A Good Shepherd and beloved Fr. Lopez De Pariza passed away at the age of 102 at 9:30PM Indian time on June 20, 2019.
પ્રભુપિતાના એક અદના સેવક તરીકે જે વિરલ વ્યક્તિએ આ આયખું પસાર કરી નાંખ્યુ તેઓ તો પરમપિતાની યોજનાના અડીખમ ભાગીદાર હશે જ, એટલે તેઓ પ્રભુપિતાના સાન્નિધ્યમાં સહુ સંતો અને દૂતો સાથે ઈશ્વરનો મહિમા કરશે એમાં કોઈ જ શંકા નથી!
આપણે એમના જીવનમાંથી “સર્વને નિર્દોષ પ્રેમ” અને “સહુની નિ:સ્વાર્થ સેવા”નો પાઠ શીખીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ! – કેતન ક્રિશ્ચિયન.
————————————————————————————
પીઢ મિશનરી ફાધર પરીઝાનું આજે તા.૨૦ જૂન ૨૦૧૯ રાત્રે ૯:૩૦ કલાકે વડોદરા ખાતે અવસાન થયેલ છે.
* પૂજય ફાધર પરીઝાનુ અંતિમ દશૅન :-
તા.21 જૂન 2019, શુક્રવાર
સમય :- બપોરના 1:00 થી 2:45 કલાકે અંતિમ દશૅન કેથોલિક ચચૅ ગામડી આણંદ દેવળમા રાખવામા આવેલ છે.
* ખ્રિસ્તયજ્ઞ બપોરના 3:00 કલાકે ચચૅ કમ્પાઉન્ડમાં રાખવામા આવેલ છે.
* દફનવીધિ ગામડી કબ્રસ્તાનમાં રાખવામા આવેલ છે.
પૂજય ફાધર પરીઝાની શ્રદ્ધાજંલિનો ખ્રિસ્તયજ્ઞ :-
23/06/19 રવિવારના રોજ સવારના 8:30 કલાકે કેથોલિક ચચૅ ગામડી આણંદ દેવળમા રાખવામા આવેલ છે.
માહિતી: સભાપુરોહિત, ગામડી-આણંદ પેરિસ.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.