છેલ્લા કેટલાય વરસોથી કોકિલાબેન પવિત્ર ભૂમિ ઈઝરાયેલની યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે. દુનિયાભરના કેટલાય શ્રદ્ધાળુઓને આપણા પરમેશ્વરની જન્મભૂમિ અને કર્મભૂમિના દર્શન કરાવવાનો યશ કોકિલાબેનના ફાળે છે.
મે ની ૧૬- ૨૮ દરમ્યાનની આ વખતની યાત્રામાં ૨૦ શ્રદ્ધાળુઓ યાત્રા પર જઈ રહ્યા છે જેમાં ફાધર વિલિયમ પણ સામેલ છે. ઈશ્વરને પ્રાર્થના કે તેઓની યાત્રા સફળતાપૂર્વક પૂરી થાય. આ ૨૦ જણ એમની વ્યક્તિગત પ્રાર્થના સાથે આપણા બધા માટે પણ પ્રાર્થના કરે એવી વિનંતી.
ગાંધીનગર ડાયોસિસના માનનીય આર્ચબિશપ સ્તાનિસલાઉસે માહિતી આપી કે આ યાત્રામાં ગાંધીનગર ડાયોસિસના ફાધર જેબામલાઈ, ફાધર ઓર્નેલસ કુટિન્હો અને બ્રધર મેથ્યુ ફર્નાડિસ પણ સામેલ છે.