All posts by admin

પ્રતિકૂળ હવામાનના કારણે ગુ.કે.સ.ઓફયુએસએ યોજીત ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ મોકૂફ રાખવામાં આવે છે.

 

સેન્ડિ નામનું વાવાઝોડું કેરેબિયન ટાપુ પર તબાહી ફેલાવી પૂર જોશમાં અમેરિકાના ઉત્તર-પૂર્વિય વિસ્તાર તરફ ધસી રહ્યું છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડું દક્ષિણ ન્યુ જર્સીના હિસ્સા પર પડાવ કરશે. આ વાવાઝોડું ૫૦ થી ૮૦ માઈલનો પવન અને ભારે વરસાદના ઝાપટા લઈને આવશે. જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ભરતીનાં પાણી ફરી વળશે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.

 

 

આ વાવાઝોડાની અસર રવિવારથી વરતાવા માંડશે. સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદની શરૂઆત રવિવારથી થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ ના દિવસે યોજેલ ફાતિમાના દેવાલયનો યાત્રા-પ્રવાસ રદ કરે છે. આ પ્રવાસ સાનુકૂળ સમયે ફરીથી ગોઠવવામાં આવશે.

 

હવામાન ખાતા તરફથી અપાતી માહિતી પર ધ્યાન આપતા રહેજો અને જરૂરી સાવચેતી જાળવજો. જરૂરી સામગ્રી જેમકે પીવાનું પાણી, ખાધ્યસામગ્રી, મીણબત્તી, ફ્લેશલાઈટ, રેડિયો અને બેટરી વગેરેની વ્યવસ્થા કરી રાખશો.

 

Please visit New Jersey Office of Emergency Management.

 

પ્રાર્થના કરીએ આ વાવાઝોડું ખાસ વધુ નુકશાન કર્યા વગર પસાર થઈ જાય.         

“સોસાયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ” ઝેવિયર્સ કોન્ફરન્સ સીટીએમ, અમદાવાદ

કોઈ પણ જાહેર સંસ્થા માં પારદર્શિતા આવશ્યક તથા અનિવાર્ય હોય છે. અને ખાસ કરીને જો એ ખ્રિસ્તી સંસ્થા હોય તો એમાં ખ્રિસ્તીપણાના પાયાના ત્રણ મૂળ તત્વો તો હોવા જ જોઈએ. પ્રેમ, શાંતિ અને ક્ષમા! કોઈપણ સંસ્થાની ટીકા કે તરફેણ કર્યા સિવાય એક સંસ્થા વિષે કહી શકાય કે ભારતભરમાં એ ઘણું ઉમદા કામ કરી રહી છે. અને આ સંસ્થા છે “સોસયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ-દ-પોલ”. આ સંસ્થા ગુજરાતના વિવિધ શહેરોમાં પણ કાર્યરત છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ૨૦૦૬ થી કાર્યરત આ સંસ્થા ઘણાં સેવાના કામ કરી રહી છે. એ સંસ્થાની કાર્યવાહક સમિતી અને સીટીએમ વિસ્તારના ખ્રિસ્તી ભાઈબેનોને અભિનંદન અને આવતા સમયમાં એમની પ્રવૃત્તિઓ વધે અને ફળદાયી નિવડે એવી શુભેચ્છાઓ.

 

આ સંસ્થા વિષે વધુ માહિતી માટે સંસ્થાના ૨૦૧૧-૨૦૧૨ વાર્ષિક અહેવાલને વાંચવા ઉપરના પિક્ચર પર ક્લિક કરો.             

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) નો સેમિનાર યોજાયો.

 

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફેકટરીઓ તથા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો ને મજૂરોનાં સ્વાસ્થ્યના હક્કો તથા સલામતી માટે કામ કરે છે. તેના પ્રણેતા શ્રી જગદીશ પટેલ છે. ખંભાત શહેરમાં અકીકના ઉદ્યોગમાં કામ કરતા ગરીબ મજૂરોને સીલીકોસ નામનો મટી શકે તેવો રોગ થાય છે ને ઘણાખરા મજૂરો માત્ર ૪૦ વર્ષની વયે મૃત્યુને ભેટતા હોય છે. આવા ગરીબ કામદારોના પરિવારોને માલિકો તરફથી પૂરતું રક્ષણ મળે ને તેમને વિમાનો લાભ મળે માટે જગદીશભાઈ ઘણી મહેનત કરે છે. આવી ગરીબો ને શ્રમજીવીઓની સેવામાં ખંભાતમાં રહેતા શૈલેશ અભીધેય કે જે પત્રકાર છે તે જગદીશભાઈને ઘણા મદદરૂપ બને છે. તા ૨૦ ઓક્ટોબરના રોજ ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં એક સેમિનારનું આયોજન કરીને ઉપરોક્ત બંને ભાઈઓએ અક્કિક ઉદ્યોગમાં રોકાયેલ કામદારોની દયાજનક પરિસ્થિતિ વિષે વિગતે સહુને માહિતી આપી હતી અને તેમના હક્કોના અને સ્વાસ્થ્યના રક્ષણ માટે કેવા કાયમી ઉકેલ લઇ શકાય એના સૂચનો માગ્યા હતાં.ફાધર વિલિયમ જગદીશભાઈના સેવાની ઘણી કદર કરીને તેમને વરસોથી સાથ સહકાર આપે છે ને સેમિનારમાં તેમને આમંત્રણ હોઈ ઉપસ્થિત રહ્યા હતા અને જારૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

 

ફાધર વિલિયમ