Category Archives: News & Events

શ્રી. સપના ગાંધી ના નિવાસસ્થાને “ભજન સંધ્યા” – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ.

“ભક્તિસંધ્યા”નું સફળ આયોજન

 

bhajanat sapnagandhi

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” માટે તા. ૨૬ જુલાઈ, ૨૦૧૪ને શનિવારનો દિવસ યાદગાર બની રહ્યો. બ્રુકલિનસ્થિત ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનીટીનાં સક્રિય આગેવાન શ્રીમતિ સપના ગાંધીના પરિવાર તરફથી તેઓના નિવાસસ્થાને “ભજનસંધ્યા” યોજવા ભાવભર્યું નિમંત્રણ મળ્યું હતું. છેલ્લા છએક મહિના અગાઉથી તેઓનો ઉમળકાભર્યો આગ્રહ હતો કે, તેઓના નિવાસસ્થાને “ભક્તિ સંધ્યા” યોજાય! સંસ્થાના પ્રમુખશ્રી શાન્તિલાલ પરમારે આમંત્રણનો સ્વીકાર કરીને સંસ્થાના ૪૦ સભ્યો અને સ્થાનિક ૩૦ ઉપરાંત ભાવિકોએ સાંજના ૬:૩૦ કલાકે પ્રાર્થનાથી ભક્તિસંધ્યાનો આરંભ કર્યો હતો.

 

‘પવિત્ર ગુલાબમાળાની ભક્તિ”ના પાંચમાથી બે અંગ્રેજીમાં અને ત્રણ ગુજારાતીમાં જપમાળા ભક્તિમય રહી. દર દશકે ઈસુના પૂજ્ય હૃદયને શરણે ખાસ વિનંતી રજૂ કરવામાં આવતી હતી. ‘બાઈબલ વાંચન’ અને તેના ઉપર શ્રી શાંતિલાલ પરમારનો મનનીય-માહિતીપ્રદ વાર્તાલાપ સૌને ગમ્યો હતો. આજની “ભજન સંધ્યા” માટે પ્રાર્થનાઓ અને ભજનોની આકર્ષક ખાસ પુસ્તિકા સંસ્થાના આજીવન સભ્ય અને યુવાન કાર્યકરશ્રી અમિત મેકવાને તૈયાર કરીને સમૂહને ઉપયોગી યોગદાન આપ્યું હતું. એક પછી બીજું, તેમ અનેક ભજનો સમૂહમાં તથા ભજનિક ગાય, અને સમૂહ ઝીલે, તેવા ભક્તિરંગમાં રંગાઈને ઝૂમતાં અને ગરબાના તાલે ઘૂમવામાં શ્રીમતી કોકિલા ફ્રેન્કે સૌમાં ઉત્સાહ પૂર્યો હતો. રિધમમાં ‘હાર્મોનિયમ’ પર શ્રી. જગદીશ ક્રિશ્ચિયને રંગ જમાવ્યો હતો. તબાલાં અને ઢોલક પર સર્વશ્રી કેતન ક્રિશ્ચિયન, રજની અને અમિત મેકવાન તથા રોનાલ્ડ મેકવાન અને જેમ્સ જખાર્યાએ તાલબધ્ધ સંગત આપીને ભક્તિસંધ્યાને યાદગાર બનાવી હતી.શ્રી જોસેફ પરમારે આભારવિધિ કરી હતી. સ્વાદિષ્ટ વાનગીઓના ભોજનને માણીને ભક્તિનો બીજો દોર પણ ભાવપૂર્ણ અને ઉત્સાહી બની રહ્યો. સર્વશ્ર્રી. લિનસ ટેલર, બકુલ ફ્રેન્ક, પ્રવિણ ટેલર અને બ્રુલકિનસ્થિત ઘણા શુભેચ્છકોને શ્રીમતી સપના ગાંધી, તેમની દીકરી રાની ગાંધી અને તેમની બહેનો સેલિના અને લીનાએ નિમંત્રીને પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો. 

 

 

માહિતી: શ્રી. જોસેફ પરમાર પિક્ચર્સ: કેતન ક્રિશ્ચિયન, સિડની ક્રિશ્ચિયન, નિયતી ઓઝા. 

