The International Commission for Dalit Rights is holding a march in Washington DC. on June 21 from 4-6 pm, ending at the White House. You can find out about it at their websitehttp://www.icdrintl.org/. So far those of us going are making our own travel arrangements.
The bill we discussed, House resolution #566, was introduced by Eleanor Holmes Norton. Please ask people to call their representatives and request that they vote for the bill. If we have further action planned I will let you know. https://www.govtrack.us/congress/bills/113/hres566/text.
I invite your prayers and response for the Rights of Dalits in India.
Please note Gujarati Catholic Samaj of USA is inviting all the members and other Gujarati Christians to participate in a celebration of our Cultural Heritage at the event organized by Multicultural Ministry of Metuchen Diocese. GCSofUSA will be presenting one song during the cultural program after the mass. We will also have our food stall selling GOTA and TEA. All the proceeds will be donated to Multicultural Ministry. So Please come and joins us. Thank you.
“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” માટે પવિત્ર ખ્રિસ્તયજ્ઞનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો. દસ વરસના વસવાટ અને પીએચડી ની પદવી મેળવી માભોમની સેવા માટે વતન પાછા ફરતા ફાધર એલેક્ષ ને મે ૧૬, ૨૦૧૨માં ભવ્ય વિદાય આપી હતી તેવા સંસ્થાના અને ગુજરાતી કેથલિક પરિવારોના માનીતા પોતાના પુરોહિત ફા. એલેક્ષના શુભ હસ્તે પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં સહભાગી થવાનો કાર્યક્રમ યાદગાર બની રહ્યો. તા. ૧૮ મે, ૨૦૧૪ને રવિવારે બપોરના ૨:૩૦ કલાકે વુડબ્રીજ, ન્યુ જર્સીના ભવ્ય “સેન્ટ જેમ્સ ચર્ચ”માં સંસ્થાના ૫૦ ઉપરાંત સભ્યોએ આ ભક્તિયજ્ઞનો લાભ લીધો હતો.
બરાબર ૩ વાગે “આવો પ્રભુના માનમાં ગાઓ” ભજન સૂર-તાલ સાથે સમૂહમાં ગવાતાં ભક્તિસભાનો આરંભ ભાવવાહી રહ્યો. ફા. એલેક્ષે પોતાને આ તક મળી તે બદલ પ્રભુનો આભાર માનીને “ગુ. કે. સમાજ ઓફ યુએસએ”ની એકતાને બીરદાવી ખ્રિતયજ્ઞમાં સૌને આવકાર્યા હતા.
પ્રભુનાં યશોગાન, શાસ્ત્રવાચનને અનુરૂપ ભજનોમાં સૌ ભક્તિભાવે જોડાયા હતા. અર્પણગીત અને પવિત્ર ખ્રિસ્તપ્રસાદની વિધિમાં ધન્યતા અનુભવતાં સૌએ પ્રભુને પોતાના હૃદયમાં આવવા પ્રાર્થના કરી હતી.
શાસ્ત્રવાચન ઉપર ફા. એલેક્ષે મનનીય બોધ આપ્યો હતો. પ્રભુને રસ્તે ચાલવા સજીવન થયેલા ઈસુએ શિષ્યોને દર્શન દઈને શ્રધ્ધાની પ્રતિતિ કરાવી હતી, તે શિષ્ય થોમસના પ્રસંગને ફા. એલેક્ષે સમાજવીને પ્રેમ, એકતા અને પ્રભુએ પ્રબોધેલા માર્ગે ચાલવા ભક્તજનોને અનુરોધકર્યો હતો.
ખ્રિસ્તયજ્ઞને ગીતસંગીત સાથે ભક્તિમય બનાવવા સર્વશ્રી જગદીશ ક્રિશ્ચિયનની દોરવણીમાં હાજર સૌ ઉત્સાહથી જોડાયા હતા.
ખ્રિસ્તયજ્ઞ બાદ ચર્ચના ઓડિટિરિયમમાં હળવા-મળવાનો અને સંસ્થાના મહેમાન ફા. એલેક્ષને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઔપચારિક અને નિયત આયોજન ન હોવા છતાં ઉદ્દઘોષકશ્રી કેતન ક્રિશ્ચિયને સમૂહમિલનને રસપ્રદ બનાવ્યો હતો.
સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલ પરમારે સૌને આવકારીને કુ. કિમ્બર્લી જકારિયા ના હસ્તે ફા. એલેક્ષનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આજના કાર્યક્રમના સહભાગી થનાર ખાસ મહાનુભાવો શ્રી લિનસ ટેલર અને શ્રીમતી સપના ગાંધીને આદરથી આવકાર આપ્યો હતો. શ્રીમતી સપના ગાંધીએ તેમના તરફથી ફા. એલેક્ષને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું. સમગ્ર આયોજનના પ્રણેતા શ્રી જગદીશ ક્રિશ્ચિયનની સેવાને બિરદાવવામાં આવી હતી. સંસ્થા તરફથી ફા. એલેક્ષને પ્રેમભેટ અર્પણ કરવામાં આવી હતી.
