સ્વ. શ્રી. ઈગ્નાસભાઈ જેકબભાઈ મેકવાન માટે શ્રધ્ધાંજલી સભા – જુલાઈ ૧૨ ૨૦૧૨.

 

ગુજરાતી કેથોલિક સમાજના ભૂતપૂર્વ મંત્રી (૨૦૦૬-૨૦૧૦) અને ગુજરાત રાજ્યના નિવૃત્ત સિનિયર ઑડિટર શ્રી. ઈગ્નાસભાઈ જુલાઈની ૦૭ તારીખે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. એમને શ્રધ્ધાંજલી આપવા માટે એક ખાસ સભાનું આયોજન શ્રી. કિરિટભાઈ ડાભીએ નડિયાદના મિશન રોડ પર આવેલા ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના હૉલમાં કર્યું હતું. ગુજરાતી કેથોલિક સમાજના ઘણા આગેવાનો અને સભ્યોએ આ સભામાં હાજર રહી સદગતને પોતાની આગવી રીતે શ્રધ્ધાંજલી આપી હતી. આ સભામાં કેથોલિક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી. કિરિટભાઈ મેકવાન, નડિયાદ સિવિલ હોસ્પીટલના ડો. કૌશિક ગોહિલ, એમના પિતા અને ખેડા જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણાધિકારી શ્રી. જોન ગોહિલ હાજર રહ્યા હતા. શ્રી. કિરિટભાઈ મેકવાને અંતમાં હાજર સર્વનો આભાર માન્યો હતો.

 
માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ 

One thought on “સ્વ. શ્રી. ઈગ્નાસભાઈ જેકબભાઈ મેકવાન માટે શ્રધ્ધાંજલી સભા – જુલાઈ ૧૨ ૨૦૧૨.”

  1. Ignas was my loving friend. Soft spoken, and of very good nature. We can’t
    get such nice people. He has developed his children very well. My condolences to Pushpaben, Rohan, Bhavna, Pratixa and all relatives.
    Gabriel and Family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.