Mr. Kanubhai Parmar and seven others participated in International Symposium on BECOMING THE BODY OF CHRIST: TOWARDS EUCHARISTIC COMMUNION

kpkerala

The International Symposium on BECOMING THE BODY OF CHRIST: TOWARDS EUCHARISTIC COMMUNION was held on
11 & 12 July 2014
at
Marymatha Major Seminary, Trichur, Kerala.

 

Rev. Dr Errol D’Lima, Professor Emeritus, Pontifical Athanaeum, Pune delivered the Inaugural Paper and
Prof. Dr Joris Geldhof from the Faculty of Theology, Catholic University, Leuven, Belgium delivered the Keynote Paper.
Six other eminent scholars approached the theme from various perspectives through their main
papers.

 

The below eight people from Gujarat participated in this even.
1. Shri Kanubhai D. Parmar, Vice-President
2. Shri Rameshbhai Peter Dabhi, Retd. Govt. of Gujarat Employee
3. Shri Ramesh P. Christie, Samaj Kalyan Adhirkari
4. Ramanbhai Maganbhai Parmar, Retd. Gujarat Govt. employee
5. James John Macwan, Baroda Corporation officer
6. Paul Luis, Retd. University Officer
7. Pravin K. Makwan, Central Govt. Sale Tax Officer
8. Smt. Pushpaben Balvantbhai Parmar, Gujarat Govt. Officer

 

Mr. Kanubhai Parmar was invited to lit up a candle during this event.

Kanubhai liting candle

Special prayer request for Mr. Yogen (Johnbhai) Chaklasia.

With deep sorrow, we would like to inform that Shri. Johnbhai Chaklasia, (father of our Pareshbhai Christian) is very sick in India.  He is in I.C.U. and also on ventilator.  Kindly say a special prayer for Shri. Johnbhai (Yogen) Chaklasia and May God grant him full and speedy recovery. Let us earnestly pray for Pareshbhai and his family as well. 

You may contact Pareshbhai on following address and phone number.

Address:  154 Brimorton Dr., Scarborough, M1H 2C1,

Phone: 416-439-5137 begin_of_the_skype_highlighting 416-439-5137 FREE  end_of_the_skype_highlighting(Home)

           647-391-2436 begin_of_the_skype_highlighting 647-391-2436 FREE  end_of_the_skype_highlighting(Cell)

 

Peace

 

GCPC

Relic of Saint John Paul II Coming to New York City.

metuchencatholicspirit20140703 - Copy_Page_3

ST. JOHN PAUL II RELIC TOUR SCHEDULE


Boston: June 21 – 22, 2014
Cathedral of the Holy Cross

Saturday, June 21

  • Noon to 3pm Veneration in Cathedral Chapel
  • 4:30 pm Vigil Mass with Veneration following Mass

Sunday, June 22

  • 9:30 am Spanish Mass with Relic Blessing after the Mass
  • 11:30 am Archdiocesan Marriage Anniversary Mass with Veneration following Mass

Baltimore: Fortnight for Freedom
Basilica of the National Shrine of the Assumption of the Blessed Virgin Mary

Saturday, June 21

  • Archbishop William Lori will initiate Fortnight for Freedom with a Mass at 5:30 pm.
  • Relic of the blood-stained cassock that Pope John Paul II wore on the day of the assassination attempt in 1981 will be venerated after the Mass

New York: July 12 – 13, 2014
St. Patrick’s Cathedral

Saturday, July 12

  • 1:00 pm to 7:30 pm Veneration
  • 5:30 pm Relic will be present for the Vigil Mass

Sunday, July 13

  • 10:15 am to 8:00 pm Veneration
  • Relic will be present for the following Masses: 10:15 am, 12:00 noon, 1:00 pm, 4:00 pm (Spanish) and5:30 pm with Cardinal Dolan
  • Veneration will stop during Mass times but the relic will be used during Mass for a blessing over the people

Philadelphia: July 19 – 20, 2014
Cathedral Basilica of Saints Peter and Paul

Saturday, July 19

  • 4:15 pm to 5:15 pm Sacrament of Penance and Reconciliation
  • 5:15 pm Anticipated Mass for Sunday in the Basilica

Sunday, July 20

  • 9:00 to 9:30 am, 10:30 to 11:00 am, 5:30 to 6:30 am Sacrament of Penance and Reconciliation (Confession also in Spanish and Vietnamese at 5:30 pm.)
  • At the conclusion of each Mass, there will be a blessing with the relic of St. John Paul II. There will also be veneration of the relic after each Mass and all Sunday afternoon. The Sunday Masses are as follows:
    • 8:00 am in the Cathedral Chapel
    • 9:30 am in the Basilica
    • 11:00 am in the Basilica
    • 12:30 pm in the Cathedral Chapel in Spanish
    • 6:30 pm Solemn Stational Mass in the Basilica (Archbishop Chaput, Celebrant and Homilist)
  • 3:00 pm Divine Mercy Chaplet

૧૫૦ વાર્તાઓ સંગ્રહ થવાની રાહ જુએ છે. વાર્તાકાર રમણ નડિયાદી.

