Tag Archives: રતિલાલ બોરીસાગર

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા વિષય પર પરિસંવાદ – ઓગસ્ટ ૨૬, ૨૦૧૨

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા
 
કિશોરાવસ્થામાંથી જ પોતાના જીવનમાં સંસ્કારો અને સદગુણોનું સિંચન થાય તો વ્યક્તિનું સમગ્ર જીવન સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા અને પરોપકારથી મઘમઘતું બની રહે છે. આ બાબતને લક્ષ્યમાં લઈને તા. ૨૬ ઓગસ્ટના રોજ “આશાદીપ” સંચાલિત ‘અંકુર’ કાર્યક્રમનાં કિશોર-કિશોરીઓ તથા આશાદીપ સંલગ્ન અન્ય યુવક-યુવતિઓ માટે ગાંધી વિચારધારા વિષયે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્યલેખક તથા કેળવણીકાર, સદભાવના ફોરમના સભ્ય અને ફાધર વિલિયમના સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ બોરીસાગરે લગભગ એક કલાક સુધી ગાંધીના જીવનમાંથી ચૂંટીને, વીણીને વિવિધ પ્રેરણાત્મક પ્રસંગોનું તેમની લાક્ષણીક શૈલીમાં વર્ણન કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. પ્રવચન બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં પૃચ્છકોએ ગાંધીજી અંગેની કેટલીક માન્યતાઓ બાબતે સ્પષ્ટતા કરી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ અંકુરીયાંઓ માટે માત્ર રસપ્રદ નહિ, બહુ જ હિતકારક નીવડ્યો હતો. અંકુરના સંયોજક મેહુલ ડાભીએ વક્તાશ્રીનો આભાર માની આશાદીપમાં પુન: પધારી યુવાવર્ગને સાત્વિક વિચારોની લહાણી કરવા અપેક્ષા રજૂ કરી હતી.
સમાચાર/પિક્ચર: “આશાદીપ”