Tag Archives: Kokilaben Parmar

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા – ફાધર વિલિયમ

 

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા

 
તાજેતરમાં ૧૭ મેથી ૨૮ મે દરમ્યાન ૩૮ ખ્રિસ્તી ભાઈબેનોના એક બહુ ધાર્મિક ભાવનાવાળા જૂથ સાથે પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રાએ જવાનું મને તથા મારા બીજા ત્રણ સાથી ફાધરોને સૌભાગ્ય સાંપડ્યું હતું જે વિસ્મરણીય બની રહેશે. ઈસુના જન્મ તથા તેમના ઉપદેશ સાથે સંકળાયેલ લગભગ બધાં જ પવિત્રત્તમ સ્થળોએ જઈ દર્શન કરવાનો મોકો મળ્યો ને ધન્યતા અનુભવી. પ્રત્યેક સ્થળે પહોંચતાં તેની ટૂંકમાં ઓળખાણ, તેનો બાઈબલમાં સંદર્ભ તથા બાઈબલ વાચન-મનન સહિત અર્થવાહી પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતો આધ્યામિક અખૂટ આનંદ અમારી સમૂહ યાત્રાની આગવી ખાસિયત હતી. જૂના કરારમાં ઉલ્લેખાયેલ સીનાઈ પર્વત, બળતું ઝાંખરું, પ્રભુ યાહવેએ મોશેને દસ આજ્ઞા આપી તે જગા, ઈજિપ્તમાંથી પુણ્યભૂમીમાં આવતાં રાતા સમુદ્રના જે બે ભાગ ઈશ્વરે કર્યા તે સ્થળ પણ અમે જોયાં. એમ અમારી આખીયે યાત્રા બાઈબલમય પણ બની રહી ને અંતરે બાઈબલ વાચન માટેનો ઉત્સાહ પુઃન પ્રગટ્યો એ વધ્યો. સમગ્ર વિશ્વમાંથી ખ્રિસ્તીઓ વિશાળ સંખ્યામાં અહીં યાત્રાએ આવે છે તેમને જોઈને ઈસુના આવા વિશાળ અનુયાયી પરિવારને મળ્યાનો તથા એના સભ્ય હોવાની સભાનતા માણ્યાનો અનહદ આનંદ અનુભવ્યો. અમારા સહુની એક લાગણી ને પ્રતિભાવ આ હતો ‘આ પુણ્ય મારાં ક્યાંથી?’
 
ગુજરાતમાંથી હવે નિયમિત રીતે વિવિધ સ્થળોએથી ખ્રિસ્તીઓ ઈઝરાયેલની યાત્રાએ જવા લાગ્યા છે જે આનંદની ઘટના ગણાય. યાત્રાએ જઈ આવ્યા બાદ મને લાગે છે કે ખ્રિસ્તીઓએ, બીજા કેટલાક સામાજિક ખર્ચા, વસ્ત્ર પરિધાન, શૃંગાર, મોંઘા ઘરેણાં અને મનોરંજન પાછળ વપરાતાં નાણાં તથા વ્યસનોમાં થતો નાણાંનો દૂર્વ્યય અટકાવી આ પુણ્યદાયી પ્રવાસ માટે આર્થિક જોગવાઈ કરી યાત્રાએ જઈ આવવું જોઈએ કારણ ઈસુની જન્મભૂમિમાં મુલાકાતે જવું એ એક લહાવો છે જેનો ક્યારેય પસ્તાવો નહિ થાય. આણંદ પાસે લાંભવેલ ગામમાં રહેતાં કોકિલાબેન પરમાર આવા પ્રવાસનું અલબત યાત્રાનું સુંદર આયોજન કરે છે જેનો સુખદ અનુભવ મેં જાતે કર્યો છે. પ્રસ્તુત યાત્રા કરવા ઈચ્છતા સહુને તેમનો સંપર્ક કરવા ભલામણ કરું છું. તેમનો સંપર્ક કરો – મો: ૯૪૨૯૬૬૩૩૫૪
– ફાધર વિલિયમ   

 

Pictures – Arpita Macwan – Israel

 

કોકિલાબેન પરમાર સંયોજિત પવિત્ર ભૂમિ ઈઝરાયેલની યાત્રા ૧૬-૨૮ મે ૨૦૧૨

છેલ્લા કેટલાય વરસોથી કોકિલાબેન પવિત્ર ભૂમિ ઈઝરાયેલની યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે. દુનિયાભરના કેટલાય શ્રદ્ધાળુઓને આપણા પરમેશ્વરની જન્મભૂમિ અને કર્મભૂમિના દર્શન કરાવવાનો યશ કોકિલાબેનના ફાળે છે.

મે ની ૧૬- ૨૮ દરમ્યાનની આ વખતની યાત્રામાં ૨૦ શ્રદ્ધાળુઓ યાત્રા પર જઈ રહ્યા છે જેમાં ફાધર વિલિયમ પણ સામેલ છે. ઈશ્વરને પ્રાર્થના કે તેઓની યાત્રા સફળતાપૂર્વક પૂરી થાય. આ ૨૦ જણ એમની વ્યક્તિગત પ્રાર્થના સાથે આપણા બધા માટે પણ પ્રાર્થના કરે એવી વિનંતી.

 

ગાંધીનગર ડાયોસિસના માનનીય આર્ચબિશપ સ્તાનિસલાઉસે માહિતી આપી કે આ યાત્રામાં ગાંધીનગર ડાયોસિસના ફાધર જેબામલાઈ, ફાધર ઓર્નેલસ કુટિન્હો અને બ્રધર મેથ્યુ ફર્નાડિસ પણ સામેલ છે.