All posts by admin

Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Provincial House-Sevasi.

Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
Invitation-Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
અભિનંદન સિસ્ટર મેરી,સિસ્ટર રાહેલ અને સિસ્ટર મારિયાને , જેમણે પોતાનાં સંન્યસ્ત જીવનનાં સુવર્ણ પચાસ વર્ષ પ્રભુની સેવામાં પસાર કર્યાં છે.  રવિવાર, જાન્યુઆરી૨૮, ૨૦૧૮ ના રોજ “સ્નેહ શાંતી”, સેવાસી ખાતે “સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન” નાં આ ત્રણેય ધર્મભગિનીઓની પચાસ વરસની સેવાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ફાધર ઈગ્નાસ કાનિસ, ગુજરાતની ધર્મસભાના જાણીતા કથાકાર દ્વારા અર્થપૂર્ણ અને પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે ત્રણેય સિસ્ટરના જીવનચરિત્ર તથા તેમની પ્રાથમિક તેડાંની માહિતી આપી. આ ઉપરાંત ગુજરાત ધર્મસભાના વિવિધ તબામાંથી, ફાધર મારી જોસેફ, ફાધર અશોક વાઘેલા, ફાધર ટાઈટસ ડિકોસ્ટા, ફાધર વિનાયક જાદવ, ફાધર કિરીટ પટેલિયા મળીને લગભગ બીજા ૧૫ ફાધરો પણ આ ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. આ ઉજવણીમાં તેમના મંડળના બીજા સિસ્ટરો, સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ અને શ્રધ્ધાળુઓએ પ્રેમથી ભાગ લીધો હતો. આ પ્રસંગમાં સિસ્ટર સવિતા પણ હાજર હતા.જેઓ સિસ્ટર રાહેલનાં નાના બહેન છે અને આજ મંડળમાં જોડાયેલા છે અને અત્યારે ફિલિપિન્સ ખાતે સેવા બજાવે છે.
આ ત્રણેય સિસ્ટરો ૧૯૬૭માં સેન્ટ એન મંડળમાં જોડાયાં હતાં. ત્યાર પછી જુદી જુદી જગ્યાએ જેમકે, અવર લેડી ઓફ પિલર હોસ્પિટલ-વડોદરા, સેન્ટ એન સ્કૂલ-નડિયાદ, ઉત્તર ગુજરાતના વિજયનગરમાં  જ્યાં અરવલ્લી ડુંગરની હારમાળા છે. તથા હાલમાં ગુજરાતની આંખના તારા સમાન અને એકમાત્ર હવા ખાવાના સ્થળ, અને જ્યાંની શાંત શીતળ રમણીયતા માણવા જેવી છે એવા સાપુતારામાં સેવા આપી રહ્યા છે. આ ત્રણેય સિસ્ટરોએ ભરજુવાનીમાં જ જવાબદારીઓ નીભાવી હતી. આ બધામાં તેમની વફાદારીને સફળતા સાંપડી છે. કાર્યક્રમના અંતે સ્વાદિસ્ટ પ્રેમ-ભોજન પીરસવામાં આવ્યું હતું.
તેમના સિસ્ટર પ્રોવિંન્સિયલ રેવ. સિસ્ટર બેનીટા અને તેમની સમગ્ર ટીમ કે જેમણે આ પ્રસંગને શોભાવવા અથાગ મહેનત કરી હતી. શ્રી. મેહુલ શુકલે પોતાની આગવી કળાથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.   
પરમકૃપાળુ પરમેશ્વર આ ત્રણેય સિસ્ટરોને સારું સ્વાસ્થ્ય બક્ષે અને તેમનાં દરેક કાર્યોમાં પથદર્શક બની રહે એવી પ્રાર્થના.   

The beautiful video below was recorded and edited by Mr. Mehul Shukl. Thank you. 

The beautiful pictures below were taken by Mr. Mehul Shukl. Thank you.


Continue reading Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Provincial House-Sevasi.

Easter celebration in Nadiad – report by Mr. Sailesh Rathod.

ગુડફ્રાઈડે બાદ પ્રથમ આવતા રવિવારને ખ્રિસ્તી બિરાદરો ઈસ્ટર ડેતરીકે ઉજવે છે.ચરોતરના આણંદ-ખેડા જીલ્લાના ચર્ચોમાં ઈસુ ખ્રિસ્તનાપુનરુત્થાનને વધાવી સજીવન થયેલા ઈશુ ખ્રિસ્તના માનમાં ઈસ્ટર સસન્ડેની ઉજવણી કરવામાં આવી હતી.ખ્રિસ્તી પરિવારો ચર્ચમાં ભેગા થઈ સામૂહિક પ્રાર્થના કરીને એકમેકને”હેપ્પી ઈસ્ટર”ની શુભેચ્છા પાઠવી હતી.

