સાબરકાંઠા જીલ્લામાં મોડાસા નજીક આવેલ રાજેન્દ્રનગરમાં રકતપિતગ્રસ્તો માટે સહયોગ કુસ્ટરોગ નામે જાણીતી સંસ્થા આવેલી છે . ચાલુ સાલે સંસ્થા તેના ૨૫ વરસ પુરા કરીને રજત જયંતી મહોત્સવ ઉજવે છે . તા ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ દિન’ રક્તપિત્ત નિર્મુલન દિન પણ છે . આ દિવસે અહી ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે . કાર્યક્રમમાં સંસ્થાને આર્થિક તથા અન્ય રીતે સહકાર આપતા સેવાભાવી લોકો મોટી સંખ્યામાં આવે છે . ચાલુ સાલે પણ રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો .સહયોગ સંસ્થાના પ્રણેતા શ્રી સુરેશ સોની છે . તેઓએ મોટા પગારની વડોદરા એમ એસ યુની કોલેજમાં મેથેમેટીક્સ્ના પ્રોફેસરની નોકરી છોડી દઈને રક્તપિત્તગ્રસ્તોની સેવામાં જીવન અર્પી દીધું છે .સહયોગ સંસ્થા ૨૮ એકર જમીનમાં પથરાયેલી છે જે દાનમાં મળેલી છે . રક્તપિત્તગ્રસ્તો સાથે અહી મંદબુદ્ધિના કિશોરો ને કિશોરીઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ છે . પરિસરમાં રક્તપિત્તગ્રસ્તોના બાળકોને ભણવા માટે એક પ્રાથમિક શાળા પણ શરુ કરવામાં આવી છે .સંસ્થાના પ્રવેશદ્વારે એક સર્વધર્મ મંદિર પણ છે જેમાં મુલાકાતીઓ પ્રાર્થના અને ધ્યાનમાં બેસી શકે છે . આશરે ૧૫ કી મી દૂર શામળાજી તીર્થધામ આવેલું છે . તીર્થધામે જતા જાત્રાળુઓ માટે સહયોગ સંસ્થામાં રાતવાસો કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે .
ફાધર વિલિયમ આ સંસ્થા સાથે તેની શરૂઆતથી જોડાયેલા છે ને વિવિધ રીતે આ સેવાપ્રવૃત્તિમાં સહકાર આપે છે . રજત જયંતી મહોત્સવમાં તેમને ખાસ આમંત્રણ હતું ને તે ઉપસ્થિત રહ્યા હતા .આ દિવસે અહીના પરિસરમાં સાયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું જેનો લાભ રક્તપિત્તગ્રસ્તોનાં બાળકો તથા ચોપાસના ગામોના વિધ્યાર્થીઓને પણ મળી રહેશે .
i was very much attached to mr. suresh soni since 1980 when he was in vadodara. for so many years we were regularly in touch. but now i am not. i would like to visit the site. if posible please give me mobile no. of mr. suresh soni.
one more news : in absence of mr. soni leprosy people are back in vadodara. i have seen a que of such people. i have posted a photograph on my face book account. francis or noelzeal@rediffmail.com
Hello
I am a retd prof. retd on 2005 but when when I was on job I used to visit every year this ashram . with 10 to 15 students of V.P, Science college enjoying shram Dan & giving entertain ment programme to these people