Category Archives: Community Events

એક નવું દર્શન! ફાધર વિલિયમનો અનુભવ એમના શબ્દોમાં……….

            

 

ગઈ કાલે મેં મારા ભાઈઓ તથા બેનોના પરિવારો સાથે મારા ગામમાં મારા ઘરમાં બધા સાથે બેસીને મારાં ૭૫ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી. મારો એક ભત્રીજો સુનીલ પણ પુરોહિત છે ને તેને ગઈ સાલ દીક્ષા મળેલી તેની સાથે ઘરમાં પરિવારજનોના મોટા સમૂહ સાથે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો ને ભૂતકાળનાં ઘણાં સુખદ સંસ્મરણો વાગોળ્યાં જે બધાને બહુ ગમ્યું ને બહુ આનંદ માન્યો. ઠીક, આ બધું તો બરાબર છે પણ મારે જે કહેવું છે તે કૈંક જુદું છે ને મારે માટે પણ એ નવો અનુભવ છે. તો સાંભળો:

 

          મારી સાથે મારા બીજા ભાઈઓ ને બહેનો પણ હતાં ને અમે સૌ અમારા પરિવારજનોના કાકા, મામા, દાદા-દાદીઓ હતાં. પણ હું જુદા પ્રકારનો કાકા, મામા . . .હતો. મારા ભાઈઓ મારી જેમજ કાકા ને મામા હતા પણ સાથે સાથે તે કોઈના પપ્પા . . .પણ હતા અને એ રીતે વહેચાયેલા હતા ! માત્ર હું એકલો જ એવો હતો કે જે વહેચાયેલો ન હતો ને એમ મારા ભત્રીજાઓ, ભત્રીજીઓ, ભાણીઓ ને ભણાઓ માટે પૂરેપૂરો-અવિભાજ્ય- કાકો ને મામો હતો! કારણ હું ફાધર તરીકે અપરણિત હોવાને કારણે વહેચાયેલો નથી. આનંદની વાત તો એ છે કે જ્યારે તેઓ મને મળતાં, બોલાવતાં, ભેટતાં ને શુભેચ્છાઓ પાઠવતાં ત્યારે આ હકીકત બહુ જ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેઓને માટે બીજા કાકા ને મામા પણ ત્યાં હતા પણ તે બધા જાણે કે વહેચાયેલા હતા જ્યારે હું એકલો જ પૂરેપૂરો તેમને માટે કાકા કે મામા હતો. આવી ક્ષણોએ મને મારા બ્રહ્મચર્યના વ્રતનું મહત્વ સમજાયું ને અનહદ આનંદ થયો. આ વ્રતને કારણે હું પૂરેપૂરો, બધો જ બીજાને માટે છું, અમૂક લોકો કે અમૂક સમાજ કે  જ્ઞાતિ પૂરતો સીમિત નથી.   આમાં જ મારા બ્રહ્મચર્યનો સાચો અર્થ છે. જે ક્ષણે હું ‘સીમિત’ બની જાઉં તે જ ક્ષણે મારું આ વ્રત મિથ્યા અને અર્થહીન બની જશે. બધાને માટે હોવું  ને સૌની સેવા માટે અવેઈલેબલ બની રહેવું એ  ભગવાને બક્ષેલ પરમ વરદાન છે ને એવું વરદાન ભગવાને મારી અપાત્રતા છતાં મારા પર વરસાવ્યું છે તે માટે હું એનો ઉપકાર માનું તેટલો ઓછો. એ પુણ્ય મારાં ક્યાંથી! 
          યુવકો ને યુવતીઓ જેઓ સન્યાસી જીવનપંથ પસંદ કરે છે, ફાધર કે સિસ્ટર્સ બને છે યા બનવા ઈચ્છે છે તેમને આમાંથી પ્રેરણા મળે એવી મારી પ્રાર્થના છે. આવજો…     

 

       

 

(ફાધર વિલિયમ)

આશાદીપ વિદ્યાનગર ખાતે અન્ન સુરક્ષા ધારા માટે કામ કરતા કાર્યકરો માટે રિશ્તા આયોજીત પત્રકારત્વ કાર્યશાળા.

