Tag Archives: દિવ્ય ભાસ્કર

Mr. Travis DeSouza has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

June 05, 2018: Inspiring story today on world environment day-Mr. Travis DeSouza of Valsad, Gujarat has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

વરસાદી પાણીનો સંગ્રહ કરી સદઉપયોગ કરતો વલસાડનો પરિવાર – દિવ્ય ભાસ્કર નો અહેવાલ: 

વલસાડ: પાણી વિના જીવન અધૂરુ છે. જળ, વાયુ અને અગ્નિ આ ત્રણેય વગર કંઈપણ શક્ય નથી. પાણીની અછત હમણાં કેટલાય વર્ષોથી ગુજરાત સહિ‌ત અનેક રાજ્યોમાં વર્તાઈ રહી છે. જમીનમાં પાણીના સ્ત્રોતો શોષાઈ રહ્યા છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આબોહવામાં પણ પ્રદૂષણને લઈ આમૂલ પરિવર્તનો થઈ રહ્યા છે. જળ એજ જીવન છે, ત્યારે પાણીના એક એક ટીપાંનો સદઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ પણ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી આખુ વર્ષ ચલાવે છે

ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પાણી અંગે સર્જા‍ઈ રહેલી વૈશ્વીક તંગી સામે ભાવિ પેઢીની ચિંતા સેવતા વલસાડના એક પરિવારે આખું વર્ષ ઉપયોગમાં લેવાતા પાણી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરી નવી પહેલ કરી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા ઉત્સાહી યુવક ટ્રેવીસ ડિસોઝાએ મહામૂલા કુદરતી દેન સમા ગંગાજળ જેવા પવિત્ર જળનો સંગ્રહ કરવાની શરૂઆત 2000માં કરી હતી, જે આજ પય્ર્‍ાંત પણ ચાલુ જ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી ૧૯ વર્ષથી પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરે છે

વરસાદી પાણીનો સંગ્રહ કરનાર ડિસોઝા પરિવારના તમામ સભ્યો વરસાદની શરૂઆત થાય તે પહેલાં ૧૦-૧૨ દિવસ અગાઉ પાણી ઝીલવા માટેની પનાર, પીવીસી પાઈપ-ટાંકી, ટેરેસ અને વિલાયતી નળિયાની સાફ સફાઈ કરી વરસાદની રાહ જોતા હોય છે. જો કે પ્રથમ વરસાદ તોફાની હોય અને થોડું ઘણું પાણી ગંદુ હોવાથી તે પાણીનો સંગ્રહ કરતા નથી. ડિસોઝા પરિવાર પાણીનું મૂલ્ય સમજ્યો છે, ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવવા તેમણે ટેરેસ-અગાસીની પાઈપલાઈનને નીચે લાવી ટાંકામાં ઠાલવી દેવાની નવી પધ્ધતિ અપનાવી વર્ષે દહાડે ૬થી૮ હજાર લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી છેલ્લા ૧૯ વર્ષથી આજ પાણીનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરી રહ્યો છે.

વરસાદી પાણીના બચાવની નોંધ લેવાઈ

ડિસોઝા પરિવાર દ્વારા 16 વર્ષથી ચાલી રહેલા વરસાદી પાણીના બચાવ અભિયાનથી પ્રેરાઈને વલસાડના અનેક પરિવારો પણ આ પધ્ધિતી અપનાવી રહ્યા છે. દૂરદર્શન અમદાવાદને આ ઘટનાની જાણ થતાં તેમણે આ સમગ્ર પ્રક્રિયાનું શુટિંગ કરી પ્રસારણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વાસ્મોના પ્રકાશિત થતાં લોકસંવાદના અંકમાં પણ ડિસોઝા પરિવાર દ્વારા કરતા વરસાદી પાણીના બચાવ પ્રક્રિયાની નોંધ લેવાઈ હતી. વધુમાં ટ્રેવિસ ડિસોઝાને મુંબઈ મ્યુનિસિપલ ર્કોપોરેશને વરસાદી પાણીના બચાવની પ્રક્રિયા અંગેની વિગત જાણવા ખાસ આમંત્રણ પણ આપ્યું હતું. વલસાડમાં ડિસોઝા પરિવારની સામે રહેતા લંડનના એનઆરઆઈ પરિવારે પણ આ પ્રક્રિયાથી પ્રેરાઈને તેમણે લંડનમાં પણ આ પધ્ધતિ અપનાવી વરસાદી પાણીનો બચાવ કરી રહ્યા છે.