સન્માનના જવાબમાં ફા. એલેક્ષે તેઓનાં સંસ્થા સાથેના સંબંધોને તાજા કરીને સૌએ ભાવથી આજનો કાર્યક્રમ યોજવા બદલ સૌનો આભાર માન્યો હતો. દરેક પરિવારનો ફાધર પ્રત્યેનો પ્રેમભાવ યાદ કરીને વિદેશમાં એકતા અને સંપથી મળતા રહેવાની સંસ્થાની રીતરસમ માટે સૌને અભિનંદન આપ્યાં હતાં.
સંસ્થાના આજીવન સભ્યશ્રી નિતીન પરમારના સૌજન્યથી સંસ્થાના નામ સાથેની પેન દરેકને ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના આજીવનસભ્ય પરિવાર શ્રી કિરીટ અને શ્રીમતી રીટા જખાર્યા તરફથી હળવા નાસ્તા-પીણાંની વ્યવસ્થા કરાઈ હતી. નાસ્તા-પાણીના બદલે સંપૂર્ણ ભોજનની લિજ્જત સૌએ માણી હતી. ફા. એલેક્ષને સંસ્થા પ્રત્યે એવી આત્મિયતા હતી કે તેઓ આજના પ્રસંગ અર્થે ભારતથી સૌને માટે ખાસ મિઠાઇ લઈ આવ્યા હતા.
૧૯ મે, ૨૦૧૪ના રોજ જન્મ તારીખ હતી તેમના “જન્મદિન”નની ઊજવણીનો એક ‘સરપ્રાઇઝ’ કાર્યક્રમ છેલ્લે યોજાયો હતો! સંસ્થાનાં આજીવન સભ્ય શ્રીમતી નિલાક્ષી જખાર્યાના જન્મદિનને સગાઈસંબંધે તેમનાં દેરાણી શ્રીમતી રીટા જખાર્યાએ આ ‘સરપ્રાઈઝ’ રાખી હતી. કેક કાપવાની વિધિમાં અને નાચગાનમાં સૌ ઉત્સાહથી જોડાયાં હતાં. મેટાચન ડાયોસીસના “મલ્ટીકલ્ચરલ મિનીસ્ટ્રી”ના ડાયરેકટર સીસ્ટર રૂથ, સેન્ટ જેમ્સ ચર્ચના પેરિશપ્રીસ્ટ ચાર્લીનો અને ‘સાઉન્ડ સીસ્ટમ’ માટે શ્રી રજની અને અમિત મેકવાનનો આભાર માનતાં શ્રી જગદીશ ક્રિશ્ચિયને કેટલાક આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. સંસ્થાના અને અન્ય સમાચારો જાણવા શ્રી કેતન ક્રિશ્ચિયને વીકમાં એકાદ વખત jagadishchristian.com વેબ સાઈટ જોવા ખાસ અનુરોધ કર્યો હતો. આ અવસરે એક ધાર્મિક પ્રસંગ સાથે એક સામાજિક પ્રસંગ માણ્યાનો બેવડો આનંદ સાથે સૌ વિદાય થયા હતા.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
પિક્ચર-કેતન ક્રિશ્ચિયન, રાજ મેકવાન, અમિત મેકવાન અને ઑગસ્ટીન મેકવાન
Please click on the picure to see the album,Please click on the picure to see the album,Please click on the picure to see the album,
Metuchen, NJ-ધર્મસંઘના ઉપક્રમે પવિત્ર યાત્રાધામનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૦ મે, ૨૦૧૪ને શનિવારે સવારના ૭ વાગે ૫૬ પેસેન્જરની બસ “વોશિંગ્ટનડી. સી.” પહોંચવા ઉપડી હતી. “મેટાચન ધર્મસંઘ”નાં ‘મલ્ટી કલ્ચરલ મિનિસ્ટ્રી”નાં ડાયરેક્ટર સીસ્ટર રૂથ બોલર્ટેના વડપણ હેઠળ “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ને આ યાદગાર પવિત્રધામની યાત્રામાં સહભાગી થવાની તક સાંપડી હતી. સંસ્થાના ઉત્સાહી કાર્યકરશ્રી જગદીશ ક્રિશ્ચિયન અને પ્રમુખશ્રી શાંતિલાલ પરમારના સુપેર આયોજનથી સંસ્થાના ૨૯ સભ્યો યાત્રામાં જોડાયા હતા.
