હોલીક્રોસ ચર્ચ કઠલાલ ખાતે ‘ નાતાલ ” નો તહેવાર ઉલ્લાસ ભેર ઉજવાયો.
દુનિયાભરમાં માનવતાના મસીહા તરીકે પોખાતા ઈસુ નાઝારીની જન્મજયંતી આજે ખેડા જિલ્લાના કઠલાલમા આવેલા ” હોલીક્રોસ ચર્ચ ” ખાતે દબદબા ભેર ઉજવવામાં આવી હતી આ પ્રસંગે કઠલાલ તેમજ આજુબાજુના ગામડાઓમાથી ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓને નડીઆદ પાસ્ટોરલ સેન્ટર ના ડિરેક્ટર ફાધર લોરેન્સે પ્રાર્થના સભામા દોર્યા હતા. પોતાના આહલાદક બોધમા તેમણે ધર્મજનોને ખ્રિસ્તી મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરી સમાજની સુખાકારીમા પોતાનુ યોગદાન આપવા હાકલ કરી હતી. ક્રિસમસ ની પરમપૂજા બાદ ફાધર રમેશ મેકવાન દ્વારા સહુ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
– હસમુખ ક્રિશ્ચિયન
j