આવો અને આપણા વતન અને માતૃભૂમિથી પધારેલા ફાધર વિનાયક જાદવના હસ્તે થનાર પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. પોતાના પીએચડીના અભ્યાસ અર્થે આવેલા ફાધરે પોતાના વ્યસ્ત નિર્ધારિત સમયમાંથી આપણા માટે સમય ફાળવી આપણને મળવાની ઇચ્છા દર્શાવી તે આપણા પ્રત્યેનો પ્રેમ છે. તો એમના પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં. દેવળની વ્યવ્સ્થા કોઈ કારણસર થઈ નથી શકી તો મારા નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મૂળ મંજીપુરાના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા ડો. બીનાબેન મહીડા જ્યારે આણંદ આર્ટસ કોલેજના આચાર્ય પદે નિમાયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવતા ખૂબ જ આનંદ થાય છે. ઇશ્વર આપની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવા સહાય કરે એવી પ્રાર્થના.