સવારના ૬:૪૦ કલાકે “૧૨ ફિલિપીન, ૧૦ ચાઇનીઝ, ૨ ઇન્ડોનેશિયન, ૨ સીસ્ટરો સાથેના ગુજરાતી કેથલિકોએ પાસ્ટરલ સેન્ટર” પીસ્કાટ્વે, ન્યુ જર્સીના સ્થળેથી પ્રાર્થના કરીને યાત્રાનો આરંભ કર્યો હતો. ખુશનુમા હવામાનમાં ગુજરાતી-અંગ્રેજીમાં ગુલાબમાળાના જાપમાં સૌ યાત્રાળુઓએ ભક્તિભાવે ભાગ લીધો હતો. “સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય” ગુજરાતી ગ્રુપે સમૂહમાં ભક્તિગીત ગાતાં સૌને માતા મરિયમના યાત્રામાં જોડાયાનો ઉત્સાહ વધ્યો હતો. બે કલાકની મુસાફરી બાદ ‘રેસ્ટ એરિયા’માં સૌએ હળવાશ મેળવી હતી.
સવારના ૧૧:૨૦ કલાકે “Basilica of the National Shrine of the Immaculate Conception”ના ભવ્યાતિભવ્ય ચર્ચના પ્રાંગણમાં પહોંચ્યાનો આનંદભાવ સૌમાં વર્તાતો હતો. બપોરના ૧:૦૦ વાગ્યે “Asian and Pacific Island Catholics for Mary” 12th Annual Pilgrimage કાર્યક્રમ શરૂ થનાર હતો. ત્યાર પહેલાં ગુજરાતી ગ્રુપે સમૂહભોજનની લિજ્જત માણી હતી. યાત્રામાં જોડાયેલાં સૌ ફેમિલી પોતાની વાનગીઓ સહભાગી બનીને આરોગી હતી.
વિશાળ અદ્દભૂત ચર્ચનો પવિત્ર માહોલ અને લીલીછમ હળિયાળી મનને શાંતિ પ્રેરતી હતી. વિવિધ દેશ-જાતિના યાત્રાળુઓ ચર્ચમાં પવિત્ર માતા મરિયમની આદર-સન્માનની પરેડમાં જોડાયા હતા. કર્ણમધૂર ગીતસંગીતના સૂર-સ્વરો સાથે પરેડની ભવ્યતા અને યાત્રાળુઓનો ભક્તિભાવ હૃદયને સ્પર્શતો હતો. વિવિધ દેશ-જાતિમાં ફિલિપાઇન, વિયેટનામી, કમ્બોડિયન, ચાઇનીઝ, કોરિયન, શ્રીલંકન, મ્યાનમાર, વૈલાંકિની-ઈન્ડિયન, મલબારી, જપાનીઝ, વગેરે સાથે “ગુ. કે. સમાજ ઓફ યુએસએ” પોતાના બેનર અને ભવ્ય મોટી એવી ગુલાબમાળાની પરેડમાં સૌએ ખાસ નોંધ લીધી હતી.
કેટલાંક ગ્રુપોએ પોતાની પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌની શાબાશી મેળવી હતી. Bishop Martin D. Hollyના હસ્તેના “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”માં ૨૧ પ્રિસ્ટ જોડાયા હતા. પવિત્ર અને ગંભીર ‘ખ્રિસ્તયજ્ઞ”નો સંગીતમય ભક્તિયજ્ઞ મન-હૃદયને પ્રભુને મળ્યાનો અહેસાસ કરાવતો હતો. ૫,૦૦૦થી વધુ યાત્રાળુઓએ ભક્તિસભામાં ભાગ લઈને “પવિત્ર ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારીને ધન્યતા અનુભવી હતી. ચર્ચની ભવ્યતા આંખને આંજી દે તેવી હતી. ચર્ચની વિશાળતા જોવા એક આખો દિવસ જોઈએ. ચર્ચના “મેમોરિયલ હોલ”માં ધાર્મિક ચીજવસ્તુઓની વિવિધતા જોવાની પણ મજા હતી. યાત્રાળુઓએ યાદગીરી માટે ખરીદી પણ કરી હતી. સાંજના ૫:૨૫ કલાકે યાત્રાધામેથી પરત નીકળતાં મુસાફરીમાં અધવચ્ચે ટૂંકા વિરામ પછી રાતના ૯:૧૫ કલાકે “પાસ્ટરલ સેન્ટર” પીસ્કાટ્વે બસ સહિસલામત પહોંચી હતી. સૌ યાત્રાળુઓ હશીખુશીથી ભેટી-મળીને એક યાદગાર યાત્રાનો આનંદ માણ્યાના ઉલ્લાસ સાથે પોતપોતાના નિવાસે જવા રવાના થયા હતા.