આગળ વાંચો, વરસાદી પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ- મધુર છે

ટ્રેવિસ ડિસોઝા જણાવે છે કે, મારો પુત્ર ડેન જન્મ્યો ત્યારથી વરસાદી પાણી પીએ છે. આ પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે. તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ અને મધુર લાગે છે. જો કે, વરસાદી પાણીને ડાયરેક્ટ પીવામાં ન લઈ શકાય. કેમ કે તેમાં બેક્ટેરિયાને દૂર કરવા જ પડે. અમે વરસાદી પાણીને ગરમ કરી ઠંડું પાડયા બાદ પીવામાં વાપરીએ છીએ. અહીંની જમીનમાં ક્ષાર અને ખનીજ તત્વ વિપુલ પ્રમાણમાં હોઈ સાંધાનો દુ:ખાવો તેમજ અન્ય પાણીજન્ય બિમારીઓ અનેક લોકોમાં જોવા મળે છે. મારા ફાધર-મધર નિવૃત જીવન ગાળી રહ્યા છે, તેઓ પણ આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી પગમાં કે સાંધાના દુ:ખાવા તેમજ અન્ય બિમારીથી દૂર રહી શક્યા છે.

રાષ્ટ્રીય જળસંપત્તિના બચાવ સાથે ઊર્જા‍ બચત

ટ્રેવિસ ડિસોઝાના માતા ડોરોપી જણાવે છે કે, ચોમાસામાં એકઠું કરેલું વરસાદી પાણી અમે બારેમાસ રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ. જેનાથી રસોઈ માટે વપરાતા રાંધણગેસમાં પણ બચત થાય છે. તુવેરની દાળ અને અન્ય કઠોળ રાંધવામાં સામાન્ય પાણીમાં જે સમય લાગે તેના કરતાં અડધા સમયમાં વરસાદી પાણીથી રસોઈ તૈયાર થઈ જાય છે. દાળ-ચોખા ઝડપથી ચઢી જાય છે અને મીઠા પણ લાગે છે. ખોરાકની ગુણવત્તા વધતાની સાથે ઊર્જા‍ની પણ બચત થાય છે.

Medha Engineer from Canada was crowned as the second runners up as Classic Mrs. India 2018 Queen of Substance.

Congratulations to Medha Engineer from Canada who was crowned as the second runners up as Classic Mrs. India 2018 Queen of Substance.

Mrs. India 2018 Queen of Substance Pageant completed another successful year with its grand finale in the presence of Bollywood diva Mahima Choudhary and evergreen beauty Poonam Dhillon. With the crown on her head, winners stood before the audience as Mrs. India 2018 Queen of Substance announced their results of 3 days long beauty pageant held at ITC Welcom Hotel Dwarka. Shivani Naik Shah from Pune was crowned as Mrs. India 2018 Queen of Substance. Shivangi Saraf from Bihar and Dr. Amanpreet from United Kingdom tied on the first runner up position where as Anshu Varshney from Noida crowned as second runner up of Mrs. India 2018 Queen of Substance.

In classic category Sonia Ahluwalia from United Kingdom was crowned as Classic Mrs. India Queen of Substance. Jhanvi Bajaj from Hyderabad was crowned as the first runners up position where as Medha Engineer from Canada was crowned as the second runners up as Classic Mrs. India 2018 Queen of Substance.

Congratulations to all 49 finalist and 7 winners in particular.
Continue reading Medha Engineer from Canada was crowned as the second runners up as Classic Mrs. India 2018 Queen of Substance.

“Good Friday – 2018” was observed throughout Gujarat and several newspaper published the news.

“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું.  જોવા માટે નીચે સ્ક્રોલ કરો. 

CNS Chirayu News Service-Nadiad

Hind TV News-Surat

Hind TV News-Bharuch

Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service

DD Girnar

via ytCropper

Gujarat News

Three children adopted from “Matruchhaya Orphanage” Nadiad.