 

ગુજરાતમાં કર્મશીલ જેસુઈટ ફાધરોએ ગરીબો ને વંચિતોને પૂરતું રોજ રોજ ખાવાનું મળે એ માટે “અન્ન સુરક્ષા ધારો ” નો અમલ કરાવવા ઝુંબેશ ઉપાડી છે અને વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વર્કરો રોકીને રેશન કાર્ડ, સસ્તા અનાજની દુકાન, કાર્ડ દીઠ કેટલો ક્વોટા મળવો જોઈએ વગેરે બાબતે લાભાર્થીઓને માહિતી આપે છે. અને તેમને નડતી મુશ્કેલીઓ દૂર કરવા સહાયરૂપ થાય છે. સરકારી અન્ય યોજનાઓની જેમ અહી પણ વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને ગરીબોને માટે આવેલું અનાજ દુકાનદારો વગે કરી જતા હોય છે. ફિલ્ડ વર્કરોને ઘણી વાર આવા ભ્રષ્ટાચારી દુકાનદારો તથા સરકારી કર્મચારીઓનો સામનો યા વિરોધ કરવો પડે છે. આ બાબતે મનોમંથન કરીને કર્મશીલ જેસુઈટ ફાધરોના સંગઠ (જેસા) એ ફિલ્ડ વર્કરોને પત્રકારત્વની તાલીમ આપવાનું નક્કી કર્યું ને ‘રિશ્તા’ની મદદ માગી ને એમ ત્રણ દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.


દ.ગુજરાતના સોનગઢથી માંડીને સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લામાંથી ૨૨ ફિલ્ડ વર્કરોએ કાર્યશાળામાં ભાગ લીધો અને પોતાના કામમાં પ્રિન્ટ મીડીઆનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને એમ ગરીબ લાભાર્થીઓને મદદરૂપ બની શકાય તે શીખી લીધું હતું. આ કાર્યશાળાનું સંચાલન raabetaa મુજબ ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું અને શીબીરર્થીઓના હાથમાં પ્રિન્ટ મીડીઆનું એક સબળ હથિયાર મૂકી તેનો અસરકારક ઉપયોગ કરતા શીખવ્યું.


કાર્યશાળાના બીજે દિવસે અમદાવાદ મિરર અખબારમાં સેવા બજાવતા અને ગરીબો-વંચિતો પ્રતિ ખાસ સહાનુભૂતિ ધરાવતા
ધ્વનીબેને ખાસ રસ લઈને આવીને શિબિરાર્થીઓને ઘણું જરૂરી માર્ગદર્શન આપ્યું અને મિડીઆનો સમાજ હિતાર્થે અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય ને એ લક્ષ્યને સિદ્ધ કરી શકાય તેના જાત અનુભવના કેટલાક પ્રેરણા દાયક ઉદાહરણો આપી શિબીરાર્થી ફિલ્ડ વર્કરોમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું. ત્રણ દિવસીય આ કાર્યશાળા ખરેખર બહુ જ ફળદાયી નીવડી ને ફિલ્ડ વર્કરો ઘણા જ્ઞાની બનીને બમણા ઉત્સાહથી કામ કરવાનો સંકલ્પ કરીને પરત થયા.

પ્રતિકૂળ હવામાનના કારણે ગુ.કે.સ.ઓફયુએસએ યોજીત ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ મોકૂફ રાખવામાં આવે છે.

 

સેન્ડિ નામનું વાવાઝોડું કેરેબિયન ટાપુ પર તબાહી ફેલાવી પૂર જોશમાં અમેરિકાના ઉત્તર-પૂર્વિય વિસ્તાર તરફ ધસી રહ્યું છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડું દક્ષિણ ન્યુ જર્સીના હિસ્સા પર પડાવ કરશે. આ વાવાઝોડું ૫૦ થી ૮૦ માઈલનો પવન અને ભારે વરસાદના ઝાપટા લઈને આવશે. જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ભરતીનાં પાણી ફરી વળશે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.

 

 

આ વાવાઝોડાની અસર રવિવારથી વરતાવા માંડશે. સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદની શરૂઆત રવિવારથી થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ ના દિવસે યોજેલ ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ રદ કરે છે. આ પ્રવાસ સાનુકૂળ સમયે ફરીથી ગોઠવવામાં આવશે.