JansattaRamanNadiadiRamanNadiadi

સાક્ષરજન તો…  શ્રી. રાધેશ્યામ શર્મા – જનસત્તા – મે ૨૫, ૨૦૧૪.

 

૧૫૦ વાર્તાઓ સંગ્રહ થવાની રાહ જુએ છે. વાર્તાકાર રમણ નડિયાદી.

 

રમણ નડિયાદી (રમણભાઈ શિવાભાઈ પરમાર) એસ.વાય.બી.એ., વાર્તાકાર, ગઝલકાર, કવિ, સંપાદક, નિવૃત બેન્ક કર્મચારી.
પ્રકાશન: ૧૫૦ વાર્તાકૃતિઓ – ‘દૂત’, ‘સ્ત્રી’, ‘ચાંદની’, ‘આરામ’, ‘સવિતા’, ‘મુંબઈ સમાચાર’, ‘હયાતી’, ‘દલિત ચેતના’ જેવાં જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધિ પામી છે. ગ્રન્થ સ્વરૂપે થશે.
કૃતિ મૂલ્યાંકન : મોહન પટેલ, જોસેફ મેકવાન, પુરુરાજ જોષી, સુરેન્દ્ર આસ્થાવાદી, નરેન્દ્રકુમાર પરમાર જેવા સાક્ષરોની કલમે પરખાયું ને પોંખાયું છે.
પારિતોષિક-પુરસ્કાર : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન આયોજિત સ્વ. સરસ્વતીબેન વિઠ્ઠ્લરાય શ્રીમાળી દલિત-વાર્તાસ્પર્ધામાં સર્વ પ્રથમ પસંદગી પામનાર ‘ધારો’ વાર્તાને રૂ।. ૩૦૦૦/- (ત્રણ હજાર) નું ઈનામ મળ્યું છે.
નિર્ણાયક હતા : સુપ્રતિષ્ઠિત વાર્તાસર્જક શ્રી. માય ડિયર જયુ, શ્રી. મનોજ પરમાર જે ‘દલિત ચેતના’ના સામ્પાદક છે – એ સામયિકના માધ્યમથી આ લખનારે શ્રી. રમણ નડિયાદીને ફોર્મ સાથે અભિનંદન પાઠવ્યા.
આ જ રાહે વાર્તાકારને ‘દૂત’ માસિકની વાર્તાસ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું છે.

 

પ્રશ્ન : લેખનના આરંભે કર્તા-કૃતિઓના પ્રભાવ કોનો કોનો?
ઉત્તર : ક. મા. મુનશીકૃત ‘પાટણની પ્રભુતા’, પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ જોસેફ મેકવાન કૃત ‘વ્યથાનાંવીતક’.

 

જોસેફ મેકવાનને આ ઉછરતા લેખક મળવા ગયા ત્યારે અનેકવિધ કામોમાં વ્યસ્ત છતાં બધું કોરાણે ઠેલી વા-ર-તા વાંચવા બેસી ગયા અને પછી બોલ્યા : ‘રમણ! તેંય મારી જેમ ઘણું નૈયણે કર્યું છે. દોસ્ત! તને મારી એ સલાહ છે, તું કદી ફિસું સખતો-લખતો નહીં. શબ્દ વડે સત્યની ધાર કાઢતો રહેજે. તું જરૂર ફત્તેહ થઈશ. – તારા વર્તાસંગ્રહની પ્રસ્તાવના હું જ લખીશ.’

