“માતૃછાયા અનાથાશ્રમ” સંસ્થા નડિયાદમાં આવેલી છે. આ સંસ્થા કેથલિક ધર્મના “સિસ્ટર્સ ઓફ ચેરીટી ઓફ સેન્ટ આન” મંડળના સાધ્વીબેનો ચલાવે છે. જ્યાં ત્યજાએલા બાળકોને રહેઠાણ, ભોજન અને શિક્ષણ તેમજ જીવન જરુરીઆતો પૂરી પાડે છે. કેટલાંક બાળકો દત્તક લેવાતા હોય છે. આ સંસ્થાને દાન મળતું રહે એ આવશ્યક છે.