અનાથનો નાથ: નડિયાદનો માતૃછાયા અનાથાશ્રમ

“બીજાની નિઃસ્વાર્થ સેવા કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે. “ઉક્તિઓ લેખ કે ભાષણોમાં સારી લાગે છે પરંતુ તેની અનુભૂતિ કરતા સેવાકર્મીઓ ઓને જોવાનો લાભ નડિયાદની માતૃછાયા અનાથાશ્રમની મુલાકાત દરમ્યાન થયો. અમારા લગ્ન બાદ મારી પહેલી મુલાકત માતૃછાયાની હતી. અમે જે દીકરીની જવાબદારી લીધી હતી તેને આ જ આશ્રમમાં મૂકી હતી. આશ્રમમાં પ્રવેશતા જ એક ઘોડિયું અને બેલ  નજરે પડ્યો. જે કોઈ પોતાના બાળકને સ્વેચ્છાએ ત્યજી તેને ઉકરડા કે ઝાડી ઝાંખરામાં ન નાખે પણ માતૃછાયા આશ્રમના પ્રવેશદ્વાર ઉપર મુકેલ ઘોડિયામાં મુકે અને બેલ વગાડી ચાલ્યા જાય તો આવા બાળકનો યોગ્ય ઉછેર કરી શકાઈ તેવો ઉદેશ હતો.

સિસ્ટર નિર્મળાએ અમને માતૃછાયાની મુલાકાત કરાવી ત્યારે હૈયું દ્રવી ઉઠ્યું. સારવાર કક્ષમાં એક ૧૪ વર્ષની દીકરી બ્રેન સ્ટોકને કારણે અર્ધમૃત હાલતમાં વેન્ટીલેટરના સહારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. તે છેલ્લા ૨ વર્ષથી આજ અવસ્થામાં હતી પરંતુ સેવાભાવી સિસ્ટરો તેને નવજીવન આપવા સતત સઘર્ષ કરી રહ્યા હતા. આખો આશ્રમ બાળકોની કીકીયારીઓથી જીવંત પરંતુ ઠેકઠેકાણે વેદનાઓ પણ ડોકિયા કરે. એક અજંપા સાથે અમે ૩ કલાક આ આશ્રમમાં વિતાવ્યા. આ બાળકો શાળામાં ભણવા જાય અને કોલેજ પણ કરે. અમે એક દિવસ માટે આ બાળકોને ખંભાતના પ્રસિદ્ધ હલવાસન-સુતરફેણી અને પાપડનું ચવાણું લંચ બોક્સમાં મૂકી આપ્યું. આ બાળકો કોના વાંકે અને પાપે આ આશ્રમમાં છે?

ઉકરડામાંથી તો ક્યારેક ઝાડી ઝાંખરામાંથી, ક્યારેક ટ્રેનમાંથી તો ક્યારેક બજારમાંથી મળી આવતાં બાળકો. તેમના માતા- પિતા, પરિવારથી સાવ અજાણ. જોકે આ અનાથ બાળકો પણ પોતાનું નસીબ તો લઇને જ આવ્યા હોય છે. ભલે માતા-પિતા-પરિવારે ત્યજી દીધા પણ સહેજ પણ તકલીફ વગર આશ્રમના ખુશનુમા વાતાવરણમાં વર્ષો પસાર કર્યા બાદ તેમની નિયતી એમના જીવનમાં અનોખો બદલાવ લાવે જ છે, અને આ બાળકોને પરીવાર મળે છે.

અનાથ બાળક… આ શબ્દ આવે એટલે કે ક્ષણભરમાં અનેક વિચારો વિજ વેગે મગજમાં પસાર થાય છે. સામાન્ય રીતે અનાથ બાળકોને દયાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જોકે અન્ય બાળકોની જેમ જ આ બાળકો પણ પોતાનું નસીબ લખાવીને જ આવ્યા હોય છે. ભલે જીવનના અમૂક વર્ષો કે દિવસો તેમણે મુશ્કેલીમાં પસાર કર્યા હોય પરંતુ માતૃછાયા અનાથ આશ્રમમાં આવ્યા બાદ આ બાળકો ખૂબજ સુરક્ષીત અને સુંદર વાતાવરણમાં રહે છે. જેને કારણે આ બાળકોનો વિકાસ ખૂબજ સારો થાય છે. આ બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ બાળકોને દેશ તેમજ વિદેશમાં દત્તક પણ આપવામાં આવે છે.

