમાંથી યોનાના અધ્યાય ૩ અને કલમ ૧ થી ૧૦ નું વાંચન અને મનન કરીએ. (નિનવે નગરીનો હ્રદયપલટો). જેમાં પાંચમી કલમ પર ધ્યાન આપીએ – “૫ – નિનવેના લોકો ઈશ્વરનું કહ્યું માની ગયા. તેમણે ઉપવાસ જાહેર કર્યો, ને મોટા-નાના સૌએ તપનાં વસ્ત્રો ધારણ કર્યાં.” તપનાં વસ્ત્રોનો મતલબ કોઈ ખાસ પ્રકારના વસ્ત્રો કે પરિધાન નહીં. એનો મતલબ આપણને આઠમી કલમમાં મળે છે. “૮ – માણસો અને પશુઓ સૌ કોઈ તપનાં વસ્ત્રો ધારણ કરે, અને પૂરા દિલથી પ્રભૂને ધા નાખે. દરેક જણ દુષ્કૃત્યો છોડી દે, અને પોતાને હાથે થતો જુલમ બંધ કરે.” અને જ્યારે લોકોએ એ પ્રમાણે કર્યું તો એનું પરિણામ કલમ દસમાં જોવા મળે છે. “૧૦ – ઇશ્વરે જોયું કે તેમણે દુષ્કૃત્યો છોડી દીધાં છે, એટલે તેણે વિચાર બદલ્યો અને જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે આફત તેમના ઉપર ઉતારી નહિ.”

તો આ કપરા સમયમાં આપણે પણ નિનવેના લોકોની જેમ દુષ્કૃત્યો છોડી દેવાનો નિર્ધાર કરી એને પાર પાડવા પ્રયત્ન કરવો પડશે. આપણા હાથે થતા જુલમ બંધ કરવા પડશે અને પૂરા દિલથી પ્રભૂને ધા નાખવી પડશે. અને ત્યારે જ ઇશ્વર આ વિટંબણાનો અંત આણશે.

માથ્થી ૧૮:૧૯-૨૦ “વળી હું તમને કહું છું કે, તમારામાંથી બે જણ કોઈપણ માગણી કરવામાં એકમત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ, જ્યાં બે કે ત્રણ જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ.” તો વળી યાકોબ ૫:૧૪-૧૫ પ્રમાણે “તમારામાંનો કોઈ માંદો છે? તો તેણે સંઘના વડીલોને બોલાવવા, અને તેમણે પ્રભુને નામે એને તેલ લગાડી એને માટે પ્રાર્થના કરવી; એટલે શ્રદ્ધાભરી પ્રાર્થનાથી માંદો માણસ સાજો થઈ જશે, અને પ્રભુ એને બેઠો કરશે; અને જો તેણે કંઈ પાપ કર્યાં હશે તો તે માફ કરવામાં આવશે.”

ઈશ્વરના આશિર્વાદ અને માર્ગદર્શન વડે યુનાઈટેડ ગુજરાતી ક્રિશ્ચિયન્સ ઓફ અમેરિકાના વ્યવસ્થાપક સમિતિને એક ઉમદા વિચાર સ્ફૂર્યો  કે “આપણે પણ બધા સાથે મળી પ્રાર્થના કરીએ.” અને એને અમલમાં મૂકવા કટિબધ્ધ બન્યા. આ વિચારને અનુસરી તેમણે નક્કી કર્યું કે  સરકારના આરોગ્યને લગતા નિયમો અનુસાર આપણે સમૂહમાં ભેગા થઈ શકીએ એમ નથી તો માનવજાતે આવિષ્કાર કરેલા ઉપકરણોની સહાયથી અલગ અલગ ખ્રિસ્તી મંડળીઓ, ઉપાસકમંડળો અને સંસ્થાઓ એક થઈ પ્રભુને ધા નાખીએ.

શનિવાર, એપ્રિલ ની ચોથી તારીખે એક ઐતિહાસિક ઘટના ઉજાગર થઈ એના માટે પરમપિતા પરમેશ્વરનો આભાર. અમેરિકા અને કેનેડા સ્થિત વિવિધ ખ્રિસ્તી ગુજરાતી ઉપાસકમંડળ અને મંડળીઓ ઊપરાંત અમદાવાદથી સી.એન.આઈ. મંડળીના બિશપ શ્રી. સિલ્વાન્સ ક્રિશ્ચિયને ભેગા મળી ચાર કલાકની પ્રભુપ્રાર્થનાનું આયોજન યુટ્યુબના માધ્યમ દ્વારા કર્યું અને સફળતાપૂર્વક પાર પાડ્યું. આ ભગીરથ અને સુઆયોજીત અને સૌપ્રથમ ઓનલાઈન પ્રાર્થના સભાના સર્વ કાર્યકર્તાઓ અભિનંદન અને આભારને પાત્ર છે. અને ઓનલાઈન માધ્યમથી જોડાયેલા સર્વને પ્રભુ આશિર્વાદિત કરે અને આ સંપ અને સહકાર આમ કાયમ જળવાય રહે એવી પ્રાર્થના. પ્રભુ આ હાડમારીમાંથી સમસ્ત માનવજાતને ઉગારે એ પ્રાર્થના સાથે…..

આપનો સેવક – જગદીશ ક્રિશ્ચિયન.  

આ પ્રાર્થનાસભામાં ગુજરાતી કેથલિક સમાજ ઓફ યૂએસએ થકી પ્રમુખશ્રી. શાંતિલાલ પરમારે પ્રતિનિધિત્વ પુરું પાડી પોતાનું યોગદાન આપ્યું હતું. નીચે એ વિડિયોની ક્લિપ જૂઓ.

જેઓ આ પ્રાર્થાના દરમ્યાન જોડાઈ શક્યા ન હોય અને જોડાયા હોવા છતાં ફરી જોવા માંગતા હો તો નીચે સંપૂર્ણ વિડિયો છે. જુઓ…