સદભાવના ફોરમ સમિતિના સભ્યોએ તા ૨૧ ડીસેમ્બરના રોજ મહુવા ખાતે શ્રી મોરારીબાપુની મુલાકાત લીધી અને આગામી વાર્ષિક ‘સદભાવના પર્વ’ની તારીખો નક્કી કરી. દેશમાં સામાજિક સંવાદિતા આજે તાકીદની બની છે અને તેની ઘણી જરૂર ઊભી થઇ છે. આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખી પ્રતિ વર્ષ બે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. એક રાજ્ય કક્ષાએ અને બીજો રાષ્ટ્રીય કક્ષાએ. એવોર્ડનું નામ હાર્મની એવોર્ડ હશે. ગુજરાત રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અને એજ રીતે દેશમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કોમી એકતા/સામાજિક સંવાદિતાનું કામ કરતી હોય તેને આ હાર્મની એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડની રકમ એક લાખ રૂપિયા હશે. સદભાવના પર્વ દરમ્યાન આ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ પસંદ કરેલને એનાયત કરવામાં આવશે.
તસવીરોમાં સદભાવના સમિતિના સભ્યો શ્રી મોરારીબાપુના પી.એ.સાથે મંત્રણાઓ કરતા દેખાય છે. ફાધર વિલિયમ પણ હાજર હતા.
૨૦૦૪ થી આ વેબસાઈટ ગુજરાતી ખ્રિસ્તી સમાજના સમાચાર અને માહિતી આપ સૌ સુધી પહોંચાડી રહી છે. આપ સૌએ એને પહેલા દિવસથી વધાવી અને આજ પર્યંત પોતાનો પ્રેમ સહકાર અને માર્ગદર્શન આપતા રહ્યા છો. જાન્યુઆરી ૨૦૧૨ થી વેબસાઈટને એક નવું સ્વરૂપ આપ્યું અને આપ સૌનો એને પણ આપનો આવકાર મળ્યો. ૨૦૧૨ ના વરસ દરમ્યાન આપે વારંવાર મુલાકાત લઈને મુલાકાતીઓની સંખ્યા ૨૦ હજાર ઉપર પહોંચાડી દીધી એ આપના પ્રેમનો પરિપાક છે. આપ સૌ મિત્રો સ્નેહીજનોનો આભારી છું. આ નવા સ્વરૂપને આકારવા માટે મારા ભાણિયાએ ઘણી મહેનત કરી છે અને હજુ પણ સમયાંતરે ક્યાંક અટકી જવાય છે તો સંભાળી લે છે. શ્રી. રાજ મેકવાનનો ખૂબ ખૂબ આભાર.
મિત્રો આપ સૌ સમાચાર-માહિતી મોકલતા રહો છો તો આપ સૌનો આભાર અને ખાસ કરીને મારા મિત્ર શ્રી. કનુભાઈ પરમારનો આભાર માનું છું. ફાધર વિલિયમ પણ ઘણા સમાચાર-માહિતી મોકલી આપે છે એમનો પણ આભાર માનું છું. ફાધર વિલિયમની બધી જ માહિતી ઉમદા હોય છે છતાં ઘણી માહિતી વેબસાઈટ પર ના મૂકવાનો નિર્ણય કમને કરવો પડતો હોય છે એની દિલગીરી વ્યક્ત કરું છું. જેઓ મુલાકાત લઈને પોતાના પ્રતિભાવ રજુ કરે છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ગરવી નવક્રાન્તિ અને નવક્રાન્તિ ના સાપ્તાહિક અંક વેબસાઈટ પર પ્રકાશિત કરવા દેવા માટે શ્રી રોબિન ધોડકીયાનો આભાર. દૂતની લિન્ક માટે ગુજરાત સાહિત્ય પ્રકાશનો આભાર માંનું છું. અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ ને પ્રકાશિત દેવા કરવા માટે રૂથબેન અને રોબિનભાઈનો આભાર.
આ વેબસાઈટ પર ગુજરાતના ખ્રિસ્તી સમાજ અને સમાજજનો ના સમાચાર પ્રસંગો અને માહિતી અહીં રજૂ કરવામાં આવે છે. આપ સૌ પોતાના વિસ્તાર કે પોતાના પરિવારના કોઈ પણ પ્રસંગ ના સમાચાર મોકલશો તો એને જરૂર પ્રકાશિત કરવામાં આવશે. તો મોકલતા રહો.