Below video from TV9 Gujarati

ઘર, પરિવાર વગર, ઓળખ વગર અનાથ આશ્રમમાં આવનારા બાળકને જ્યારે માતા-પિતાનું નામ, પરીવાર, ઓળખ મળે છે ત્યારે એ તેની ખુશનસીબી હોય છે. આવા જ ત્રણ ભાગ્યશાળી બાળકો કે જેઓ માતૃછાયા અનાથ આશ્રમ પરિવારના સભ્ય હતા.માતૃછાયા અનાથ આશ્રમની બે દીકરીઓ અને એક દીકરાને દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કલેક્ટર ડો. કુલદીપ આર્ય અને તેમના પત્નીના હસ્તે ત્રણેય બાળકો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આશ્રમના સિસ્ટર્સ બાળકોને સારૂ ઘર પરિવાર મળી રહ્યું છે, તેના આનંદની સાથે સાથે એક ઋણાનુબંધ સાથેનું જોડાણ તૂટવાની ક્ષણોને અનુભવી રહ્યા હતા. જ્યારે માતા-પિતા બાળક મળ્યાથી પોતાનો પરિવાર પૂર્ણ થયાનો આનંદ અનુભવી ભાવુક બન્યા હતા. આ ક્ષણ દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર અને તેમના પત્ની પણ ભાવવિભોર બની ગયા હતા.

Below video from Divaya Bhaskar

૧૧ માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે. ફ્રાન્સિસ કાસાર અને વિન્સેન્ટ કાસારના લગ્ન ૨૦ વર્ષ અગાઉ થયા હતા. જોકે સંતાન સુખ ન હોઇ તેઓએ પણ એક મિત્રની મદદથી જ આ એડોપ્શન પ્રોસેસ પૂર્ણ કરી હતી. વિન્સેન્ટ ગૃહિણી છે જ્યારે ફ્રાન્સિસ નોકરી કરે છે.

મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાનેના લગ્ન ૧૩ વર્ષ અગાઉ થયા હતા. જોકે તેમને કુદરતે સંતાન સુખ ન આપતાં તેમણે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને એક મિત્રની મદદથી માતૃછાયા અનાથ આશ્રમનો સંપર્ક કર્યો હતો. પોતાની લાગણી વ્યક્ત કરતાં શીલાએ જણાવ્યું હતું કે, મનથી એટલીજ પ્રાર્થના છે કે વિશ્વમાં ક્યાંય કોઇ બાળક અનાથ ન રહે. બંને દીકરીઓ સાથે આજથી અમારા જીવનની એક નવી શરૂઆત થાય જેથી અમે ઉત્સાહિત છીએ.

માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા વર્ષ ૧૯૯૬ થી અત્યાર સુધીમાં દેશ – વિદેશમાં ૯૮૦ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. અનાથ આશ્રમની બે દીકરીઓ કુવૈત , જ્યારે દીકરો ઇટાલીના માઇલ્ટા લઇ જવા આજે પરિવાર જનો   બાળકોને દત્તક લીીધીઆ  છે તેઓ દરરોજ આ બાળકો સાથે વાતચીત કરતા હતા, બાળકો પણ ખૂબજ આત્મીયતાથી તેમના વાલીઓ સાથે ભળી ગયા છે અને મમ્મી – પપ્પા પાસે જવાનું છે તેને લઇને ભારે ઉત્સાહીત જોવા મલ્યા હતા. અનાથ આશ્રમમાંથી ગયા બાદ પણ આ બાળકોની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં તો બાળકોના એડોપ્શનને લઇને અનાથ આશ્રમમાં ખૂશી પણ છે અને પોતાના સંતાનોની જેમ જેમનું જતન કર્યું છે તે બાળકોથી વિખુટા પડવાનું દુ:ખ પણ છે.

સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી તમામ પ્રક્રિયા થાય છે

માતૃછાયા અનાથ આશ્રમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી દ્વારા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા કરે છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ મુજબ ગુજરાત ગવર્મેન્ટના સામાજીક ન્યાય અને અધિકારીતા દ્વારા દેશ-પરદેશમાં બાળક દત્તક આપવાની પરવાનગી આપવામાં આવી છે. જે પરિવાર બાળક દત્તક લેવા ઇચ્છતા હોય તેમણે ભારત સરકારની વેબસાઇટ www.cara.nic.in ઉપર રજીસ્ટર કરવાનું હોય છે, જ્યારબાદ સરકાર દ્વારા પ્રોસિજર પૂર્ણ કરી તેનો રિપોર્ટ પણ સરકારને આપવાનો હોય છે.

૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૯૮૦ બાળકોનું એડોપ્શન

– દેશમાં: ૮૯૬ બાળકો દત્તક અપાયાં

– એન.આર.આઇ. પરિવારમાં: ૩૧ બાળકોને દત્તક અપાયાં

– વિદેશી પરિવારમાં: ૫૩ બાળકોને દત્તક અપાયા

 –શૈલેષ રાઠોડ”અભિધેય”

https://www.facebook.com/shaileshrathodkhambhat

મો-૯૮૨૫૪૪૨૯૯૧