 

પણ આ વરદાન-વચન પૂરું થાય એ પૂર્વે જોસેફ જિસસના પ્રશસ્ત પંથે હાલી નીકળ્યા! દર્શાનાતુર રમણ મેકવાન પાર્થિવ દેહના દર્શને પહોંચ્યા ત્યારે જોસેફભાઈએ, ફરમાયેશથી ગાયેલા ગીતની પંક્તિ મનમાં રણઝણી ધમધણી ઊઠી : ‘મોંઘેરા થઈને મારા મનમાં વસો…’

 

‘સોનેરી માછલીનો સળવળાટ’ ગુ.આ. અકાદમીના એવોર્ડ સમારંભમાં વર્તાસર્જક શ્રી. પુરુરાજ જોષીને પહેલી વાર દીઠા. પછી સર્જક વિવેચક શ્રી. મણિલાલ હ. પટેલના કાવ્યપઠન પ્રસંગે રૂ-બ-રૂ થવાનું બન્યું. થોડા વખત ‘પારણું’વા-ર-તા જ સરળ સ્વભાવના જોષીજીને બતાવી, તેવે પુરુજી બોલિય, ‘મને તો લાગે છે કે અમારી જ લાગણીનો પડઘો આ વાર્તામાં તેં પાડ્યો છે. રમણભાઈ આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે.

 

સલાહ પણ મજાની આપેલી આ ઉપમા સાથે, ‘સુથાર લાકડા પર રંધો મારતો રહે છે તેથી લાકડું વધુ લીસુ બને છે તેવું લેખકનું કર્મ છે.

 

પરંતુ સાચું લેખનકર્મ તો સિત્યોતેરની મોટી વયે ટટ્ટાર બેસી કરતા મુરબ્બી ડૉ. સુરેન્દ્રભાઈ આસ્થાવાદીને નીરખી ગાંધીજી ચિત્તમાં ઝબૂકી ગયા!

 

‘અસ્મિતા અભિવર્ધક સાહિત્ય અભિયાન’ના કર્મશીલ આ સ્થાપકને મળવા ગયા તો વાર્તાલાપના અંતે સેવા સોંપી બોલ્યા, ‘નવોદિતો માટેની વાર્તાસ્પર્ધાના નિર્ણાયક બની અમને સહયોગ આપવાનો છે.

 

ચહેરાની રોનક કરતાં આકર્ષક વાકપટુતા ધરાવતા, પોસ્ટની પાણી પાતળી નોકરીમાં ગુજારો કરતા શ્રી. ઈસુભાઈ દભાણિયાનું જીવનચાયન રૂ-બ-રૂ થઈ જુઓ તો લાગે કે રંક જીવન વેઠતા આ અમીર દિલી જીવ નવોદિત ચાહક લેખકોના ધાડાંને પણ પડ્યા પાથર્યા રહેવાની સુવિધા આપે છે. પરિણામે, સાંપ્રદાયિક હોવાની ઈસુભાઈને ઈમેજ ભુંસાઈ ગઈ અને પારદર્શકતાના પરિવેશમાં રમણભાઈની વાર્તાઓને નાણીનાણી પ્રોત્સાહનથી નવપલ્લવિત કરી.

 

નડિયાદી રમણ શોખથી વાંસળી પણ વગાડી જાણે છે. તેમને, તેમની પોતાની વાર્તાઓ કઈ ગમે છે? એમ પૂછાય તો ઉત્તર મળશે : ‘ધારો’ અને ‘ઢાળ’. આ સાક્ષર ‘ઢાળ’ ચઢીને આવે અને ‘નિજાનંદ’ ખાતર પણ ‘સમાજોત્થાન’ સાથે વાર્તા-કાવ્યક્ષેત્રે પ્ર-ગતિ સાધે એવી અપેક્ષા તેમણે જરૂર ઊભિ કરી છે. તે મંથન-શીલ છે કેમ કે રમણભાઈએ ‘મંથન’ પત્રિકાનું સમ્પાદન પણ કર્યું છે.

 

સંપર્કસૂત્ર : ૩૩, ‘કંકુશિ’ જગપ્રકાશ સોસાયટી, વૈશાલી સિનેમા રોડ, નડિયાદ – ૩૮૯૦૦૨. મો. ૯૪૨૬૮૬૨૦૮૦

 

ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન આયોજિત સ્વ. સરસ્વતીબેન વિઠ્ઠ્લરાય શ્રીમાળી દલિત-વાર્તાસ્પર્ધામાં સર્વ પ્રથમ પસંદગી પામનાર ‘ધારો’ વાર્તા વાંચવા માટે અહીં ક્લિક કરો.