Tag Archives: Ashadeep

Father S. Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday.

This picture is from Fr. William of "Rishta".
This picture is from Fr. William of “Rishta”.
Father S.  Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday. He was sick suffering for breathing Problem. He was admitted at Our Lady of Pillar Hospital, Baroda, since 15 days. Last week he was on Ventilator. His Funeral was held at Gamdi-Anand Church, more than 100 Priest, Bishop of Baroda and Gujarat Jesuit Provincial was present along with about 400 Friends and people of around Anand. He will be remembered for his valuable Services to our Youth and Poor people of Villages. He was working as a Director of Ashadeep Manav Vikash Kendra, Vallabh Vidyanagar for a long time. Personally I have lost a very good friend.

 

Thanks.
Vicky Macwan. USA

 

ફા. સેબાસ્ટિયન અમલરાજની પ્રાર્થનાસભા તા. ૨૧ મી સપ્ટેમ્બર રવિવારે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી છે. સ્થળ : આશાદીપ, વિદ્યાનગર …. શ્રી. રતિલાલ જાદવ (Facebook)  

Fr. Vijay Dsouza has created a new blog to help and support the youth of Gujarat – GJYM

Fr. Vijay Dsouza of Ashadeep Human Development Center is working with youth of Gujarat to guide, support and prepare them a strong, ambitious and successful youth. Technology is an important part of  life in today’s world and specially when working with today’s youth. So Fr. Vijay has started a new blog where lots of information is shared to help the youth of Gujarat and beyond. Please click on the below picture to visit the blog. The link is added in the sidebar of this website’s blogroll for your easy access.

 

Click on the picture to visit the blog.
Click on the picture to visit the blog.

GJYM is also very active on  FACEBOOK.

Click here to visit and join GJYM on FACEBOOK

1005942_667358289945489_885255536_n

Congratulations to Fr. Vijay Dsouza and we wish him all the best.

You can always count on us for our support.

OASIS VALLEYSની મુલાકાતે . . . જુઓ…. જાણો…. અને જોડાઓ

 

 

છેલ્લાં બે સપ્તાહથી આશાદીપ વિદ્યાનગરમાં હોલેન્ડની બે કોલેજિયન યુવતીઓ અહીનું લોકજીવન નિહાળવા અને તેનો અભ્યાસ કરવાના ધ્યેયથી આવી છે ને જુદી જુદી જગ્યાએ જઈને બધું જૂએ છે  ને રહીને અનુભવ કરે છે. તા 17  મીના રોજ હું તેમને ચાણોદમાં નર્મદા નદીને કિનારે કોતરમાં ઉભું કરેલ એક જાણીતું કેન્દ્ર કે જે ઓએસીસ  વેલીસ (OASIS VALLEYS) તરીકે ઓળખાય છે તે જોવા લઇ ગયો હતો.

            

 

આશરે વીશેક વરસો  પહેલા વડોદરામાં કેટલાંક યુવક યુવતીઓએ ભેગાં મળીને સમાજ માટે કૈંક કરવાનો સંકલ્પ કર્યો અને ઓએસીસ નામે સંજીવ શાહની આગેવાની હેઠળ એક ગ્રુપ શરુ કર્યું. ગ્રુપના સભ્યો પાંચ વરસ સુધી સાથે રહ્યા અને શું કરવું તેની ચર્ચા વિચારણા તથા મનોમંથન કર્યું. ગ્રુપ સાથે હું તેની શરૂઆતથી મિત્ર રહ્યો છું અને તેમને સાથ સહકાર આપતો આવ્યો છું. બધાં યુવકયુવતીઓ શિક્ષિત, સંસ્કારી અને સામાજિક નિસબત ધરાવતી  આશાસ્પદ વ્યક્તિઓ છેતેઓ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જવાબદાર નાગરીકો ઘડવા ને પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સામાન્ય પ્રકારનું અને ચીલા ચાલુ જીવન જીવવા કરતા કૈંક જુદા પ્રકારની જીવનશૈલી અપનાવવી એવો તેમને સંકલ્પ કર્યો છે. મનગમતી ને જીવનમાં આનંદ આપે તેવી પ્રવૃતિઓ કરાવી ને તેમાંથી જીવન નિર્વાહ માટે આવક પેદા કરાવી એવું તેઓ માને છે ને એમાં સફળ પણ થયા છે.    

 

 

ચાણોદમાં નર્મદા નદીના કોતરોમાં જેમાં કશુજ ઊગી શકાતું નહોતું  તેવી ખરાબાની જમીન કોઈએ તેમને વેચી. ગ્રુપે આજે જમીનની કાયા પલટી  નાખી છે. આજે અહી વિવિધ પ્રકારના ૪૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં છે ને એકેય ઝાડ એવું નથી કે જે નકામું હોય ને કશા કામમાં આવતું હોય. તેઓ વિલાયતી ખાતરના વિરોધી છે અને માત્ર ને માત્ર દેશી (ઓર્ગનીક) ખાતર વાપરે છે ને બનાવે પણ છે. ફાર્મ અને ગ્રુપ વિષે મારે એટલું બધું કહેવાનું છે કે આજે તે માટે સમય અને અવકાશ નથી. છેલ્લા કેટલાંક વખતથી તેઓએ શાળાઓમાં ભણતાં કિશોરકિશોરીઓના વ્યક્તિ ઘડતરની શિબિરોનું આયોજન કરવાનો આરંભ કર્યો છે ને તેમાં સફળ થયા છે. ખુદને મને તેમની સદ્પ્રવૃતિ  ઘણી ગમે છે ને મારી રીતે ત્યાં કોઈને મોકલવાનો પ્રયાસ કરું છું.        

 

 

ઓએસીસ વેલીસ નાં ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુપના મિત્રોને તેમને આમંત્રણ આપ્યું હતું જેમાં મારો પણ સમાવેશ કર્યો હતો ને ત્યાં જઈને મેં ઘણો આનંદ માન્યો હતો.

 

ફાધર વિલિયમ