 

હવામાન ખાતા તરફથી અપાતી માહિતી પર ધ્યાન આપતા રહેજો અને જરૂરી સાવચેતી જાળવજો. જરૂરી સામગ્રી જેમકે પીવાનું પાણી, ખાધ્યસામગ્રી, મીણબત્તી, ફ્લેશલાઈટ, રેડિયો અને બેટરી વગેરેની વ્યવસ્થા કરી રાખશો.

 

Please visit New Jersey Office of Emergency Management.

 

પ્રાર્થના કરીએ આ વાવાઝોડું ખાસ વધુ નુકશાન કર્યા વગર પસાર થઈ જાય.         

“સોસાયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ” ઝેવિયર્સ કોન્ફરન્સ સીટીએમ, અમદાવાદ

કોઈ પણ જાહેર સંસ્થા માં પારદર્શિતા આવશ્યક તથા અનિવાર્ય હોય છે. અને ખાસ કરીને જો એ ખ્રિસ્તી સંસ્થા હોય તો એમાં ખ્રિસ્તીપણાના પાયાના ત્રણ મૂળ તત્વો તો હોવા જ જોઈએ. પ્રેમ, શાંતિ અને ક્ષમા! કોઈપણ સંસ્થાની ટીકા કે તરફેણ કર્યા સિવાય એક સંસ્થા વિષે કહી શકાય કે ભારતભરમાં એ ઘણું ઉમદા કામ કરી રહી છે. અને આ સંસ્થા છે “સોસયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ”. આ સંસ્થા ગુજરાતના વિવિધ શહેરોમાં પણ કાર્યરત છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ૨૦૦૬ થી કાર્યરત આ સંસ્થા ઘણાં સેવાના કામ કરી રહી છે. એ સંસ્થાની કાર્યવાહક સમિતી અને સીટીએમ વિસ્તારના ખ્રિસ્તી ભાઈબેનોને અભિનંદન અને આવતા સમયમાં એમની પ્રવૃત્તિઓ વધે અને ફળદાયી નિવડે એવી શુભેચ્છાઓ.

 

આ સંસ્થા વિષે વધુ માહિતી માટે સંસ્થાના ૨૦૧૧-૨૦૧૨ વાર્ષિક અહેવાલને વાંચવા ઉપરના પિક્ચર પર ક્લિક કરો.             

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ફાતિમાના દેવાલય નો યાત્રા-પ્રવાસ ઑક્ટોબર ૨૮, ૨૦૧૨

 

ગુ. કે. સ. ઓફ યુસએ યોજીત ફાતિમાના દેવાલયની યાત્રા-પ્રવાસનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

 

તારીખ – ઑક્ટોબર ૨૮ ૨૦૧૨ –  રવિવાર

 

સ્થળ:  World  Apostolate of  Fatima,  674 Mountain  View Road East, Washington , NJ 07882

 

           Website: http://www.wafusa.org/

 

સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં ઉપર જણાવેલા સ્થળ પર હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.

 

          સવારના ૧૧:૩૦ વાગે પવિત્ર ગુલાબમાળાની ભક્તિ (in The Blessed Sacrament Chapel , lower level)
           બપોરના ૧૨ વાગે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ (in The Blessed Sacrament Chapel , lower level) અને

 

ખ્રિસ્ત યજ્ઞ બાદ ભોજન. દરેકે  પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.

 

ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત

 

વાતાવરણ/હવામાન કેવું હશે? Washington , NJ 07882 ના તે દિવસના હવામાન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

 

             https://jagadishchristian.com/wp-content/uploads/2012/10/From-Entrance-gate-to-church.pdf

 

Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain  View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).

 

ગૂગલ મેપની પીડીએફ ફાઈલ

 

યાદ રહે: આ ખૂબજ મોટો વિસ્તાર છે. જો ભૂલા પડશો તો બહુ જ ઓછા લોકોને તમે પૂછી શકશો. ખુલ્લા દેવાલયની ટોચે પવિત્ર મારીઆનું મોટા કદનું  પુતળું છે જ્યાં તમારે પહોચવાનું છે.

 

 

બધાને મળવાની અપેક્ષા સહ,

 

આભાર,
શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