Tag Archives: St. Vincent College of Commerce

જેસુઈટ સંઘના આદર્શો ને સિદ્ધાંતો વિષયે કાર્યશાળા – સેન્ટ વિન્સેન્ટ કોલેજ, પૂને

        

 

 

જેસુઈટ શૈક્ષણિક તેમજ  અન્ય સંસ્થાઓમાં સેવા બજાવતા કર્મચારીઓ જેસુઈટ આદર્શો અને જેસુઈટ સંઘના ઉદ્દેશથી પરિચિત થાય અને તેમના દ્વારા એ આદર્શો અને ઉદ્દેશો વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓમાં સિંચન થાય એવા શુભાશયે તાજેતરમાં પુને ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી જેસુઈટ ફાધરો અને કર્મચારીઓ મળીને લગભગ વીસેક જણે તેમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં  જેસુઈટ ફાધરો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

 

 

 

વર્કશોપનું સંચાલન અમેરીકન  મેનેજમેન્ટ  નિષ્ણાત  ક્રીસ લોઉંન્યે કર્યું હતું. તેઓ જેસુઈટ સંઘમાં જોડાયા હતા અને થોડા સમય બાદ સંઘને છોડી દઈ સંઘના સ્થાપક સંત ઇગ્નાસના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાની તેઓએ ઝુંબેશ ઉપાડી છે. તેઓ માને છે કે પ્રસ્તુત ઉદ્દેશો એટલા ઉમદા ને અસરકારક છે કે તે દ્વારા મહાન લીડરો અને સામાજિક પરિવર્તનના ઘટકો પેદા કરી શકાય છે.