આણંદ,નડિયાદ,ખંભાત,ઉમરેઠ,કપડવંજ,ખંભોળજ,ડાકોર,આંકલાવ,બોરસદ,ઠાસરા,મહુધા,માતર,તારાપુર સહિતના ચર્ચોમાં ઇસ્ટર માટે ખ્રિસ્તી બિરાદરોમાં ભારે  ઉત્સાહ જોવા મળ્યો હતો.

શનિવાર રાત્રે ૧૨.૦૦ કલાકે ઈસુના પુનરુત્થાનને વધાવી પ્રાર્થના સભા યોજાઈ હતી.  ચરોતરના ચર્ચોમાં પુનરુત્થાનની ઘટનાને અનેક ચર્ચોમાં આબેહુબ રજુ કરાઈ હતી.

નડિયાદ સ્થિત ક્રાઈષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે ધ્વની વૃંદ દ્વારા ઈશુના પુનરુત્થાનની જીવંત ઝાંખી કરાવતા દ્રશ્યો ઉભા કરાયા હતા.આ અંગે અજય વાઘેલાએ જણાવ્યું હતું કે-ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવી દેવાની ઘટનાથી ખ્રિસ્તી બિરાદરોની આંખો ભીંજાઈ હતી. જ્યારે ઈસ્ટર ડે ના દિવસે ઈસુ ખ્રિસ્ત પુન: સજીવન થયા હોઈ આ દિવસ આનંદથી ઉજવવામાં આવે છે.

આ અંગે ફાધર જોસેફાતજણવ્યા મુજબ-‘ઈસ્ટર’ એટલે પ્રભુ ઈસુને ગુડ ફ્રાઈડેના પર્વે શૂળી પર ચડાવી દેવાયા બાદ ત્રીજે દિવસ પછી રવિવારે પ્રભુ ઈસુના પુનરાગમન થવાના ચમત્કારને ‘ઈસ્ટર સન્ડે’ તરીકે ઉજવવામાં આવે છે.ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુને ક્રોસે જડી દેવાયા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે રવિવારે તેઓ ફરીથી સજીવન થઇને આવે છે. તેથી અનુયાયીઓ રવિવારને ઇસ્ટર સન્ડે તરીકે મનાવે છે. ઇસુએ કહેલું કે જીવન અને પુર્નજીવન હું છું. મારા જે વિશ્વાસ રાખે ક્યારેય મરતો નથી. 

દરેક શહેરમા ચર્ચમાં ઇસ્ટર સન્ડેને ઉજવણીની કરવામાં આવી હતી.શનિવાર રાત્રે મીણબતી લઈને ખ્રિસ્તી પરિવારોએ ચર્ચમાં પ્રવેશ કરી પ્રાર્થના કરી હતી.ઈસુના આગમનને વધાવવા રાત્રીના સમયે દરેક ચર્ચોમાં ખ્રિસ્તી પરિવાર મીણબત્તી લઈને આવ્યા હતા.રવિવારે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચરોતરના વિવિધ ગામ, શહેરોમાં ચર્ચોમાં મધ્યરાત્રિથી જ ઉજવણીનો પ્રારંભ થયો હતો. સાથે સાથે સવારે ખ્રિસ્તી સમુદાય દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી  અને એકમેકને ઇસ્ટર પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ ઉજવણી બાદ દરેક પરિવારોના ઘરે પવિત્ર પાણીનો છંટકાવ કરી ધર્મગુરુ આશીર્વાદ આપશે.

– શ્રી. શૈલેશ રાઠોડ. 

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Palm Sunday 2018 – Message by Fr. Ashok Vadhela S.J.

Holy Thursday 2018 – Message by Fr. Vinayak Jadav S.J.

Good Friday 2018 – Message by Archbishop Thomas Macwan

Holy Saturday 2018 – Message by Fr. Ashok Vadhela S.J

Easter 2018 – Message by Fr. James B. Dabhi S.J.

“Good Friday – 2018” was observed throughout Gujarat and several newspaper published the news.

“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું.  જોવા માટે નીચે સ્ક્રોલ કરો. 

CNS Chirayu News Service-Nadiad

Hind TV News-Surat

Hind TV News-Bharuch

Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service

DD Girnar

via ytCropper

Gujarat News

NAVKRANTI ISSUE 10-13 – 2018 – નવક્રાન્તિ અંક ૧૦-૧૩ – ૨૦૧૮

NAVKRANTI ISSUE 10 – 2018 – નવક્રાન્તિ અંક ૧૦ – ૨૦૧૮

NAVKRANTI ISSUE 11 – 2018 – નવક્રાન્તિ અંક ૧૧ – ૨૦૧૮

NAVKRANTI ISSUE 12-13 – 2018 – નવક્રાન્તિ અંક ૧૨-૧૩ – ૨૦૧૮