Tag Archives: ફાધર વિલિયમ

Mr. Narayan Desai The Great Gandian Passed away on March 15, 2015.

NarayanDesai-Fr. William

Mr. Narayan Desai, the great Gandhian who died on March 15, 2015,  inaugurated “GANDHI VICHARMANCH”, which was started by Fr. William in Vidyanagar with other Professors.

 

Please click here to read the above news from this website.

 

DB

મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઈના પુત્ર અને ગાંધી કથાના પ્રણેતા નારાયણભાઈ દેસાઇનું રવિવાર, માર્ચની ૧૫, ૨૦૧૫ ના રોજ વહેલી સવારે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે મળસ્કે 4.30 કલાકે અવસાન થયું હતું. અવસાનની જાણ થતાં ગાંધી વિચારકો અને સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ વેડછી ખાતે આવી પહોંચ્યા હતા. અને નારાયણ દેસાઇને શ્રદ્ધાંજલી અર્પી હતી. વેડછી ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને વાલ્મીકિ નદીના તટ પર ગાંધી ઓવરા ખાતે નારાયણ દેસાઈના બે પુત્રો અને એક પુત્રી દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

 

તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં વેડછી ખાતે આવેલ ગાંધી વિદ્યાપીઠ ખાતે રહી ગાંધી વિચારધારાને આગળ વધારતા અને આદિવાસીવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવનાર ગાંધીવાદી નારાયણ દેસાઇનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. નારાયણ દેસાઇ ગત ૯મી ડિસેમ્બરે અચાનક તેમની તબિયત બગાડતાં કોમામાં સરી ગયા હતા, પ્રાથમિક સારવાર બારડોલી આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દોઢ મહિનાની સારવાર બાદ ગત વીસ દિવસ પહેલા તેમની તબિયતમાં સુધારો થતાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય વેડછી ખાતે તેમને પરત લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની મોટી પુત્રી ડૉ. સંઘમિત્રા દેસાઇ દ્વારા તેમની દેખરેખ રાખવામા આવતી હતી. અને ગત ૧૫મી માર્ચના મળસ્કે ૧:૩૦ વાગ્યાના સમયે તેમને ઑક્સીજન આપવામાં આવ્યો હતો. તેમની પુત્રીએ સવારે તપાસ કરતાં નારાયણ દેસાઈના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા. અને તેમનું નિધન થયાની જાણ સમગ્ર પરિવારને કરવામાં આવી હતી.

 

નારાયણ દેસાઇએ 75થી વર્ષથી વધુ સમયના સામાજિક જીવન દરમ્યાન મહાત્મા ગાંધી, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને વિનોબા ભાવે સાથે કાર્ય કર્યું હતું, તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભૂદાન આંદોલન, સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિહાર આંદોલનમાં તેમની સક્રિયતાના કારણે તે સમયની રાજ્ય સરકારે તેમને બિહાર રાજ્યમાંથી બહાર મોકલી દીધા હતા. વર્ષ ૨૦૦૨માં ગાંધીના વિચારો માટે ગાંધી કથા શરૂ કરી દીધી હતી. એમને કેન્દ્રિય સાહિત્ય એકાદમી પુરસ્કાર, મૂર્તિદેવી પુરસ્કાર ઉપરાંત બાંગ્લાદેશ સરકારે સર્વોચ્ચ નાગરિક સન્માનનો એવોર્ડ પણ એનાયત કર્યો હતો.

 

મહાત્મા ગાંધીના પર્સનલ સેક્રેટરી મહાદેવ હરિભાઇ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈના પરિવારમાં તેમની પત્ની સ્વ. ઉત્તરાબેન દેસાઇ તથા તેમની મોટી પુત્રી ડૉ. સંઘમિત્રા દેસાઇ, પુત્ર નચિકેતા દેસાઇ અને નાના અફલાતૂન દેસાઇ છે. નારાયણભાઈ દેસાઈનો જન્મ ડિસેમ્બર ૨૪, ૧૯૨૪ ના રોજ વલસાડ ખાતે થયો હતો. તેઓ જાણીતા સર્વોદયકાર અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય વેડછીના સંચાલક તરીકે સેવા કરતાં હતા. અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં કુલપતિ તરીકે પણ સેવા આપી હતી.

 

નારાયણ દેસાઈની અંતિમ યાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા, ઉપાધ્યક્ષ આત્મરામ પરમાર, માજી કેન્દ્રિય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાતવિદ્યાપીઠ ના કુલપતિ ઇલાબેન ભટ્ટ, હળપતિ સેવા સંઘના પ્રમુખ અરવિંદભાઇ દેસાઇ વગેરેએ હાજરી આપી હતી. પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઇને રાજકીય સન્માન સાથે સરકાર દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી માન ભેર અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રસંગે તાપી જિલ્લા પોલીસ વડા ડૉ. મહેશ નાયક, જિલ્લા કલેક્ટર બી.સી પટણી સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

માહિતી “દિવ્ય ભાસ્કર”

“ગુર્જર ભૂમિમાં મિશનરી જેસુઈટ બ્રધરો (પ્રથમ હરોળના)” સંપાદક – ફા. વિલિયમ. પુસ્તક પરિચય શ્રી. અન્નપૂર્ણા મેકવાન, ગાંધીનગર.

Gurjar bhoomina jesuit missionary brothero
ફેબ્રુઆરીની ૧૫ તારીખે આણંદ મુકામે “ગુર્જર ભૂમિમાં જેસુઈટ બ્રધરો (પ્રથમ હરોળના) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું સંપાદન ફાધર વિલિયમ પિયુષ મેકવાન એસ. જે. (રિશ્તા) એ કર્યું છે. અગાઉના તેમના બે પુસ્તકોની જેમ જ એમની એટલીજ અભ્યર્થના છે કે, ધર્મસભાના પાયાના ચણતરમાં જેમનું ખરેખર યોગદાન રહેલું છે, તેમને આપણી સમક્ષ લાવવું અને સેવામૂર્તિ બ્રધરોના કામની કદર થાય. 

 

શ્રી. અન્નપુર્ણા મેકવાને ઉપર જણાવેલ પુસ્તકનો પરિચય ખૂબજ સુંદર રીતે કરાવ્યો છે, જે વાંચવા માટે નીચેના એમના પતિ શ્રી. ચંદ્રવદન મેક્વાન સાથેના પિક્ચર પર ક્લિક કરો. 

 

Please click on the picture to read.
Please click on the picture to read.

 

 

માહિતી: હિરલ અરુણ. 

Father S. Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday.

This picture is from Fr. William of "Rishta".
This picture is from Fr. William of “Rishta”.
Father S.  Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday. He was sick suffering for breathing Problem. He was admitted at Our Lady of Pillar Hospital, Baroda, since 15 days. Last week he was on Ventilator. His Funeral was held at Gamdi-Anand Church, more than 100 Priest, Bishop of Baroda and Gujarat Jesuit Provincial was present along with about 400 Friends and people of around Anand. He will be remembered for his valuable Services to our Youth and Poor people of Villages. He was working as a Director of Ashadeep Manav Vikash Kendra, Vallabh Vidyanagar for a long time. Personally I have lost a very good friend.

 

Thanks.
Vicky Macwan. USA

 

ફા. સેબાસ્ટિયન અમલરાજની પ્રાર્થનાસભા તા. ૨૧ મી સપ્ટેમ્બર રવિવારે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી છે. સ્થળ : આશાદીપ, વિદ્યાનગર …. શ્રી. રતિલાલ જાદવ (Facebook)