SAD DEMISE
FR. LOUIS MORETA SJ, aged 87, passed away this morning, 27 September, at 06.20 AM in Ankleshwar. The funeral will be at 10.00 AM tomorrow, 28 September, at CATHOLIC CHURCH, ANKLESHWAR.
May the soul of Fr Moreta rest in peace.
Information: Mr. Peter Jadav through Fr. Freddy Desouza SJ
“આપણા વિદ્યમાન સ્પેનીશ ધર્મગુરૂઓની કહાણી” માંથી સાભાર…..
મારો જન્મ ૧૯મી ડિસેમ્બર ૧૯૨૭માં મનીલા ફિલિપાઈન્સ ખાતે થયો હતો, અને બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું. હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યા પછી, હું અમેરિકન સૈન્યમાં જોડાયો. અને ત્યારબાદ સ્પેન, જે મારા પિતાનું મૂળ વતન છે, ત્યાં જઈ તારીખ ૨૬-૯-૧૯૪૬ના રોજ ઈસુસંઘમાં જોડાયો.
તા. ૨૧-૧૨-૧૯૫૧માં મારું આગમન ભારતમાં થયું, અને ૨૪ માર્ચ ૧૯૬૧માં મની યાજ્ઞિક દીક્ષા મળી. ઈસુસંઘમાં અભ્યાસપૂરો થયા પછી ૧૯૬૩માં મારી નિમણૂંક ભરૂચ ખાતે થઈ. ભરૂચમાં ૧૫ વર્ષના કાર્યકાળ દરમિયાન હાઈસ્કૂલ ખોલ્યા પછી, ૧૯૭૮માં અંકલેશ્વર ખાતે મિશન શરૂ કરવામાં આવ્યું, જ્યાં ગામડાંઓમાં પણ જવાનું થતું હતું. અંકલેશ્વરમાં બોર્ડિગ શરૂ કરી અને ટેકનીકલ સ્કૂલ પણ ચાલુ કરી. આ વર્ષે ઓચિંતા ઉપરીએ મારી કરમસદ ખાતે બદલી કરી. જરૂરિયાત હોવાથી મેં સાત વર્ષ કરમસદ ખાતે ગાળ્યાં. ઈ.સ. ૨૦૦૧માં ફરીથી મારી બદલી અંકલેશ્વર ટેકનીકલ સંસ્થા ખાતે થઈ અને હું પરત આવ્યો. ત્યારથી આજ સુધી હું અંકલેશ્વરમાં કાર્યરત છું.
મને ફૂટબોલ રમવામાં ખૂબ રસ હતો. આથી આણંદમાં એની પૂરતી મઝા મેં માણી. મારી રમતની હોંશિયારી નિહાળી ઘણા યુવાન વિદ્યાર્થીઓ આ રમત શીખ્યા એટલું જ નહીં મારા અચ્છા દોસ્ત પણ બની ગયા. મારા પ્રિય વિદ્યાર્થીઓમાં બોર્ડરો પણ હતા. ઘણીવાર આ લોકો સાથે હું જાતજાતની રસિક ચર્ચાઓ કરતો હતો. આ મારા નાના મિત્રોને હું ઘણા ખુશ કરતો તેઓ મારા ઉત્સાહના અને જુસ્સાના પ્રશંસકહતા. હું કહેતો કે તમે ભાઈઓ જીવનમાં ઘણું આગળ વધશો. મારી ધારણા મુજબ પોત પોતાની રીતે આ વાત સાચી પડી છે.
May soul of Rev. Fr Moreta rest in peace. He was a true missionary, charismatic preacher, and dedicated and humble servant to Jesus.