ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અને ફાધર વિનાયક જાદવ સાથે સ્નેહ-સંમેલન મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

આવો અને આપણા વતન અને માતૃભૂમિથી પધારેલા ફાધર વિનાયક જાદવના હસ્તે થનાર પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. પોતાના પીએચડીના અભ્યાસ અર્થે આવેલા ફાધરે પોતાના વ્યસ્ત નિર્ધારિત સમયમાંથી આપણા માટે સમય ફાળવી આપણને મળવાની ઇચ્છા દર્શાવી તે આપણા પ્રત્યેનો પ્રેમ છે. તો એમના પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં. દેવળની વ્યવ્સ્થા કોઈ કારણસર થઈ નથી શકી તો મારા નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

તારીખ – મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

સ્થળ – ૧૪૪ સ્ટ્રોબરી હિલ એવેન્યુ, વુડબ્રીજ, ન્યુ જર્સી ૦૭૦૯૫

 

સમય – બપોરે ૨ થી ૩ ખ્રિસ્તયજ્ઞ અને ૩ પછી  સ્નેહ-સંમેલન 

 

હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.  

 

Place : 144 Strawberry Hill Avenue, Woodbridge, NJ 07095

 

Time: 2-3PM Gujarati mass celebrated by Fr. Vinayak Jadav. 3PM onwards reception and refreshment. 

ડો. બીનાબેન મહીડાની આણંદ આર્ટસ કોલેજના આચાર્યપદે નિમણૂંક

મૂળ મંજીપુરાના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા ડો. બીનાબેન મહીડા જ્યારે આણંદ આર્ટસ કોલેજના આચાર્ય પદે નિમાયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવતા ખૂબ જ આનંદ થાય છે. ઇશ્વર આપની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવા સહાય કરે એવી પ્રાર્થના.

સૌજન્ય - સરદાર ગુર્જરી