Tag Archives: રિશ્તા

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ખંભાતમાં રિશ્તા આયોજીત પત્રકારત્વ કાર્યશાળા

 khambhatschoolboard

 

તા ૧૧, ૧૨  ફેબ્રુઆરી દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલ, ખંભાતમાં રિશ્તા દ્વારા ધો ૧૧ નાં વિદ્યાર્થીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ૬૦ છાત્રોએ ભાગ લીધો હતો. આ હાઈસ્કુલ ભાલ વિસ્તાર અને ખંભાતમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોનાં સંતાનોને ભણાવે છે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું જીવન ઘડતર કરે છે. શાળાના આચાર્ય ફાધર પીયુસ પરમાર સંગીત અને કલાના શોખીન હોઈ તેને ઘણું પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ કેવળ પરીક્ષામાં પાસ થાય તેને તેઓ શિક્ષણ માનતા નથી પરંતુ તેઓ જીવન માટે તૈયાર થાય અને સમાજોપયોગી જવાબદાર નાગરિકો બને એવી તેમની ઉમીદ છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ મેન અને વીમેન ફોર અધર્સ પેદા કરવાનો છે જે ઉદ્દેશ બાબતે ફાધર પીયુસ બહુ જ સ્પષ્ટ છે.

 

કાર્યશાળામાં શીખેલ ભૂલઈ ન જાય પણ ચાલુ રહે અને વિદ્યાર્થીઓ તેમની શાળા વિષે સમાચારો લખતા રહે એ હેતુસર પત્રકાર ક્લબ સ્થાપવામાં આવી જેમાં ૬ વિદ્યાર્થીઓ સક્રિય રહીને અન્યોને પણ સક્રિય બનાવશે. કાર્યશાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  

 

(પ્રેષક ફાધર વિલિયમ)

 

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી………….

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

 

‘રિશ્તા’ સંસ્થા નો આશય અને સમાજ સાથેનો રિશ્તો – સ્થાપનાથી અત્યાર સુધી…………. વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો.

૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ‘રિશ્તા’ નો પત્રકારત્વ કાર્યશાળાનો કાર્યક્રમ કવાંટ ખાતે ડોન બોસ્કો હાઇસ્કૂલમાં યોજાઈ ગયો.

૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ‘રિશ્તા’ નો પત્રકારત્વ કાર્યશાળાનો કાર્યક્રમ કવાંટ ખાતે ડોન બોસ્કો હાઇસ્કૂલમાં યોજાઈ ગયો. આ વિસ્તાર લગભગ આદિવાસી વિસ્તાર છે. મહારાષ્ટ્ર અને મ.પ્ર.ની સરહદે આવેલ હોઈ વિકાસના બધા લાભોથી સાવ વંચિત રહી ગયો છે, હકીકતે તો વંચિત રાખી દેવામાં આવ્યો છે. અહી ઠેકાણે ઠેકાણે જુદા જુદા પ્રકારનાં પોસ્ટરો, પાટિયા, બોર્ડ જોવા મળે છે જેની ઉપર આદિવાસીને માટે સરકારે કેવી કેવી યોજનાઓ શરૂ કરી છે તેની જાહેરાતો કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાઓની તો ઠેર ઠેર જાહેરાતો કરી છે અંને આ યોજનાઓ હેઠળ બધાંજ ગામડાઓને સારા રોડ રસ્તાઓ, એસ ટી બસોની સગવડ, ૨૪ કલાક વીજળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ, પૂરતી સુવિધાવાળી પ્રાથમિક શાળાઓ, પૂરતા શિક્ષકો, બેસવાના ઓરડાઓ વગેરે પ્રકારની સુવિધાઓ સરકારે આદિવાસી પ્રજાને આપી છે એવી જાહેરાતોનો ઢગલો જોવા મળ્યો. પરંતુ જુદે જુદે સ્થળોએ ફરતાં જોયું તો વાસ્તવિકતા સાવ જુદી હતી. કવાંટ તો તાલુકા સ્થળ છે તેમ છતાં અહીં એસ ટી બસ સ્ટેન્ડ જ નથી ને ખાનગી વાહનોનો ઢગલો જોવા મળે છે. રોડ રસ્તાઓ ખાડા ટેકરાવાળા તૂટી ગયેલા છે. કેટલાયે ગામોમાં તો વાહન જવા આવવા માટે રોડની સગવડ છે જ નહીં. અમે ગયા ત્યારે વીજળી બંધ હતી. કવાંટ તો જ્યોતીગ્રામ જાહેર થયેલું છે અંને તાલુકા મથક છે! ટૂકમાં, સરકારની જાહેરાતોમાં કરેલ દાવો અંને વાસ્તવિકતાઓ વચ્ચે આભ જમીનનો ફેર જોવા મળ્યો.

આ પ્રકારનાં જુઠાણાઓને ઉઘાડા પાડવાની ઘણી જરૂર છે નહિ તો ક્યારેય આદિવાસીઓને વિક્જાસના લાભો મળાશ નહિ. ‘રિશ્તા’ સંસ્થા તેના પત્રકારત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આવી સભાનતા પ્રગટાવી તેમના હાથોમાં મુદ્રિત માધ્યમનું શક્તિશાળી હથિયાર આપે છે જેનો તેઓ સમાજની સુખાકારી માટે ઉપયોગ કરતા શીખે ને ઉપયોગ કરે. પ્રસ્તુત બે દિવસો દરમ્યાન પચાસેક જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પત્રકારત્વની તાલીમ આપવામાં આવી  અંને પોતાના ભણતરનો ઉપયોગ સમાજના હિતમાં અત્યારથી જ કરતા થાય એવી પ્રેરણા પૂરી પાડી.

તાલીમ કાર્યક્રમ અહીની જાણીતી ડોન બોસ્કો હાઇસ્કુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાળામાંથી છેલ્લાં દસ કે બાર વારસો દરમ્યાન સેકડોની સંખ્યામાં આદિવાસી કિશોર કિશોરીઓએ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ને આજે પગભર બન્યાં છે. ડોન બોસ્કોની દિશા  સંસ્થા દ્વારા ચોપાસના ગામોમાં પ્રાથમિક શાળાઓમાં ૧ થી ૪ ધોરણોમાં ભણતા બાળકો માટે રોજ પૂરક વર્ગો ચલાવવામાં આવે છે જેથી તેમનો પ્રાથમિક શિક્ષણનો પાયો માંજાબૂત બને અંને આગળ અભ્યાસ કરી શકે. હાઈ સ્કુલમાં પૂરી નિષ્ઠાથી શિક્ષણ કાર્ય કરતા સેવાભાવી શિક્ષક શિક્ષિકાઓને જોઈ ઘણો સંતોષ થયો. હાઇસ્કુલમાં લગાવેલ બોર્ડ પર વાંચ્યું તો જણાયું કે શાળાનું એસ એસ સી પરિણામ ૯૮ ટકાની આસપાસ રહ્યું છે ને ક્યારેક તો ૧૦૦ ટકા આવ્યું છે. નોધનીય હકીકત તો એ છે કે એ બધા આદિવાસી વિદ્યાર્થીઓ છે- રાઠવા ને ચૌધરી અટકો ધરાવતા! ડોન બોસ્કો હાઇસ્કુલના સંચાલકો,  આચાર્ય તથા શિક્ષકગણને સાચેજ અભિનંદન ઘટે છે.